SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વિભૂતિ વિનોબા - ૩૧ અહિંસા અને અપરિગ્રહની અધૂરી તેમજ અવિવેકી સમજણથી જે અનિષ્ટ પરિણામો માનવજાતે અનુભવ્યાં છે; તેમજ રંગભેદ, આર્થિક અસમાનતા અને જાતિ કે રાષ્ટ્રના મિથ્યા અભિમાનને લીધે પેદા થયેલાં જે દુઃસહ અનિષ્ટો માનવજાત ભોગવી રહી છે તે બધાંનો સામટો વિચાર કરી તે વિચારના પ્રકાશમાં બધાં જ અનિષ્ટોના ઉપાય લેખે એ વિશિષ્ટ વ્યક્તિએ અહિંસા અને અપરિગ્રહનું મૂલ્ય આંકડ્યું ને તેમાંથી જ માનવજાતના ઉદ્ધારનો કે સર્વાગીણ સમતા સ્થાપવાનો માર્ગ શોધી કાઢ્યો. સઘળાં અનિષ્ટો નિવારવાનો આ નવો માર્ગ હતો તો રામબાણ જેવો, પણ શરૂઆતમાં એના ઉપર ભાગ્યે જ કોઈની શ્રદ્ધા સમજણપૂર્વક બેઠી. તેમ છતાં એ અહિંસા અને અપરિગ્રહના નવા પેગંબરે પોતાનું દર્શન આફ્રિકામાં જ સફળ કરી બતાવ્યું. લોકો ચમક્યા અને ક્રમે ક્રમે એ ઋષિની આસપાસ એક નવું શિષ્યમંડળ એકત્ર થયું. જે સત્તા સામે પડકાર ફેંકવાની દુનિયામાં લગભગ કોઈની પ્રગટ હિંમત ન હતી તે જ સત્તા સામે એ ઋષિએ પોતાનું અહિંસક શસ્ત્ર ઉગામ્યું અને અહિંસામાં માનનાર કે નહિ માનનાર બધા જ એકાએક ડઘાઈ ગયા. જે અહિંસા અને અપરિગ્રહ માત્ર વ્યક્તિગત ધર્મ બની ગયો હતો અને જે માત્ર નિવૃત્તિની એક જ બુઠ્ઠી બાજુને રજૂ કરતો હતો તે ધર્મે અસહકારની નિવૃત્તિ બાજુ અને સત્યાગ્રહની પ્રવૃત્તિ બાજુ – બંને બાજુ સ્પષ્ટ સમજાય તે રીતે અને સર્વક્ષેત્રે લાગુ કરી શકાય એ રીતે રજૂ કરી. પ્રજાને, દરેક બાબતમાં દબાયેલી અને લાચાર પ્રજાને, શસ્ત્ર અને શાસ્ત્ર વિના પણ પોતાની જ પાસે રહેલું પણ આજ સુધી અજ્ઞાત એવું એક સહજ અમોઘ બળ લાધ્યું. પ્રજા જાગી અને કલ્પનામાં ન આવે એ રીતે એ નવા અમોઘ બળે સ્વરાજ્ય મેળવી આપ્યું. જે શસ્ત્ર રાજકીય વિજય અને રાજકારણમાં સફળતા આણનાર સિદ્ધ થાય છે તે શસ્ત્ર ઇતિહાસકાળથી સર્વોપરી મનાતું આવ્યું છે. અત્યાર અગાઉ શસ્ત્રબળ અને કાવાદાવાના શસ્ત્રબળને એવી પ્રતિષ્ઠા મળેલી જ્યારે આ નવા ઋષિએ એ પ્રતિષ્ઠા અહિંસા અને અપરિગ્રહના નવા શાસ્ત્રને આપી અને એક રીતે એ પ્રતિષ્ઠા માત્ર ભારતમાં નહિ પણ દેશદેશાન્તરમાં વિસ્તરવા લાગી. ગાંધીજીએ રાજકારણ ઉપરાંત જીવનનાં લગભગ તમામ ક્ષેત્રોમાં પોતાના એ આધ્યાત્મિક બળનો પ્રયોગ કર્યો અને એનાં મધુર ફળો સમજદાર લોકોની સામે જોતજોતામાં આવ્યાં. સામાજિક જીવનના ખૂણેખૂણામાં સમતા સ્થાપી વિષમતા નિવારવાનો કાયાકલ્પ પૂરજોશમાં ચાલતો જ હતો અને લોકો પણ એને સાથ આપતા હતા, ત્યાં તો ગાંધીજીએ વિદાય લીધી. જેઓ પાછળ રહ્યા અને જેઓ તેમના સાથી હતા અને છે તેમને એ આધ્યાત્મિક બળ વિષે શ્રદ્ધા નથી એમ તો ન કહી શકાય, પણ તે શ્રદ્ધા કંઈક બહારથી આવેલી અને કઈક અંદરથી ઊગેલી. એટલે એને સંપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy