SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીજીનો જીવનધર્મ • ૧૫ જ્યારે નિવૃત્તિગામી વ્યાખ્યાઓ પ્રવૃત્તિ પર પણ થવા લાગી ત્યારે એ પ્રભાવથી જૈન પરંપરા છેક જ અલિપ્ત તો રહી શકી નહિ, પણ તેમાં સાધુ સંસ્થાના બંધારણે અને બીજાં અનેક બળોએ એવો ભાગ ભજવ્યો કે જેની પરંપરાનો વ્યવહાર મુખ્યપણે નિવૃત્તિગામી જ રહ્યો અને શાસ્ત્રની વ્યાખ્યાઓ પણ લગભગ નિવૃત્તિપોષક જ રહી. જો કે ઇતિહાસ સમાજને જુદી રીતે ઘડી રહ્યો હતો અને તે જૈન પરંપરાના વ્યવહારમાં તેમજ શાસ્ત્રીય વ્યાખ્યાઓમાં ફેરફાર માંગતો હતો, છતાં એ કામ આજ લગી અધૂરું જ રહ્યું છે. સંસ્કારની અસર જ્યારે કોઈ વિચારક જૈન પરંપરાના આચાર-વિચારનું અનુસરણ કરે છે અને જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરે છે ત્યારે તેના મન ઉપર હજારો વર્ષ પહેલાં ઘડાયેલ એ નિવૃત્તિ પ્રેરક ધોરણ અને વ્યાખ્યાઓના સંસ્કારો એટલા બધા સચોટ પડે છે કે તે તેને ભેદી ભાગ્યે જ વિચાર કરી શકે છે. સિદ્ધાંત એક જ હોય પણ તે સંજોગો પ્રમાણે કેવી રીતે અનેક મુખે કામ કરે છે એ તત્ત્વ સમજવું તે સ્થિતિમાં અઘરું થઈ પડે છે. ગાંધીજીને આધ્યાત્મિકતા સિદ્ધ કરવી છે. તેની ભૂમિકારૂપે તેમણે પોતાના જીવનમાં અહિંસા વગેરે તત્ત્વોને સ્થાન આપ્યું છે. પણ તેમનું દૃષ્ટિબિંદુ મહાયાનમાર્ગી હોઈ તેઓ બીજાને સુખી જોયા સિવાય પોતાને સુખી માની શકતા નથી. ગાંધીજીનું દૃષ્ટિબિંદુ મહાયાની અને તેમાં અહિંસાનું તત્ત્વ ઉમેરાયું એટલે સ્વાભાવિક રીતે જ તેમનું જીવન લોકલ્યાણ તરફ વળ્યું અને તેમની આધ્યાત્મિક શુદ્ધિની દષ્ટિએ તેમને અનાસક્ત કર્મયોગ સુઝાડ્યો. તેમનામાં મૂળથી જ અહિંસાના સંસ્કાર ઓતપ્રોત હતા એટલે તેમણે પોતાની અહિંસાને પ્રવૃત્તિનાં બધાં જ ક્ષેત્રોમાં વહેતી મૂકી. ગીતાના અનાસક્ત કર્મયોગ પ્રમાણે જીવન ઘડવા મંથન શરૂ કર્યું અને છતાંય તેમણે ગીતાના સશસ્ત્ર પ્રતિકારને વળવા ભગીરથ પ્રયત્ન પણ કર્યો. ઉપરની ચર્ચા એટલું જાણવા માટે બસ થશે કે જૈન પરંપરા સામાજિક બની છતાં તેના ધર્મીનું વલણ અહિંસાની પ્રાથમિક ભૂમિકારૂપ નિવૃત્તિલક્ષી જ રહ્યું છે. જ્યારે ગાંધીજીનો અહિંસાધર્મ આત્મલક્ષી અને સમાજલક્ષી હોઈ તેમાં દુન્યવી નિવૃત્તિનો આગ્રહ સંભવી જ શકતો નથી. સમાજના પ્રેમ અને શ્રેય અર્થે અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવવી – એ વિશાળ ભાવના જ તેમને અનેક પ્રકારના પરસ્પર વિરોધી તેવાં વિધાનો કરવા પ્રેરે છે. જો કે વસ્તુતઃ તે અવિરોધી જ ગણી શકાય. ગાંધીજીએ જૈન પરંપરાને માન્ય એવી નિવૃત્તિપક્ષી દેખાતી અહિંસા અપનાવી છે ખરી, પણ તેમણે પોતાના સર્વ કલ્યાણકારી સામાજિક ધ્યેયની સિદ્ધિ અર્થે તે અહિંસાના અર્થનો એટલો બધો વિસ્તાર કર્યો છે કે આજની સ્થિતિમાં ગાંધીજીનો અહિંસા ધર્મ એ એક પોતાનો જ અહિંસા ધર્મ બની ગયો છે. એ જ રીતે આ દેશ અને પરદેશની અનેક અહિંસાવિષયક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy