SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ અંતે આશ્વાસન કોનાથી મળે છે? - ૭ એની સક્રિય વિચારણાઓ પણ એકસરખી ચાલતી હોય. આવું મહાકરુણાનું વિરાટ દેશ્ય શું જગતે કદી જોયું હતું? તેથી જ તો આજ બધા રડી રહ્યા છે, સહુને અનાથતા લાગે છે, – પછી ભલે તે ગમે તેવો સમૃદ્ધ કે શૂર હોય, અગર નમ્ર સેવક કે મહાન અધિકારી હોય, – એમ લાગે છે કે જે કામ આપણા ગજાની બહારનું હતું અને છે, તે કામને એક જ માણસ પોતાની સૂઝથી પહોંચી વળતો. આ લાગણી જ સૌને રડાવી રહી છે. હિંદુસ્તાનની બહારના સમજદાર લોકો પણ એમ માનતા કે આપણા વિશ્વશાંતિના પ્રયત્નો રેતી ઉપરના મહેલ જેવા છે. એ પ્રયત્નો પાછળ કોઈ નક્કર ભૂમિ નથી. વિશ્વશાંતિ માટે જે નક્કર ભૂમિ જોઈએ તે કોઈને સમજાતી નથી અને સમજાય તો તે અવ્યવહારુ લાગતી, એવે વખતે આવી નક્કર ભૂમિકા સુઝાડનાર અને તેને એકલે હાથે વ્યવહારુ સિદ્ધ કરી બતાવનાર પુરુષને હિંદ જન્મ આપ્યો છે. એ જ ક્યારેક ક્લેશકલહથી ટેવાયેલ માનવતાને સ્થાયી શાન્તિના સંસ્કારો પૂરા પાડશે. આવો આશાસ્તંભ પડે ત્યારે તેઓ કેમ ન રડે ? અને આપણે જોઈએ છીએ કે હજી રુદન કરતાં કોઈ થાકતું નથી. જો બાપુજી મહાન કરુણાની વિરાટ મૂર્તિ હોય તો તેમના વિયોગનું દુઃખ તેથીયે પણ વિરાટ હોય જ. આ ઉપરાંત બીજા કારણે પણ આપણા દુઃખમાં વૃદ્ધિ થાય છે. આપણે જાણતા હતા કે સોક્રેટિસની હત્યા ગ્રીકોને હાથે થાય, ક્રાઈસ્ટની હત્યા ન્યૂ લોકોના હાથે થાય, પણ હિંદુ માનસ તો એમના જેવા મહાસંત કે ઋષિ કે તપસ્વીના ખૂનનો વિચાર સુધ્ધાં કરી શકે નહિ. હિંદુ માનસના આવા ગૌરવથી આપણું મન ઉન્નત હતું. રાજલોભના કારણે અને બીજાં કારણોએ હિંદુ જાતિમાં પણ અનેક ખૂનો થયાં છે પણ કોઈ સાચા તપસ્વી કે સાચા સંતનું ખૂન તેના કટ્ટરમાં કટ્ટર વિરોધી હોય એવા હિંદુને હાથે કદી પણ થયું નથી. હિંદુ માનસમાં આવો જે ભવ્યતાનો અને ધર્મનો ઊંડો સંસ્કાર હતો તે સંસ્કારના લોપથી – તેને લાગેલ કલંકથી આખું હિંદુ માનસ જાણે શરમાઈ ગયું છે અને એ જ ઊંડી શરમ પણ તેનાં આંસુની વાટે જાણે વહી રહી છે. હિંદુ કલ્પના પ્રમાણે માનવતારૂપ પુરુષનું મુખ બ્રાહ્મણ, બ્રાહ્મણ મુખ બન્યો તે એના ગુણોને કારણે. ક્યા ગુણો ? શું ઘાતકતાના? નહિ, નહિ, કદી નહિ. નરમેધપશુમેધનની પાકૃત ભૂમિકામાંથી બ્રાહ્મણ ક્યારનોય ઊંચે ચડ્યો હતો અને તેણે તો યજ્ઞમાં પિષ્ટમય પશુને સ્થાન આપી અહિંસાની ઉચ્ચ ભૂમિકા પણ સિદ્ધ કરી હતી. એણે સર્વમૂહિતે રત-નો પાઠ સૌને શીખવવા માંડ્યો હતો. એ બ્રાહ્મણ સર્વ ભૂતોના હિતમાં દરેક રીતે રત થયો હતો. એનું જીવન તન્મય થયું હતું. આવા બ્રાહ્મણત્વને કલંકિત કરનાર કોઈ એક બ્રાહ્મણ વ્યક્તિમાં કે નાનામોટા તેવા વર્ગમાં કેમ સંચર્યો હશે શું હિંદુત્વ અને બ્રાહ્મણત્વનો હવે શતમુખ વિનિપાત શરૂ થયો હશે કે જેથી તે સર્વભૂહિતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy