SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ બને કલ્યાણકારી: જીવન અને મૃત્યુ • ૧૯ વલણ તેમજ કલ્યાણગામી સંસ્કારોના વહેણને ઊર્ધ્વગામી વલણમાં અને એક માત્ર કલ્યાણગામી પ્રવૃત્તિના વહેણમાં ફેરવી નાખવા એ કામ નથી શૂરાને માટે સહેલું કે નથી સત્તાધારીને માટે સહેલું. એ કામ ભલભલા સાધકોની પણ કસોટી કરાવે તેવું અઘરું છે. પરંતુ ગાંધીજીની સત્ય તેમજ પ્રેમની અનન્ય નિષ્ઠા અને સત્યપ્રેમમય ઈશ્વર ઉપરની અચળ શ્રદ્ધાએ તેમને માટે એ કામ તદ્દન સહેલા જેવું કરી નાખ્યું હતું. તેથી જ ગાંધીજી સૌને એકસરખી રીતે ભારપૂર્વક કહેતા કે હું તમારામાંનો જ છું અને હું જે કરું છું કે કરી શક્યો છું તે સ્ત્રી-પુરુષ, યુવા-વૃદ્ધ સૌને માટે તેઓ ધારે તો) સુકર છે. ગાંધીજી માત્ર વિવેક અને પુરુષાર્થ ઉપર જ ભાર આપતા. એમનો ઈશ્વર એમાં સમાઈ જતો. દરેક માનવમાં વિવેક અને પુરુષાર્થનાં બીજ હોય જ તેથી દરેક માનવ ઈશ્વર અને બ્રહ્મરૂપ છે. ગાંધીજી દરેકના આત્મામાં વસતા એવા જ સચ્ચિદાનંદમય અંતર્યામીને પોતાના વર્તન અને વિચારથી જાગૃત કરવા રાતદિવસ મથતા અને તેમાં જ અખંડ આનંદ અનુભવતા. માણસ સુમાર્ગને અનુસરે કે નહિ પણ તેના મનમાં એક અથવા બીજી રીતે સુમાર્ગની પ્રતિષ્ઠા તો હોય જ છે. તેથી ગાંધીજીના સન્માર્ગદર્શનને ન અનુસરનાર પણ - અને ઘણીવાર તેથી સાવ ઊંધું ચાલનાર પણ – તેમના આ વલણ તરફ આકર્ષાતો અને એક અથવા બીજી રીતે ગાંધીજીનો પ્રશંસક બની જતો તેથી કરીને આપણે કહી શકીએ કે બીજી કોઈ પણ વિભૂતિના જીવને માનવોના હૃદયમાં ગાંધીજીના જીવને સ્થાન મેળવ્યું હોય તે કરતાં વધારેમાં વધારે માણસોના હૃદયમાં ગાંધીજીના જીવને સ્થાન મેળવ્યું હતું, આવા સ્થાનને લીધે જ લોકોએ તેમને મહાન આત્મા કહ્યા અને તેમનું જીવન મહતુ લેખાયું. ભૂતકાળના ઇતિહાસમાં કે આ નવયુગના ઇતિહાસમાં એવો કોઈ દાખલો છે કે જેમાં તેના મૃત્યુ જ વખતે જ ગાંધીજીના મૃત્યુથી કકળી ઊઠેલી વિશ્વજનતાનો દશમો ભાગ પણ હૃદયથી કકળી ઊઠ્યો હોય ? કેટલાક પ્રજાપ્રિય રાજા, રાષ્ટ્રનેતા અને લોકપ્રિય સંતો ચાલ્યા ગયા ત્યારે તેમના માટેનો શોક અમુક ભાગ પૂરતો હતો; અને કેટલીક વખતે તો તે ઔપચારિક પણ હોય. પરંતુ ગાંધીજીની મૃત્યુકથા જ સાવ નિરાળી છે. દુનિયામાં એકેએક ભાગમાં વસતી જનતાના સાચા પ્રતિનિધિઓએ ગાંધીજીના મૃત્યુ પર આંસુ સાર્યા છે. અને અત્યારે પણ ગાંધીજીની જીવનગાથા મનમાં આવતાં જ કે કાને પડતાં જ કરોડો માણસો આંસ ખાળી શકતા નથી. તેથી જ ગાંધીજીનું મૃત્યુ જીવનના જેટલું જ મહાન છે એમ કહી શકાય. ગીતા એ દુનિયાના ધર્મગ્રંથોમાં એક અભુત અને અપૂર્વ ગ્રંથ છે. તેને રચનાર વ્યક્તિ પણ તેવી જ અદ્દભુત અને આર્ષદૃષ્ટિવાળી હોવી જોઈએ. જેના મુખમાંથી ગીતાનો ઉપદેશ આપવામાં આવ્યો છે તે કલ્પનામૂર્તિ કે ઐતિહાસિક કૃષ્ણ પણ અભુત વ્યક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy