SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. ક્રાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ કિશોરલાલભાઈએ પોતે જ પ્રસંગે પ્રસંગે પોતા વિશે થોડુંક લખેલું છે. તેમના પરિચય માટે જોકે એ પૂરતું નથી, તોપણ તે તેમની વિશિષ્ટ ઝાંખી કરાવે છે. કેળવણીના પાયા'ની પ્રસ્તાવનામાં શિક્ષણ અને કેળવણીનો ભેદ દર્શાવતાં તેમણે પોતાની ધમ્યજીવનાભિમુખ દૃષ્ટિની ઝાંખી કરાવી છે. “સ્વામી સહજાનંદમાં તેમની અસાંપ્રદાયિક ધર્મવૃત્તિની ઝાંખી થાય છે. સ્ત્રી-પુરુષ-મર્યાદામાં તેમના સહજસિદ્ધ સંસ્કારોનો પરિચય થાય છે. શ્રી ચંદ્રશંકર શુક્લે પ્યારા બાપુ'માં તેમનો પરિચય આપવા થોડો પ્રયત્ન કર્યો છે. પણ થોડા શબ્દોમાં છતાં સમર્થ રીતે તેમનો વ્યાપક પરિચય તો બાપુજીએ જ આપ્યો છે. ૧૯૪૦ના માર્ચની ૩જી તારીખના “હરિજનબંધુ'માં “સાચું પગલું એ મથાળા નીચે બાપુજીએ જે લખ્યું છે તે અહીં તેમના જ શબ્દોમાં આપણે સાંભળીએ: ‘કિશોરલાલ મશરૂવાળા આપણા વિરલ કાર્યકરોમાંના એક છે. એ અવિશ્રાંત પરિશ્રમ કરનારા છે. એમની ધર્મબુદ્ધિ કોઈ વધુ પડતી કહે એટલી હદ સુધીની છે. ઝીણામાં ઝીણી વિગત પણ એમની નજર બહાર જતી નથી. તેઓ તત્ત્વદર્શી લિસૂફ અને ગુજરાતીમાં લોકપ્રિય લેખક અને ગ્રંથકાર છે. ગુજરાતીના જેટલા જ મરાઠીના વિદ્વાન છે. ન્યાતજાતનાં, પ્રાંતીયતાનાં કે કોમી અભિમાનોથી કે વહેમોથી સર્વથા મુક્ત છે. એઓ સ્વતંત્ર વિચારક છે. એઓ રાજદ્વારી પુરુષ નથી. એઓ જન્મસિદ્ધ સુધારક છે. સર્વ ધર્મોના અભ્યાસી છે. ધર્મઝનૂનનો વા પણ એમને વાયો નથી. એઓ જવાબદારી અને જાહેરાતથી હંમેશાં દૂર રહેવા માગે છે. અને છતાં જો એક વાર જવાબદારી લીધી તો પછી એમના કરતાં વિશેષ સૂક્ષ્મતાપૂર્વક એને પાર પાડનાર બીજો મેં જાણ્યો નથી. ગાંધી સેવા સંઘનું પ્રમુખપદ લેવાનું મહાપ્રયાસે મેં એમની પાસે કબૂલ કરાવેલું. જે ઉદ્યમ અને અનન્ય એકાગ્રતાથી એમણે પોતાની જવાબદારી અદા કરી તેને જ પરિણામે સંઘની ઉપયોગિતા સિદ્ધ થઈ હતી અને એથી જ એને આજનું મહત્ત્વ મળ્યું છે. પોતાની ક્ષીણ તબિયતની બિલકુલ પરવા ન કરતાં જાહેર પ્રજાસેવકને સારુ આને હું ગુણરૂપ નથી લેખતો) તેઓ તમામ સાધકો અને શોધકોના હંમેશાં ને હપ્રસંગે ભેરુ થઈ પડ્યા. અથાગ પરિશ્રમ ને કાળજી લઈને તેમણે સંઘનું જે બંધારણ તૈયાર કર્યું છે તે આવી હરકોઈ સંસ્થાને સારું નમૂનારૂપ થઈ પડે એવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy