SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. અંતે આશ્વાસન કોનાથી મળે છે ? બાપુજી બ્રહ્મભાવ પામ્યાને આટલા દિવસ વીત્યા પણ આપણાં આંસુ બંધ પડતાં નથી, રુદન અટકતું નથી. રેડિયો ઉપર કોઈની આપેલી અંજલિ સાંભળીએ અગર કોઈપણ પ્રકારનું છાપું સાંભળીએ, – પછી ભલે દૈનિક, સાપ્તાહિક, માસિક કે અન્ય પ્રકારનું હોય, કોઈપણ ભાષાનું હોય, કોઈપણ કોમ, પંથ કે રાષ્ટ્રનું હોય, તો તેમાંથી બાપુજીના નિધનથી વ્યાપેલ શોકને જ વાંચીએ છીએ અને વાંચતાંવેંત જ આપણું હૃદય ભરાઈ આવે છે. કોઈ બીજાને દિલાસો આપનાર બાકી રહેતું જ નથી. આવું રુદન અદ્વૈત જગતે એના ઇતિહાસમાં કદી પણ જોયું હોય તેમ જાણમાં નથી. આવું મહારુદન શા માટે ? ઉત્તર મળે છે કે મહાકરુણાનો વિયોગ પડ્યો છે. બાપુજીની કરુણા કોઈપણ સંત કે મહંતની કરુણા કરતાં નોખા જ પ્રકારની હતી. ત્રિવિધ દુ:ખના તાપથી રહેલ માનવતાને શાન્તિ આપવા માટેની તેમની ધગશ અને તેમના પ્રયત્નો એ પણ જગતે આજ સુધી નહિ જોયેલ એવી જ વસ્તુ છે. એનું વર્ણન કરવા માટે બુદ્ધિ અને વાણીનાં સાધનો સર્વમિમત્વત્વ મવત્તિ – એ ન્યાયે અલ્પમાત્ર બની જાય છે, અધૂરાં પડે છે. - જ્યારે હિજરતીઓને કોઈ આશ્વાસન કે દિલાસો આપવા અશક્ત હોય, જ્યારે અપહત સ્ત્રીઓને કોઈપણ ખૂણામાંથી ઉદ્ધારની આશાનું કિરણ ન દેખાતું હોય, જ્યારે કોઈપણ એક વર્ગ ઉપર તેના વિરોધી વર્ગ દ્વારા અકથ્ય સતામણી ચાલી રહી હોય, અને જ્યાં સરકારો કે બીજા શુભેચ્છકોના કોઈપણ પ્રયત્નો કારગત ન થતા હોય ત્યાં તે દરેક દુ:ખીને પોતાના અંગત ચરિત્રબળ કે તપસ્યાબળથી રાહતનો દમ કોણ ખેંચાવતું ? એ તો બાપુજીની જીવતી અને અવિશ્રાન્ત કામ કરતી કરુણા જ હતી. બાપુજી અમારા માટે કાંઈક ક૨શે જ એવી ખાતરી દરેક દુઃખીને દિલાસો આપતી. અને બાપુજીનો દુઃખની માહોળી ઠારવાનો પ્રયત્ન પણ કેવો અદ્ભુત ? નોઆખલીમાં વર્તેલ કાળા કેરના અગ્નિને તેઓની કરુણા એક રીતે ઠારે તો કલકત્તામાં વર્સેલ હત્યાકાંડને બીજી રીતે. બિહારમાં સળગેલી હોળીને એક રીતે શમાવે તો દિલ્હના મહાદાવાનળને બીજી રીતે. આગમાં રહીને આગ બૂઝવવાના પ્રયત્નો ચાલુ હોય ત્યારે પણ પાકિસ્તાનના દૂર દૂરના ભાગોમાં સળગી રહેલ જ્વાળાઓ કેવી રીતે શમાવવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy