SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી • ૧૫૫ ને હું વિશેષ મુગ્ધ બની ગયેલો. દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં એક સંમેલનમાં તેઓ પધાર્યા હતા. કાકાસાહેબે તેમની ઓળખાણ આપતાં એ કહ્યાનું યાદ છે કે આચાર્યજીની ઓળખાણ માટે એમની સ્વાર્થ' માસિકમાં લખેલી આર્થિક સમસ્યા ઉપરની નોંધ જ પૂરતી છે. આ વખતે હું ગુજરાત પુરાતત્વ મંદિરમાં અને વિદ્યાપીઠમાં જ હતો. એમની સાથે પ્રત્યક્ષ સંપર્ક સધાયો. તેઓ ગુજરાતી સૈમાસિક પુરાતત્ત્વ'માં છપાતા મારા લેખો વાંચતા હશે એ તો મારી કલ્પનામાંય ન હતું, પણ જ્યારે એ જાણ્યું કે તેમની સંશોધક બુદ્ધિ પ્રત્યે વિશે, આદર ઉપજો. આ આદરને લીધે વધારે પ્રત્યક્ષ સંસર્ગમાં આવવાની દૃષ્ટિએ હું કલકત્તાથી પાછાં ફરતાં પહેલી જ વાર કાશી વિદ્યાપીઠમાં તેમનો મહેમાન થયો, જ્યારે સાથે જમવા બેઠા ત્યારે ત્યાંનું અધ્યાપકમંડળ, વિદ્યાર્થી મંડળ, અને ભોજનની સાદગી ઈત્યાદિ વાતાવરણ જોઈ મને એક ઋષિ-આશ્રમનો અનુભવ થયો. રહ્યો ત્યાં લગી માત્ર વિદ્યાર્થી અને સંશોધનની જ ચર્ચા. એમણે એ પણ કહ્યું કે અમે ત્રમાસિક ગુજરાતી પુરાતત્ત્વની જેમ એક સંશોધનપત્ર પણ કાઢવા વિચારીએ છીએ. ઇત્યાદિ અધ્યાપક ધર્માનંદ કૌશાંબીજી આચાર્યજીની ઉદારતા અને નિખાલસતાને લીધે એટલા બધા આકર્ષાયેલા કે જ્યારે અમદાવાદ અને મુંબઈ છોડ્યું ત્યારે એમણે કાશી વિદ્યાપીઠમાં રહેવાનું પસંદ કર્યું. ૧૯૩૪ના લગભગ સપ્ટેમ્બર માસમાં એક પ્રસંગ આવતાં મેં કાશી વિદ્યાપીઠમાં આચાર્યને ત્યાં રાતવાસો રહેવાનું નક્કી કર્યું. તેમને જાણ કરી જ્યારે તેમના મકાને હું ગયો ત્યારે સાંજ હતી. એમણે જમવા, સૂવા આદિની વ્યવસ્થા તો કરી જ, પણ ચર્ચા-વિચારણામાં એટલો બધો સમય આપ્યો કે હું તેમના સહજ વિદ્યાપ્રેમ અને સૌજન્યથી જિતાઈ ગયો. એકવાર પજુસણનો પ્રસંગ આવ્યો. હિંદુ યુનિવર્સિટીના જૈન વિદ્યાર્થીઓએ આપમેળે અમદાવાદ-મુંબઈની પેઠે વ્યાખ્યાનમાળા ચલાવવા ઠરાવ્યું. કોને કોને આમંત્રવા એ પ્રશ્ન મારી સામે હતો. જેમ બાબુ શ્રીપ્રકાશજી(મદ્રાસના અત્યારના ગવર્નર)ને આમંત્ર્યા તેમ આચાર્યજીને પણ. આચાર્યજીએ નાદુરસ્ત તબિયતે પણ આવીને હિંદીમાં એક ભાષણ આપ્યું. ઘણું કરી એ વિષય હતો. સમાજવાદ યા સામ્યવાદ. એમણે ઐતિહાસિક દૃષ્ટિએ વિષયની એટલી બધી છણાવટપૂર્વક સ્પષ્ટ ચર્ચા કરી કે શ્રોતાઓ ધન્યતા અનુભવવા લાગ્યા. એ વખતે ડો. આનંદશંકર ધ્રુવજી પણ કાશીમાં જ હતા. આમ એમનો પરિચય વધારે ઊંડો થતો ચાલ્યો. આચાર્યજી જ્યારે પ્રસંગ આવતો ત્યારે જેલના મહેમાન થતા. ભારત છોડો'ની ગર્જના થઈ અને જેલો ભરાવા લાગી. આચાર્યજી કંઈ પાછા થોડા જ રહે? પણ જેલમાં તેઓ જતા ત્યારે એક ઉગ્ર તપ કરતાં. એમનું તપ એટલે નવું નવું અધ્યયન અને લેખન. એકવાર મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં હું બેઠેલ. શ્રી એન. સી. મહેતા હતા; તેમાં આર્ચાયજી અચાનક આવી પહોંચ્યા. હું એમના દમના વ્યાધિ વિશે અને જેલમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy