SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ • અર્થ રતની જ હત્યાનો સંકલ્પ કરે? મહાકરુણાનું અવસાન કરવાનો સંકલ્પ પણ મહાન એ ખરું, પણ સંકલ્પ ક્રૂર અને કઠોર હોઈ અનાર્ય જ હોવાનો. અને જો પુરુષના મુખસ્થાને વિરાજવા લાયક ગણાયેલ બ્રાહ્મણમાં અને તે પણ ચિત્તને પાવન કરવાની ખ્યાતિ પામેલ બ્રાહ્મણવંશમાં તેવો અનાર્ય સંસ્કાર ઉદ્ભવે તો પછી હિંદુજાતિ અને બ્રાહ્મણશ્રેષ્ઠ માટે કયું સારું તત્ત્વ બચવા પામ્યું ગણાય? આ વિચારથી પણ સમજદારો કકળી ઊઠે છે અને આંસુ ખાળી શકતા નથી. હવે દિલાસો કોણ આપશે? – એ જ એકમાત્ર આપણી ઝંખના છે. જે દિલાસો આપવા આવે તે જ દિલગીરી, ગમગીની અને શોકનો ભોગ બને છે. પ્રસન્ન વદને અને હિમ્મતભરેલ હૃદયે આવીને કોઈ આશ્વાસન આપે એવું નજરે નથી પડતું. ત્યારે પણ છેવટે બાપુજી જ પોતાના વિયોગથી કકળી ઊઠેલ દુનિયાને આશ્વાસન આપતા દેખાય છે. જાણે બાપુજી અદશ્ય રહી સહુને એકસરખી રીતે કહેતા ન હોય કે તમે શું મને નથી ઓળખ્યો? અને ઓળખ્યો હોય તો રડો છો કેમ? શું ક્યારેય રડ્યો હતો? શું મેં તમને પ્રસન્ન વદને કર્તવ્ય કરવા અને મરી ફીટવા નથી કહ્યું? મેં જે તમને કહ્યું હતું તે જ જો મેં આચર્યું છે એમ તમને લાગતું હોય અને તમે મારા ઉપર એવો જ વિશ્વાસ ધરાવતા હો તો પછી રડો છો શાને ? ગળગળા થાઓ છો શાને? રડવું, દીન બનવું, અનાથતા અનુભવવી એ ગીતામાં કે કોઈ પણ ધર્મશાસ્ત્રમાં વર્ય જ મનાયું છે, તો તમે મને શ્રદ્ધાંજલિ આપનાર બધા બહાદુર બનો અને સત્ય તેમજ કરુણાનું આચરણ કરવાના મૃત્યુંજયી યુદ્ધમાં ખપી જાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy