SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ૦ અર્ધ્ય બૌદ્ધો નમ્રપણે એમની વાત માન્ય રાખતા પણ કોઈ ચાલુ પરંપરા વિરુદ્ધ જઈ શકતું નહિ; તેથી કૌશાંબીજીએ સારનાથ રહેવું જ છોડી દીધું અને ફરી કાશીવિદ્યાપીઠમાં આવ્યા. ત્યાં તેમને લાવનાર અને તેમને માટે સગવડ કરી આપનાર ડૉ. ભગવાનદાસ. ડૉ. સાહેબ એમને એમની વિદ્વત્તા, વિચારસમૃદ્ધિ અને ત્યાગવૃત્તિને કારણે ગાંધીજીની પેઠે જ માનતા. આચાર્ય નરેન્દ્રદેવજી વગેરે બધા જ વિદ્યાપીઠના કાર્યકર્તાઓ તેમને મેળવવામાં ગૌરવ લેખતા. કૌશાંબીજી પુરાતત્ત્વમંદિરમાં હતા ત્યારે જ તેમની સામે જૈન પરંપરાનો પુણ્યપ્રકોપ પ્રગટેલો. પ્રાચીનકાળમાં જૈન ભિક્ષુઓ પણ બૌદ્ધ ભિક્ષુઓની પેઠે પ્રસંગે માંસાદિ લેતા એવું તેમણે બુદ્ધ વિષેની લેખમાળામાં લખેલું. આ વિધાનને લીધે માત્ર કૌશાંબીજી જ નહિ પણ તેમને આશ્રય આપનાર ગૂજરાત વિદ્યાપીઠ અને તેના સહવાસમાં રહેનાર કે આવનાર બધા જ જૈન મિત્રો કે પંડિતો પણ જૈન પરંપરાના પુણ્યપ્રકોપના પાત્ર બન્યા હતા. આ વસ્તુ સંપૂર્ણપણે ભુલાઈ ન હતી. ત્યાં ફરી નવો ધડાકો થયો. કૌશાંબીજીએ મરાઠીમાં બુદ્ધચરત' લખ્યું તેમાં પણ એ વિધાન તેમણે કર્યું. પહેલાં તેમના લેખો ગુજરાતીમાં પ્રસિદ્ધ થયેલા અને ગુજરાતમાં તો મુખ્યપણે શ્વેતાંબર જૈનો જ એટલે તેમના પુણ્યપ્રકોપે બહુ ઊંડાં મૂળ ઘાલ્યાં ન હતાં; પણ મરાઠી બુદ્ધચરિત પ્રસિદ્ધ થયા પછી તો જુદી જ સ્થિતિ આવી. મહારાષ્ટ્ર અને સી.પી. બિહારમાં મરાઠીનો પ્રચાર વિશેષ; ત્યાં દિગંબર જૈનોની પ્રધાનતા અને તેમાંય વિશેષ કટ્ટરપણું; એટલે દિગંબર સમાજે કૌશાંબીજી વિરુદ્ધ હિટલરી આંદોલન શરૂ કર્યું. એ આંદોલનમાં ગુજરાત પણ જોડાયું. યુ. પી. અને બંગાળમાં પણ એના પડઘા પડ્યા. એક રીતે ભારતવ્યાપી આખો જૈનસમાજ કૌશાંબીજી સામે ઊકળી ઊઠ્યો. કૌશાંબીજીનો પ્રતિવાદ કરવા અનેક સ્થળે મંડળો અને પરિષદો સ્થપાયાં. તેમને કોર્ટે ઘસડવાની ધમકી પણ આપવામાં આવી. તેઓ પોતાનું વિધાન પાછું ખેંચી લે તે માટે તેમને લાલચો પણ આપવામાં આવી. અનેક પરિચિત મિત્રો તેમને અંગત રીતે મળ્યા, પણ કૌશાંબીજી એટલું જ કહેતા કે આમ તમારે ઊકળી જવાની જરૂ૨ નથી. હું કોર્ટે સુખેથી આવીશ અને મારા કથનનો ખુલાસો કરીશ. જ્યારે એમણે કટ્ટર દિગંબર પંડિતોને એમ લખી આપ્યું કે જે કાંઈ મેં લખ્યું છે તે તો પ્રાચીન આગમોને આધારે લખ્યું છે, દિગંબર ગ્રંથોને આધારે નહિ, ત્યારે દિગંબર સમાજનો રોષ તો એક રીતે શમ્યો. એણે વિચારી લીધું કે નથી કૌશાંબીજી ધમકીથી ડરવાના કે નથી લાલચમાં આવવાના કે નથી પૈસાદારોની શેહમાં આવવાના અને તેઓ દિગંબર ગ્રંથોને તો પોતાના આધારમાંથી બાતલ રાખે છે તો એમની સાથે બાખડવું નકામું છે. એટલે દિગંબર સમાજનું આંદોલન શમ્યું; પણ શ્વેતાંબર સમાજમાં એ આંદોલન બેવડા વેગે શરૂ થયું. ગુજરાતમાં તો પહેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy