SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ • અર્થ દરેક ધાર્મિક સમાજના અનુયાયીઓના સામાન્ય રીતે ત્રણ વર્ગ છે. પહેલો વર્ગ કટ્ટરપંથીઓનો, બીજો દુરાગ્રહ ન હોય એવાઓનો અને ત્રીજો તત્ત્વચિંતકોનો. જેના સમાજમાં પણ વત્તેઓછે અંશે આવા ત્રણ વર્ગો છે જ. જેમ કોઈ કટ્ટર સનાતની, કદર મુસલમાન કે કટ્ટર ક્રિશ્ચિયન ધર્મ તરીકે પોતે માનતો હોય તેવા પોતપોતાના ધર્મને આચાર, વ્યવહાર કે માન્યતાના ખોખાને અક્ષરસઃ ગાંધીજીના જીવનમાં ન જોઈ નિશ્ચિતપણે એમ માની જ લે છે કે ગાંધીજી નથી ખરા સનાતની, ખરા મુસલમાન કે ખરા ક્રિશ્ચિયન. તેવી રીતે કટ્ટર જેન ગાંધીજીના જીવનમાં જેન આચાર કે જૈન રહેણીકરણીનું ખોખું અક્ષરશઃ ન જોઈ પ્રામાણિકપણે એમ માને છે કે ગાંધીજી ભલે ધાર્મિક હોય પણ તેમના જીવનમાં જૈન ધર્મનું સ્થાન તો નથી જ, કેમકે તેઓ ગીતા, રામાયણ આદિ દ્વારા બ્રાહ્મણ ધર્મને જે મહત્ત્વ આપે છે તેવું જૈન ધર્મને નથી જ આપતા. બીજો વર્ગ ઉપરનાં ખોખાં માત્રમાં ધર્મની ઇતિશ્રી માનતો ન હોઈ તેમજ કાંઈક અંતર્મુખ ગુણદર્શી અને વિચારક હોઈ ગાંધીજીના જીવનમાં પોતપોતાના ધર્મનું સુનિશ્ચિત અસ્તિત્વ જુએ છે. આ પ્રકૃત્તિનો વિચારક જો સનાતની હશે તો ગાંધીજીના જીવનમાં સનાતન ધર્મનું સંસ્કરણ જોશે, જો મુસલમાન કે ક્રિશ્ચિયન હશે તો તે પણ તેમના જીવનમાં પોતાના જ ધર્મની નાડ ધબકતી જોશે. એવી જ રીતે આવું વલણ ધરાવનાર જૈન વર્ગ ગાંધીજીના જીવનમાં જૈન ધર્મનાં પ્રાણભૂત અહિંસા, સંયમ અને તપની નવેસર પ્રતિષ્ઠા જોઈ તેમના જીવનને જૈન ધર્મમય લેખશે. ત્રીજો વર્ગ જે અંતર્મુખ અને ગુણદર્શી હોવા ઉપરાંત સ્વ કે પરના વિશેષણ વિના જ ધર્મના તત્ત્વનો વિચાર કરે છે તેવા તત્ત્વચિંતક વર્ગની દૃષ્ટિએ ગાંધીજીના જીવનમાં ધર્મનું અસ્તિત્વ તો છે જ પણ તે ધર્મ કોનો – આ સંપ્રદાયનો કે તે સંપ્રદાયનો, એમ નહિ પણ તે સર્વ સંપ્રદાયોના પ્રાણરૂપ, તેમ છતાં સર્વ સંપ્રદાયોથી પર એવો પ્રયત્નસિદ્ધ સ્વતંત્ર ધર્મ છે. ભલે ગણ્યાગાંઠ્યા પણ આવા તત્ત્વચિંતકો જૈન સમાજમાં છે, જેઓ ગાંધીજીના જીવનગત ધર્મને એક અસાંપ્રદાયિક તેમજ અસંકીર્ણ એવો ધર્મ માનશે, પણ તેને સાંપ્રદાયિક પરિભાષામાં જૈન ધર્મ માનવાની ભૂલ તો નહિ જ કરે. સંપ્રદાયનો ધર્મ નથી કહ્યા વિના પણ વાચક એ સમજી શકશે કે આ સ્થળે ગાંધીજીના જીવન સાથે જૈન ધર્મના સંબંધનો પ્રશ્ન પ્રસ્તુત હોવાથી હું એ મર્યાદા બહાર અન્ય ધર્મોને અવલંબી ખાસ ચર્ચા કરી ન શકું. હું પોતે સ્વતંત્ર દષ્ટિથી એમ મક્કમપણે માનું છું કે ગાંધીજીના જીવનમાં ઊગેલો, વિકસેલો અને વ્યાપેલો ધર્મ એ કોઈ આ કે તે સંપ્રદાયનો ધર્મ નથી. પણ તે બધા સંપ્રદાયોથી પર અને છતાં બધા જ તાત્ત્વિક ધર્મોના સારરૂપ છે કે જે તેમના પોતાના વિવેકી સાદા પ્રયત્નથી સધાયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy