SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. બંને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ ગાંધીજી ‘મહાત્મા’ લેખાયા, કારણ તેમનું જીવન મહત્ હતું. જેનું જીવન જ મહત્ હોય તેનું મૃત્યુ પણ મહત્ જ હોવાનું. ગાંધીજીનું જીવન મહત્ શા માટે ? એ પ્રશ્નનો ઉત્તર એક જ છે અને તે એ કે બાલ્યકાળથી ઠેઠ મૃત્યુની ઘડી સુધી એકમાત્ર પ્રેમવૃત્તિ, સત્ય અને બીજાનું ભલું કરવાની વૃત્તિ તેમજ પ્રવૃત્તિ જ અખંડપણે તેમજ ઉત્તરોતર વિકસિત રૂપમાં અને વધારે ને વધારે વ્યાપક રૂપમાં સેવી છે. બુદ્ધના મૃત્યુ વખતે લોકોમાં શોક વ્યાપેલો, પણ એ શોક મોટેભાગે તેમના અનુગામી ભિક્ષુગણ તેમજ ગૃહસ્થવર્ગ પૂરતો હતો એમ કહી શકાય. મહાવીરના નિર્વાણ વખતે વ્યાપેલ શોક પણ એ જ કોટિનો હતો. અલબત્ત, તે વખતે અત્યારના જેવાં સમાચાર ફેલાવવાનાં સાધનો ન હતાં. ગાંધીજીના મૃત્યુસમાચાર અત્યારનાં સાધનોને લીધે વિશ્વવ્યાપી બન્યા છે એ એક જ કારણ વિશ્વવ્યાપી શોકનું નથી. પણ એમનું આંતર અને બાહ્ય જીવન એવું વિશ્વવ્યાપી બની ગયેલું કે તે સ્થૂળ દેહે ગમે ત્યાં રહેતા હોય છતાં દુનિયાના દરેક ભાગમાં તેમનો સંદેશ એકધારો પહોંચી જતો અને ભણેલો કે અભણ, આ ધર્મના કે તે ધર્મના, આ કોમના કે તે કોમના, આ દેશના કે તે દેશના, દરેક માનવી ગાંધીજી વિષે એટલું તો માની જ લેતા કે તેઓ જે કહે છે, જે સંદેશ આપે છે તે તેમના આચરણનું પરિણામ છે. સૌનો એકસરખો વિશ્વાસ એ જ કે ગાંધીજી વિચારે કાંઈ, બોલે કાંઈ અને કરે કાંઈ એવા નથી અને નથી જ. વિશ્વહૃદયમાં ગાંધીજીની પ્રતિષ્ઠા કેવળ ઉપરના કારણે જ હતી. તેઓ સૌના હ્રદયના રામ બની ગયા તે માત્ર સત્યનિષ્ઠા અને કરુણાવૃત્તિને કારણે. તેથી જ આપણે ગાંધીજીના જીવનને મહત્ કહીએ છીએ. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે ચિત્તરૂપ નદીનો પ્રવાહ બંને બાજુએ વહે છે. તે કલ્યાણ તરફ વહે અને અકલ્યાણ તરફ પણ વહે. યોગશાસ્ત્રના આ કથનનો પુરાવો આપણા દરેકનો રોજિંદો અનુભવ છે. ગાંધીજી આપણા જ જેવા અને આપણા માંહેલા સાધારણ માનવી, પણ એમના ચિત્તનો પ્રવાહ કેવળ એક જ બાજુએ વહ્યો છે એ વિશ્વવિદિત બીના છે અને તે એક બાજુ પણ માત્ર કલ્યાણની જ. ગાંધીજીએ પોતાની સમગ્ર શક્તિનો પ્રવાહ લોકકલ્યાણને માર્ગે જ વાળ્યો છે. આ માટેની તૈયારી કરવા ગાંધીજી નથી ગયા કોઈ મઠમાં કે નથી ગયા કોઈ જંગલમાં કે પર્વતની ગુફામાં. મનનાં સહજ અધોગામી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy