SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આજનો યથાર્થ માર્ગ : ભૂદાન • ૩૫ દષ્ટિએ માત્ર શાસ્ત્ર- પરિશીલન પૂરતું નથી. જ્ઞાન જ્યાં સુધી કાર્યમાં પર્યવસાન પામે નહીં ત્યાં સુધી તે ઉપયોગી નહીં થાય. ભૂદાનનો વિચાર હું જ્યારે વિચારું છું, ત્યારે મને લાગે છે કે, કામ તો આ દેશમાં ઘણાં ચાલે છે, પરંતુ તે બધામાં કંઈક ને કંઈક ખામી હોય છે. જેને જનતાનું કામ કરવું છે, ગરીબોનાં દુ:ખો નિવારવાં છે, તેને માટે આજે પક્ષો ઊભા કરવામાં આવે છે. પક્ષો ઊભા થાય તેનો પણ વાંધો નથી, પરંતુ જે ભૂમિકા પર પક્ષો છે તેમાં એક બીજા માટે આદર નથી. તમે જુદી જુદી ટુકડીઓમાં (પદયાત્રામાં) જાઓ છો તેથી કાંઈ જુદા પડતા નથી. એકબીજા પ્રત્યે આદર, સદ્દભાવ ને પ્રેમ રહે છે. પક્ષોમાં એવું નથી બનતું. બધા નામ તો દેશહિતનું, ગાંધીજી લે છે. પણ તે બધામાં અંદર અંદર એક સ્પર્ધા ચાલી રહી છે. “કયા મુદ્દા પર ચૂંટણી લડવી તે કરતાં “સામા પક્ષને કેમ ઉતારી પાડવો, ચક્રવર્તી વ્યાજ સાથે દોષો કેમ જણાવવા,' એવું જોવાય છે. અમદાવાદમાં કે દેશના કોઈપણ ભાગમાં, બીજાના દોષદર્શન, નિંદા અને પોતાની ત્રુટિઓ નહીં જોવાની વૃત્તિ – આટલું બધે દેખાય છે. વિનોબાજી આની વચ્ચે એક નવું માર્ગદર્શન આજે આપી રહ્યા છે. દેશના વિકાસ માટે રસ્તાઓ બાંધવા જોઈએ તે કબૂલ, ગામની સ્વચ્છતા રાખવી જોઈએ તે કબૂલ, કચરો સાફ કરવો જોઈએ તે કબૂલ, પણ દેશમાં જેઓ કામ કરે છે તેમનામાં જે કચરો છે તે કોણ સાફ કરે ? બધાનાં મનનો મેલ કોણ કાઢે? અશોક મહેતા ગમે તેવું સારું ભાષણ આપે પણ તે બોલે તેથી બીજાના મનનો મેલ નહીં નીકળે; કૃપલાનીજી જેવા મોટા વિચારક પણ બોલે તેથી કોઈના મનનો મેલ નહીં નીકળી શકે. પણ જેના મનમાં કોઈને માટે મેલ નથી, જેને સૌ સરખા છે, જેને કોઈ માટે પણ પૂર્વાગ્રહ નથી, એવી વ્યક્તિ વિનોબાજી છે. તેઓ જ સૌના મનનો મેલ કાઢી શકશે. એને કોઈની પડી નથી : કોંગ્રેસની, સમાજવાદની કે સામ્યવાદની. એને બધાયની પડી છે; છતાં કોઈની નથી પડી! આવો માણસ જ્યારે કામ કરે ત્યારે તેને જેટલું સૂઝયું તેટલું આપણને ન સૂઝયું જેના ચિત્તમાં મળ, રાગદ્વેષ ઓછા, અને મનન તથા શાસ્ત્રાભ્યાસની વૃત્તિ વધુ છે તે પ્રજ્ઞાવાન છે. દેશમાં જેટલા સંતો થયા તેમનાં જીવન વિનોબાજીએ વાંચ્યાં, વિચાર્યા અને અનુભવ્યાં. એ જ તેમની પ્રજ્ઞા છે. અને એ પ્રજ્ઞામાંથી ભૂદાનનો વિચાર આવ્યો છે. અહીં જે બહેનોએ પોતાના અનુભવોની વાતો કરી તે બહુ સહજ, સુસ્થિત અને હૃદયસ્પર્શી હતી. યુનિવર્સિટીઓની વસ્તૃત્વ-સ્પર્ધાઓમાં જેઓ ભાગ લે છે તેમાં પણ આવી સહજતા નથી આવતી. એ ક્યાંથી આવે છે? માણસ કામ કરવા જાય છે, બુદ્ધિ અને મન જાગૃત રાખે છે, તો આપોઆપ જ એ ઝરો પ્રગટે છે. ગાંધીજીએ સ્ત્રીશક્તિ જાગૃત કરી તે પછી બહેનોમાં ધારાસભા વગેરેમાં જવાની પ્રવૃત્તિ વધી. વિનોબાજીએ પાછો જુદો રસ્તો લીધો. તેમાં બહેનો આજે આગળ આવી રહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy