SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીજીનો જીવનધર્મ • ૧૩ કરી રહ્યાં છે. પણ આથી આગળ વધી જ્યારે તે વિચારક વિગતોનો વિચાર કરે છે ત્યારે તેને ખરેખરી મૂંઝવણ ઊભી થાય છે. ગાંધીજીની અનેકમુખી પ્રવૃત્તિઓમાં તે જે રીતે અહિંસાનો અમલ થતો જુએ છે, અને ઘણીવાર પરસ્પર વિરુદ્ધ દેખાય એવાં વિધાનો તેમજ આચરણો અહિંસાને નામે થતાં તે ગાંધીજીના જીવનમાં નિહાળી જૈન પરંપરામાં પ્રથમ માન્ય થયેલી અને અત્યારે પણ મનાતી આચરણાઓ સાથે સરખાવે છે ત્યારે તેનું ઉદાર ચિત્ત પણ પ્રામાણિકપણે એવી શંકા કર્યા વિના રહી શકતું નથી કે જો સિદ્ધાંતરૂપે અહિંસા અને સંયમનું તત્ત્વ એક જ હોય તો તે યથાર્થ ત્યાગી હોય એવા જૈનના જીવનમાં અને ગાંધીજીના જીવનમાં તદ્દન વિરોધીપણે કામ કેવી રીતે કરી શકે ? વિચારકનો આ પ્રશ્ન નિરાધાર નથી. પણ જો એનો સાચો ઉત્તર મેળવવો હોય તો આપણે કાંઈક વિશેષ ઊંડાણમાં ઊતરવું પડશે. દષ્ટિબિંદુનું સામ્ય જૈનધર્મનું દૃષ્ટિબિંદુ આધ્યાત્મિક છે, અને ગાંધીજીનું દૃષ્ટિબિંદુ પણ આધ્યાત્મિક છે. આધ્યાત્મિકતા એટલે પોતામાં રહેલ વાસનાઓની મલીનતા દૂર કરવી તે. બહુ પ્રાચીનકાળના તપસ્વી સંતોએ જોયું કે કામ, ક્રોધ, ભય આદિ વૃત્તિઓ જ મલીનતાનું મૂળ છે અને તે જ આત્માની શુદ્ધતાને હણે છે, તેમજ શુદ્ધતા મેળવવામાં વિઘ્નો નાખે છે. તેથી તેમણે એ વૃત્તિઓના ઉન્મેલનનો માર્ગ લીધો. એવી વૃત્તિઓનું ઉમૂલન કરવું એટલે કે પોતામાં રહેલ દોષોને દૂર કરવા. એવા દોષો તે હિંસા અને તેને પોતામાં સ્થાન લેતા રોકવા તે અહિંસા. એ જ રીતે એવા દોષોમાંથી ઉદ્દભવનારી પ્રવૃત્તિઓ તે હિંસા અને એવી પ્રવૃત્તિઓનો ત્યાગ તે અહિંસા. આમ અહિંસાનો મૂળમાં દોષત્યાગરૂપ અર્થ હોવા છતાં તેની સાથે તમૂલક પ્રવૃત્તિઓનો ત્યાગ એ બીજો અર્થ પણ સંકળાઈ ગયો. જેઓ પોતાની વાસનાઓ નિર્મૂળ કરવા ઇચ્છતા હોય તેઓ એવી વાસનાઓનો જેમાં જેમાં સંભવ હોય એવી પ્રવૃત્તિઓનો પણ ત્યાગ કરતા. આ સાધના કિંઈ સહેલી ન હતી. તેવી લાંબી સાધના માટે અમુક દુન્યવી પ્રપંચોથી મુક્ત થવું અનિવાર્ય હતું; એટલે દુન્યવી પ્રવૃત્તિઓથી અલગ થઈ આધ્યાત્મિક સાધના કરવાની પ્રથા પડી. દેખીતી રીતે આ સાધનાનો હેતુ મૂળમાં દોષોથી નિવૃત્ત થવાનો અને ગમે તેવે પ્રસંગે પણ દોષોથી અલિપ્ત રહી શકાય એટલું બળ કેળવવાનો હતો. અહિંસાની પ્રાથમિક અને મુખ્ય નિવૃત્તિ સિદ્ધ કરવા જે જે સંયમના અને તપના બીજા અનેક પ્રકારો અસ્તિત્વમાં આવ્યા તે બધા મોટેભાગે નિવૃત્તિલક્ષી જ યોજાયા અને તેથી અહિંસા, સંયમ કે તપની બધી વ્યાખ્યાઓ મોટેભાગે નિવૃત્તિલક્ષી ઘડાઈ. બીજી બાજુ આધ્યાત્મિક શુદ્ધિની સાધના માત્ર વ્યક્તિગત ન રહેતાં તેણે સંઘ અને સમાજમાં પણ સ્થાન લેવા માંડ્યું. જેમ જેમ તે સંઘ અને સમાજના જીવનમાં પ્રવેશતી ગઈ તેમ તેમ તે વિસ્તરતી ગઈ, પણ ઊંડાણ ઓછું થતું ગયું. સંઘ અને સમાજમાં એ સાધનાનો પ્રવેશ કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy