SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ બને કલ્યાણકારી: જીવન અને મૃત્યુ • ૨૭ અહીં કરતાં વધારે સારી ઉચ્ચ ભૂમિકા જ મળવાની છે; કેમકે કલ્યાણકારી સદ્ગતિ જ પામે છે. તે દુર્ગતિ કદીયે પામતો નથી. અને જો લ્યાણમય વિશ્વસેવા કરતાં કરતાં આ જન્મે જ સફળતા મળી તો તું અહીં જ સેવારાજ્યનાં સુફળ ભોગવીશ.” આજ લગી તે દિ ન્યાત્ રિશ ટુતિ તાત છતિ એ શ્લોકાર્ધની સાથે સંગતિ બેસાડ્યા વિના જ માત્ર પરાપૂર્વના લડાઈના સંસ્કારોથી પોષાયેલું વિદ્વાન ગણાતાઓનું પણ માનસ હતો વા પ્રાથતિ સ્વ નિવા વા મોચસે મહી એનો અર્થ જૂની ઘરેડ પ્રમાણે જ કરતું અને માનવજાતિ કૌરવપાંડવની પેઠે ભાઈભાઈઓમાં ઉત્તેજનાનું મદ્યપાન કરી લડી મરતી. તેને બદલે ગાંધીજીએ ભાઈભાઈઓને અંદરોઅંદર લડવાની ના પાડવા માટે અને તેમનું લડાયક બળ સૌના સામૂહિક હિતમાં વપરાય તે માટે ગીતાના આ વાક્યનો જીવન જીવીને નવો જ અર્થ અર્પો, જે અત્યાર લગીના કોઈ પણ આચાર્યે અર્પો ન હતો. આવી તો ગાંધીજીની અનેક સિદ્ધિઓ છે. એવી સિદ્ધિવાળો માનવ સામાન્ય નથી, એ મહામાનવ છે, કેમકે એનું જીવન મહતુ છે અને તેથી જ એનું મૃત્યુ પણ મહતુ છે; કેમકે તે મૃત્યુંજય છે. કેમકે તેની સામે મૃત્યુ જ મરી જાય છે. અને તે સમગ્ર માનવજાતિની ચેતનાના ઊંડામાં ઊંડા સ્તરમાં પ્રવેશ કરી ચેતનાની સપાટીને ઊંચે આણે છે. – પ્રબુદ્ધ જેન, ૧ માર્ચ ૧૯૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy