SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. બ્રાહ્મણ-શ્રમણ ધ્રુવજી ગુજરાતમાં ધ્રુવ ઘણા છે અને હતા, પણ ધ્રુવજી તો એક જ. જેમ ગાંધી ઘણા પણ ગાંધીજી એક. માલવીય ઘણા પણ માલવિયજી એક મદનમોહન. તેમ ધ્રુવજી કહેતાં જ આનંદશંકરભાઈનો બોધ સૌને થઈ જાય. આ “જી' પદનું મહત્ત્વ ધ્રુવસાહેબના જીવનમાં જે જોવા મળે છે, તે અહીં બતાવવાનો ઉદ્દેશ છે. ધ્રુવજી જન્મે બ્રાહ્મણ અને તેમાંય મુત્સદ્દી નાગર એટલે વિદ્યાવૃત્તિ, ડહાપણ અને ભાષાસૌષ્ઠવ પરંપરાગત હોય એ તો સામાન્ય તત્ત્વ થયું. પણ એમણે એ તત્ત્વનો બીજાઓએ નહિ સાધલ એવો અસાધારણ વિકાસ સાધ્યો હતો. શ્રમણદીક્ષા લે તેનામાં કર્મકાંડી અહિંસાવૃત્તિ ઊતરવા મંડે છે અને પરંપરાગત તપોવ્રતો પણ સહેજે હોય છે. પણ ધ્રુવજીની અહિંસાવૃત્તિ અને તપોવૃત્તિ જુદા પ્રકારની હતી. તે અંદરથી ઊગેલી અને બ્રાહ્મણદર્શનથી પરિમાર્જિત થયેલી હતા, જેને લીધે તેમનું વ્યક્તિત્વ ઘડાયું. લગભગ ત્રીસ વર્ષ પહેલાં અધ્યયન કરી પહેલવહેલો હું કાશીથી ગુજરાતમાં ગયો ત્યારે “વસંતમાંનાં થોડાંક ધ્રુવજીનાં લખાણો જોયાં અને એમના તરફ ખેંચાયો. ક્રમે ક્રમે એમનાં નીતિશિક્ષણ', “હિન્દુધર્મની બાળપોથી', “ધર્મવર્ણન', “આપણો ધર્મ', ‘હિન્દુ વેદધર્મ આદિ પુસ્તકો જોયાં, અને તેમની મારા ઉપર ઊંડી અસર થઈ, જે અદ્યાપિ કાયમ છે, કે પછી તો મને કોઈપણ ધાર્મિક પાઠ્યક્રમ બાબત પૂછે ત્યારે હું ધ્રુવજીનાં એ પુસ્તકો સર્વપ્રથમ સૂચવું છું, જોકે ઘણા સાંપ્રદાયિક જૈનો મારી સંપ્રદાય બહારનાં પુસ્તકોની આવી સૂચનાથી નવાઈ પામતા. પણ મારો તો જાણે એ વ્યવસાય જ થઈ પડેલો. તે એટલે લગી કે ગુજરાત બહારના પ્રાંતોમાં પણ હું ધ્રુવજીનાં પુસ્તકોની સૂચના કરવાનું ચૂકતો નહિ. બીજી બાજુ તે વખતે કોઈ છાપામાં ધ્રુવ જી વિશે એમ લખાયેલું વાંચ્યાનું યાદ છે કે “ધ્રુવજી બેશક અઠંગ અભ્યાસી અને ઢગલાબંધ વિવિધ વિષયોનાં પુસ્તકોનું સતત આવલોકન કરનાર છે તેમજ સુયોગ્ય અધ્યાપક છે, પણ તે એટલા બધા મિલનસાર નથી. એમનામાં નાગરસુલભ અતડાપણું અને વૈયક્તિક મુલાકાતમાં કાંઈક રૂખાપણું છે.' ઇત્યાદિ. આવી મતલબના એ લખાણે હું એમ માનતો થયો કે ત્યારે તો ધ્રુવજીને મળવા ઘરે ન જવું. આ માન્યતાથી પ્રેરાઈ હું તે વખતે અમદાવાદમાં જતા-આવતો અને રહેતો છતાં ધ્રુવજીને મળેલો નહિ. એમને વિશે એવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy