SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ૦ અર્ધ્ય સ્વભાવ પ્રમાણે વિનોદમાં ક્યારેક કહેતા કે અહિંસક જૈનો મારી હિંસા તો નહિ કરે ને ? આ સાથે જ કૌશાંબીજી કહેતા કે ગમે તેમ હોય છતાં હું જૈનોનો મારા પ્રત્યે પ્રેમ તો એવો જ જોઉં છું. મને આમંત્રણ – નિમંત્રણ આપનારાઓમાં મોટો ભાગ જૈનોનો જ છે. મને મદદ કરનાર પણ મોટેભાગે જૈનો જ છે, અને મારી સામે વિરોધ કરનાર પણ જૈનો મને ખૂબ મળે છે, ચાહે છે અને સત્કારે છે. ત્યારે હું તેમને એટલું જ કહેતો કે જૈનોનું આંદોલન પણ અહિંસક જ હોય છે. કૌશાંબીજીએ શ્રી જુગલકિશોર બિરલાના આશ્રયનો ત્યાગ કર્યા પછી ફરી તેમની કોઈપણ જાતની મદદ સ્વીકારી નહિ. જ્યારે જૈન સમાજનો ઠેઠ સુધી ઉગ્ર વિરોધ હોવાં છતાં તેમણે જૈન મિત્રોની અનેકવિધ મદદ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારી છે તેનો હું સાક્ષી છું. એનું એકમાત્ર રહસ્ય એ જ છે કે કૌશાંબીજી બુદ્ધના ઉપદેશને અનુસરવા મથતા અને એમ માનતા કે બુદ્ધ એ અસાધારણ વિભૂતિ છે છતાં તેમને વારસો તો જૈન તીર્થંકર પાર્શ્વનાથના ધર્મનો જ મળ્યો છે. કૌશાંબીજી ઘણીવાર કહેતા કે હું શ્રમણ-સંસ્કૃતિમાં માનું છું. એને જીવનમાં ઉતારવા મથું છું. એ શ્રમણ-સંસ્કૃતિનો ઐતિહાસિક મૂળ આધાર ભગવાન પાર્શ્વનાથ છે.’ પાર્શ્વનાથ પ્રત્યે એમની જે અનન્ય નિષ્ઠા મેં જોઈ છે તે પરંપરાગત જૈનો કરતાં જુદી જ હતી. જૈન પરંપરાના ઉગ્ર તપ આદિ કેટલાક મુદ્દાઓ વિષે તેમનું વલણ નોખું હતું એ ખરું, પણ જૈન પરંપરાના મૂળભૂત આચારો વિષે તેમની જીવંત શ્રદ્ધા હતી. એ શ્રદ્ધા તેઓ જૈનોની પરિભાષામાં અને જૈન રૂઢિઓ દ્વારા પ્રગટ કરી ન શકતા એટલે રૂઢ અને સ્થૂળ સંસ્કારવાળા જૈનો તેમને જૈનવિરોધી લેખી કાઢતા. કૌશાંબીજીને સાચી સમજવાની દૃષ્ટિ, એમનો વિકાસ કઈ ભૂમિકા ઉપર થયો છે એ જાણવામાં જ રહેલી છે, છતાં મને નોંધ લેતાં એકંદરે આનંદ થાય છે કે બીજી કોઈપણ પરંપચ કરતાં જૈન પરંપરાએ તેમને વધારે અપનાવ્યા અને સત્કાર્યા છે. આ બાબત કૌશાંબીજીના ધ્યાન બહાર ન હતી. તેથી જ તેઓ હંમેશાં જૈન મિત્રોની ઉદારવૃત્તિ વિષે અને પોતાને નભાવી લેવા વિષે પ્રશંસાના ઉદ્ગારો કાઢતા. છેલ્લે છેલ્લે કૌશાંબીજીએ બે પુસ્તકો મરાઠી ભાષામાં લખી મને સોંપ્યાં ને કહ્યું કે આની ઘટે તે વ્યવસ્થા કરો. એક પુસ્તક પાર્શ્વનાથનો ચતુર્થાંન ધર્મ' ઉ૫૨ છે. જેમાં એમની પાર્શ્વનાથ પ્રત્યે ભારોભાર શ્રદ્ધા ઊભરાય છે; અને બીજું પુસ્તક “બોધિસત્ત્વ’ વિષે છે. એ નાટક રૂપે લખેલું છે અને બૌદ્ધ વાડ્મયના આખી જિંદગી સુધી કરેલા પરિશીલનનું ગંભીર દોહન છે. એમની સંમતિથી મેં એ લખાણો મુંબઈ શ્રી નાથુરામ પ્રેમીજીને ઘટતી સૂચના સાથે ગયા વર્ષમાં કાશીથી મોકલાવી આપ્યાં છે. છેલ્લાં બે-ત્રણ વર્ષ થયાં કૌશાંબીજી જ્યારે મળતા ત્યારે એક માત્ર જીવનાન્તની જ ચર્ચા કરતા. તેઓ કહેતા કે મેં મારું કામ પૂરું કર્યું છે. લખવાનું બને તેટલું લખ્યું છે. મળ્યા તે પાત્ર છાત્રોને શીખવવામાં પણ કચાશ રાખી નથી. છોકરા-છોકરીઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy