SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ૦ અર્ધ્ય વિનોબાજીએ જે પવિત્ર સંકલ્પ કર્યો છે તેમાં સમયનો સંકેત છે, તે પૂરેપૂરો સમજવો જોઈએ. માનવતાનું કલ્યાણ થાય એની એમાં દૃષ્ટિ રહી છે. તેમને ૧૯૫૭ સુધીમાં જમીન મળે ન મળે એ પ્રશ્ન નથી. ગાંધીજીએ ૧૯૨૨માં કહેલું કે, ‘સૂતરના તાંતણે સ્વરાજ લેશું.' લોકોએ પૂછ્યું કે, ‘ક્યાં છે તમારું સ્વરાજ ?” તો તેમણે ૧૯૩૮માં હરિપુરા કૉંગ્રેસમાં જવાબ આપ્યો કે, સૂતરના તાંતણે સ્વરાજ સાચું, પણ તમે સૂતરનો તાંતણો કાઢ્યો છે ” જ્યાં લગી આતમા તત્ત્વ ચિન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી'વાળી પેલી કડીની જેમ તમે જ્યાં લગી સૂતરના તાંતણાનો આત્મા સમજો નહીં, એ મુજબ કામ કરો નહીં, એની ભાવના પ્રમાણે વર્તે નહીં, તો સ્વરાજ ક્યાંથી થાય ?” વિનોબાજીએ ૧૯૫૭ સુધીનું કહ્યું તેની પાછળ આવી ભાવના છે. વિનોબાજીએ બી વાવેલ છે તે નક્કર છે. આપણે (આપણા કાર્યરૂપી ક્ષેત્રમાં) ભૂમિ બરોબર છે, બીજ બરોબર છે એ બધું જોવું રહ્યું. આ પાક તો પૂરો થતો નથી. પાંચ વર્ષ પછી પણ નવા પ્રશ્નો હશે. અત્યારનું કરેલું ત્યારે ઓછું લાગશે. બધે ચાલી રહેલી ખેંચતાણમાંથી આવો માર્ગ કાઢ્યા વગર ગતિ જ નથી. નહીંતર તો નેતાઓ બુદ્ધિનો યોગ્ય ઉપયોગ ભૂલશે. બુદ્ધિ આજે ગમે એમ વેડફાઈ રહી છે. વિનોબાજીએ તો બુદ્ધિ, શક્તિ વગેરે બધા માટે એક ચાવી શોધી છે. તેને આ રીતે જેટલા અંશે કોઈ કામમાં લેશે તેટલે અંશે સાર્થક થશે. - Jain Education International - પ્રસ્થાન, કારતક ૨૦૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy