SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. વિભૂતિ વિનોબા પરિવ્રાજક, જૈન અને બૌદ્ધ એ ત્રણ જીવિત મુખ્ય પરંપરાઓમાં ભારતની બધી જ ત્યાગલક્ષી પરંપરાઓનો સમાવેશ થઈ જાય છે. તૃષ્ણા, પરિગ્રહ કે સંચયવૃત્તિના ત્યાગને એ બધી પરંપરાઓએ જુદી જુદી શૈલીમાં પણ એકસરખી રીતે મહત્ત્વ આપ્યું છે. પરિવ્રાજકપણું સ્વીકારી વનમાં જવા ઇચ્છતા ઋષિ યાજ્ઞવક્યની એક પત્ની મૈત્રેયીના જે ઉદ્દગારો બૃહદારણ્યક ઉપનિષદમાં નોંધાયેલા છે તે સમગ્ર પરિવ્રાજકપરંપરાના વિચારનો એક પડઘો માત્ર છે. યાજ્ઞવલ્કયે મૈત્રેયીને કહ્યું કે “તને અને કાત્યાયનીને સમ્પત્તિ વહેંચી આપી હું એનો નિકાલ કરવા ઇચ્છું છું. મૈત્રેયીએ પતિને જવાબમાં કહ્યું કે “સુવર્ણથી પરિપૂર્ણ પૃથ્વી મળે તો શું હું તેથી અમર થાઉં ખરી ? યાજ્ઞવલ્કયે જવાબમાં જણાવ્યું છે કે “એથી તો તારું જીવન એવું જ રહેવાનું જેવું કે સાધનસામગ્રીમાં રચ્યાપચ્યા રહેનાર ઈતર લોકોનું જીવન છે. સંપત્તિથી અમૃતત્વની આશા નકામી છે, ઈત્યાદિ. તથાગત બુદ્ધે છ વર્ષની કઠોર સાધના અને ઊંડા મનન પછી પોતાના તેમજ જગતના કલ્યાણનો માર્ગ શોધ્યો તે ચાર આર્ય-સત્યનો. તેમાં બીજું આર્યસત્ય એટલે વૈયક્તિક કે સામૂહિક દુઃખમાત્રનું કારણ તૃષ્ણા કે મમતા છે તે; અને ચોથું આર્યસત્ય એટલે તૃષ્ણાનું – આસક્તિનું નિર્વાણ તે. દીર્ઘતપસ્વી મહાવીરે આત્મૌપમ્પ પૂરેપૂરું જીવનમાં ઊતરે એ માટે બાર વર્ષ સાધના કરી અને છેવટે એના ઉપાય લેખે એમને અહિંસા લાધી. પણ જ્યાં લગી પરિગ્રહ કે સંચયવૃત્તિ હોય કે તે જેટલા પ્રમાણમાં હોય, ત્યાં લગી અને તેટલા પ્રમાણમાં અહિંસા એના ખરા અર્થમાં કદી સિદ્ધ થઈ ન શકે. આમ આપણે ત્રણેય પરંપરાના સારરૂપે એક જ વસ્તુ નિહાળીએ છીએ, અને તે તૃષ્ણા, પરિગ્રહ યા સંચયવૃત્તિનો ત્યાગ. ઉપનિષદોમાં અમરજીવનની સિદ્ધિ ધનવૈભવ વડે નથી થતી એમ કહેવામાં આવ્યું ત્યારે એનો અર્થ એ હરગિજ નથી કે પાર્થિવ સંપત્તિનું જીવનમાં કોઈ મૂલ્ય જ નથી, અથવા એ માત્ર સ્વાખિક છાયા છે. પણ એનો અર્થ, જે આખા ઇતિહાસકાળમાં સિદ્ધ થયો તે તો, એ છે કે પાર્થિવ સંપત્તિ એ માત્ર સાધન છે. એને જ જીવન સર્વસ્વ માની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy