SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ અર્થ બુદ્ધનું વિશ્લેષણ વિશ્વવિદિત છે. મહાવીરની અહિંસા પણ અજાણી નથી. શંકરાચાર્યનો અદ્વૈત-પેગામ અપૂર્વ છે. વાચસ્પતિની સર્વ વૈદિક દર્શનોને સ્પર્શતી બુદ્ધિ ગવાય છે. એમ દરેક યુગે થયેલા છે તે પુરુષોનું ગૌરવ જેવું તેવું નથી. તેમ છતાં તે પુરુષોના વિચારો અને સિદ્ધાંતો તેમના પોતાના સંપ્રદાયના કોચલામાં જ ગૂંગળાઈ કાંઈક અંશે વિકૃત પણ બન્યા છે. અને બીજા સંપ્રદાયના લોકોમાં તેની સારવતા જોવાની દૃષ્ટિ ભાગ્યે જ દેખાય છે. એ વિચારો અને સિદ્ધાંતો સમયે સમયે બદલાતા માનવજીવનની સાથે મેળ બેસે અને તેને ઉપયોગી થઈ પડે, એ રીતે પુનઃસંસ્કરણ ન પામે તો એ માત્ર ભૂતકાળની યશોગાથા જેવા જ બની જાય છે. પ્રત્યેક સંપ્રદાયના અનુયાયીની પોતાના માન્ય પુરુષના વિચાર અને સિદ્ધાંતો પ્રત્યે એવી કાંઈક ગૂઢ શ્રદ્ધા હોય છે કે, તે એ શ્રદ્ધા-ગ્રંથિને લીધે તેનું પરીક્ષણ કે પુનઃસંસ્કરણ કરી નથી શકતો. કિશોરલાલભાઈમાં પણ ક્યારેક એવી જ સંપ્રદાય-ગ્રંથિ હતી. તેઓ પોતે જ એવી મતલબનું કહે છે કે, સ્વામીનારાયણ પરંપરાની પ્રણાલિ જ અને સહજાનંદસ્વામીના વિચારો જ તેમને મન સર્વ કાંઈ હતું. પણ કોઈ ધન્ય ક્ષણે એમને ગ્રંથિ-ભેદ થયો. અને જન્મસિદ્ધ અત્ત પ્રજ્ઞાની સેર વહેવા લાગી તેને પરિણામે અત્યાર સુધીના બધા જ ધાર્મિક અને તત્ત્વજ્ઞાનીય વિચારો ને વ્યવહારોને તેમણે ફરી તપાસ્યા, ચાળ્યા અને સત્ય તેમજ અહિંસાની કસોટીએ કસ્યા. તેને લીધે તેમની સામે એક એવું આચારવિચારનું વિશ્વ ખડું થયું, જે તેમણે અનેક લખાણોમાં અનેક રીતે વિશદ કર્યું છે. કોઈપણ પંથ, ધર્મ, પરંપરા, તત્ત્વજ્ઞાનને જરાય અન્યાય ન થાય એટલી અહિંસક સૂક્ષ્મ કાળજી રાખવા છતાં પણ તેમણે પોતાને અનુભવાતું સત્ય કહેવામાં જરાય આંચકો ખાધો નથી. એક ભાઈએ તેમને પૂછેલું કે, ‘તમે આટઆટલા બીમાર અને કોઈ બીજો ઉકેલી ન શકે એટલા બધા ભિન્ન ભિન્ન વિષયોના, ભિન્ન ભિન્ન પ્રશ્નો કયા અભ્યાસ, કયા વાચન અને કયા બળને લીધે ઉકેલો છો ?” આવી મતલબના પ્રશ્નોનો ઉત્તર તેમણે નમ્ર વાણીમાં એટલો આપ્યાનું યાદ છે કે, “મારું વાચન અતિ અલ્પ છે. પણ મારી પાસે એકમાત્ર કસોટી સત્ય અને અહિંસાની છે. એ કસોટીએ હું બધું વિચારું છું અને જે કાંઈ સૂઝે તે લખું છું. એમના આખા જીવનની ચાવી જ આ છે. ગાંધીજીએ નવજીવન ઘડવાના વિચારો અને સિદ્ધાંતો પૂણી રૂપે મૂક્યા. કિશોરલાલભાઈએ પોતાનાં અનેક લખાણોમાં એ પૂણીઓને કાંતી માપી ન શકાય એટલા સૂતરની ફાળકીઓ પીરસી, કિશોરલાલભાઈ રૂઢ ગુરુ-શિષ્ય ભાવમાં ન માનતા. એટલે તેઓ જેમ બીજાને પોતાના વિચારોમાં મૂંડવાનો જરાય આગ્રહ ન સેવતા, તેમ બીજાના વિચારોમાં માત્ર શ્રદ્ધાથી મૂંડાવાની વૃત્તિ પણ ન સેવતા. તેથી જ, આપણે જોઈએ છીએ કે, તેમણે પોતાનાં ધાર્મિક, આધ્યાત્મિક વિવેચનવાળાં લખાણોમાં પોતાને માન્ય હોય એવા મોટા મોટા પુરુષોની પણ સાદર સમીક્ષા કરી છે. તેઓ સાંપ્રદાયિક ગ્રંથિથી પર થયા ને તેની સામે માનવજાતિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy