SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ અર્થ છે એમાં શંકા નથી. ગાંધીજીને સાચી રીતે ઓળખનાર કોઈપણ એટલું તો સમજી શકે તેમ છે કે ગીતાને તેના આધ્યાત્મિક અને વ્યાપારિક અર્થમાં જેટલે અંશે ગાંધીજીએ જીવનમાં પચાવી હતી તેટલે અંશે ગીતાને પચાવનાર વ્યક્તિને શોધી કાઢવાનું કામ બહુ અઘરું છે. ગીતામાં કર્મયોગનું પ્રતિપાદન છે. આ મુદ્દાનું સમર્થન લોકમાન્ય તિળક કરતાં વધારે સચોટ રીતે બીજા કોઈએ કર્યું હોય તો તે હું જાણતો નથી; પણ એ અનાસક્ત કર્મયોગનું પચાસથી વધારે વર્ષો લગી સતત અને અખંડ પરિપાલન ગાંધીજીએ જ કરી બતાવ્યું છે. તેમણે ગીતાના કર્મયોગનું સમર્થન જેટલે અંશે જીવન જીવીને કર્યું છે તેટલે અંશે ગ્રંથ લખીને નથી કર્યું. ગીતાના અનાસક્ત કર્મયોગમાં બે બાજુઓ સમાય છે. લોકજીવનની સામાન્ય સપાટી ઉપર રહીને તેને ઉન્નત કરવાની લોકસંગ્રહકારી વ્યવહાર બાજુ, અને ત્રણે કાળમાં એકસરખાં ટકી શકે એવાં શાશ્વત મૂલ્ય ધરાવનાર સત્ય, અહિંસા, અને ઈશ્વરનિષ્ઠા જેવાં તત્ત્વોને સ્પર્શીને જ જીવન જીવવાની પારમાર્થિક બાજુ. ગાંધીજીનું જીવન શરૂ થયું તે, એ પારમાર્થિક સત્યને આધારે, અને તે ઉત્તરોત્તર વધારે ને વધારે વિકસતું, ફેલાતું અને નવપલ્લવિત થતું ગયું તે વ્યાવહારિક બાજુ કે વ્યાવહારિક સત્યને અવલંબીને ગાંધીજીના કોઈપણ જીવનકૃત્યને લઈને આપણે વિચાર કરીએ તો એ તરત દીવા જેવું દેખાઈ આવે છે કે તેઓના એકેએક કૃત્યમાં પારમાર્થિક અને વ્યાપારિક સત્ય બંનેનો સહજ અને અવિભાજ્ય સમન્વય હતો. તેઓ કોઈપણ ક્ષેત્રમાં, કોઈપણ બાબત લઈને કામ કરતા હોય ત્યારે તેમાં પારમાર્થિક સત્ય હોવાનું જ, અને તે પારમાર્થિક સત્યને તેઓ એવી રીતે વ્યવહારની સપાટીમાં મૂકતા કે સત્ય માત્ર શ્રદ્ધાનો વિષય અગર પૂજાનો વિષય ન રહેતાં બુદ્ધિનો અને આચરણનો વિષય પણ બની જતું. જેમ જેમ ગાંધીજી પારમાર્થિક સત્યને આધારે વ્યાપારિક ક્ષેત્રો વધારે ને વધારે ખેડતા ગયા, જેમ જેમ તેમની સામે કઠણ અને કઠણતર વ્યાવહારિક સમસ્યાઓ આવતી ગઈ, ધર્મ, કોમ, સમાજ, અર્થશાસ્ત્ર, રાજકારણ – આવા અનેક વિષયોની જમાનાજૂની જટિલ સમસ્યાઓ ઉકેલવાનો ભાર તેમના ઉપર આવતો ગયો તેમ તેમ તેમને પોતાના જીવનના ઊંડાણમાંથી પારમાર્થિક સત્યની મંગળમય અને કલ્યાણકારી બાજુએ વધારે ને વધારે બળ આપ્યું. એ બળ જ ગાંધીજીનું અમોઘ બળ હતું. ગાંધીજી ગમે તેવા ક્ષીણ હોય કે તપસ્યાથી કશ હોય ત્યારે પણ તેમના જીવનમાંથી જે આશ્ચર્યકારી તેજ અને બળ હુરતું તેને સમજવાનું કામ કોઈને માટે પણ સહેલું નહોતું. તે બળ અને તેજ તેમના પારમાર્થિક સત્ય સાથેના તાદાસ્યનું પરિણામ હતું. એમની વાણી કે એમની લેખિનીમાં, એમની પ્રવૃત્તિ કે એમની દેહર્તિમાં એ જ પારમાર્થિક સત્ય પ્રકાશતું. ગાંધીજીના અનુયાયી ગણાતા માણસો પણ ગાંધીજીના જેવી જ દુન્યવી અને વ્યાપારિક પ્રવૃત્તિ કરતા, પણ તેમને બધાને એમ લાગ્યા જ કરતું કે તેમના જીવનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy