SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ • અર્થ આ સ્થિતિએ જ કોંગ્રેસ વિરોધી જયંત્ર રચાવ્યું અને કોંગ્રેસને તેમજ દેશને વર્તમાન સ્થિતિએ પહોંચાડનાર મહાન જીવનને ખતમ કરવાનો સંકલ્પ પોષ્યો, જેનું ગોડસે તો એક પ્રતીક માત્ર છે. ગાંધીજી ગોડસેને હાથે વીંધાયા એમ કહેવા કરતાં એમ કહેવું વધારે સારું છે કે ગાંધીજીની ઉત્તરોત્તર વિકસતી અને શુદ્ધ થતી જતી અહિંસાને ન પચાવી શકનાર માનસે જ ગાંધીજીની હિંસા કરાવવામાં ભાગ ભજવ્યો. પણ ગાંધીજી જો સાચે જ અહિંસક હતા અને તેમની પ્રજ્ઞા એક માત્ર સત્યને જ ધારણ કરતી હતી અને જીરવતી હતી તો તેમની હિંસા શક્ય જ નથી. ઊલટું એમણે આચરેલી અહિંસા અને સેવેલી સત્યપ્રજ્ઞા એ બંને જે નાનકડાશા પૂળદેહ પૂરતી મર્યાદિત હતી તે અનેક મુખે વિસ્તરી છે. જે લોકો ગાંધીજીની અહિંસા અને સત્યંભરા પ્રજ્ઞાને પૂરી રીતે નહોતા સમજતા તેઓ પણ હવે વધારે તાલાવેલી સાથે તેને સમજવા મથી રહ્યા લાગે છે. આથી જ તો અનેક માણસો જે કોઈના ભરમાવ્યા આડે રસ્તે દોરાયા હતા તે ટપોટપ પાછા સીધે રસ્તે આવવા લાગ્યા છે અને ગોડસેના પ્રેરક માનસને હૃદયથી નિંદી રહ્યા છે. પુનર્જન્મ વ્યક્તિગત હો કે સામાજિક હો, બંને રીતે તેનો અર્થ એક તો છે જ કે કોઈપણ સંકલ્પ વૃથા જતો નથી જ. ગાંધીજીનો વજૂસંકલ્પ તો વ્યર્થ જઈ જ ન શકે. સોક્રેટિસ અને ક્રાઈસ્ટના સંકલ્પો તેમના જીવન પછી વધારે વેગવાન અને વધારે દઢમૂળ થયા છે એ જાણીતું છે. ગાંધીજીનું મૃત્યુ એ પામર જંતુનું મૃત્યુ નથી. એ મૃત્યુએ માણસજાતને શોકાતુર કરી છે. તેનો અર્થ એ છે, કે તેને પોતાનું અંતર નિરખવા અંતર્મુખ કરી છે. અને છેવટે ગાંધીજી ઈચ્છતા હતા પણ શું ? તે તો હંમેશાં એક જ વાત કહેતા કે તમે પોતાનું અંતર તપાસો અને પોતાની જાતને પ્રથમ સુધારો. જીવનમાં તેમણે પોતાનો સંદેશ જેટલા પ્રમાણમાં ફેલાવ્યો તે કરતાં તેમણે પોતાના મૃત્યુથી પોતાનો સંદેશો વધારે ફેલાવ્યો છે અને તે આગળ વધારે ને વધારે ફેલાશે એમાં લેશ પણ શંકા નથી. એમ તો આ દેશના તખ્તા ઉપર આવ્યા પછી ગાંધીજીએ બહુ મોટો સેવકવર્ગ ઊભો કર્યો છે. કોઈપણ પ્રાંત, કોઈપણ જિલ્લો કે કોઈપણ તાલુકો લો તો ત્યાં ગાંધીજીની દોરવણી પ્રમાણે કામ કરનાર ઓછાવત્તા મળી જ આવવાના. આવા કાર્યકરોમાં અનેક જણ તો વિભૂતિ જેવા પણ છે. તેમના મૃત્યુથી આવા વર્ગમાં મોટો ઉમેરો થશે એટલું જ નહિ પણ તે વર્ગ વધારે શુદ્ધ થઈ કાર્યબળ મેળવશે; કારણ કે હવે તે વર્ગને પોતાને જ ખભે આવેલ જવાબદારીનું પૂર્ણ ભાન થતું જાય છે. જે મુસલમાન ભાઈઓને ગાંધીજી પોતાનું ઘર સુધાર્યા બાદ દૂર બેઠા કે પાકિસ્તાનમાં જઈ સમજાવવાના હતા કે મુસલમાનોમાં પણ એ ભાન બળવત્તર થતું જાય છે કે ગાંધીજી જે કહેતા તે જ સાચું છે અને મુસ્લિમ લીગ જે ધમધતાને નામે ઉશ્કેરતી હતી તેમાં કશું જ તથ્ય નથી. આ રીતે જોવા જઈએ તો ગાંધીજીનું જીવન જેટલું મહતુ અને કલ્યાણકારી હતું તેટલું જ તેમનું મૃત્યુ પણ મહતુ અને કલ્યાણકારી છે એ વિષે શંકા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy