SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. તેજસ્વી તારક આચાર્યશ્રી નરેન્દ્રદેવજી જૈન” પત્રના જે વાચક કેળવણી, રાષ્ટ્રીયતા અને વિદ્યોપાસનાના વિશાળ ક્ષેત્રથી સાવ દૂર હશે તેઓ જ આચાર્યશ્રી નરેન્દ્રદેવજીનું નામ અને કામ જાણતા ન હોય એમ કહીએ તો તે યોગ્ય જ ગણાશે. આચાર્યશ્રીનો સ્વર્ગવાસ તેમના વતનથી બહુ દૂર દક્ષિણ ભારતમાં થયો. એના સમાચાર વીજળીવેગે ક્ષણમાત્રમાં સર્વત્ર પહોંચી ગયા. જેણે જેણે એ સમાચાર સાંભળ્યા અને જે તેમને થોડે ઘણે અંશે જાણતા અને ખાસ કરીને જે તેમના કાર્ય અને વ્યક્તિત્ત્વથી પ્રત્યક્ષ પરિચિત હતા તે બધાએ એ સમાચારથી એવો ઊંડો આંચકો અનુભવ્યો છે કે જે નિકટના સ્વજનના વિયોગથી પણ ભાગ્યે જ અનુભવાય. હું મારી વાત કહું તો કહી શકું કે એમના મૃત્યુસમાચારથી હું પણ ક્ષણભર અવાફ અને આભો બની ગયો. આજે દેશભરનાં તમામ છાપાઓમાં અને સાર્વજનિક સ્થળોમાં તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પાઈ રહી છે. રાસ્પતિ, શ્રી નહેરુ વગેરે તમામ રાષ્ટ્રપુરુષો અને વિદ્વાનો પણ આઘાત અનુભવી રહ્યા છે. જે જન્મે છે તે મરે છે. આચાર્યશ્રીનું મૃત્યુ એ જ નિયમને આધીન છે, તો એ સૌમાં આવો આઘાત પેદા કેમ કરે છે? – એ સવાલ છે. એનો ઉત્તર તેમની વિશાળ માનવતા અને કારકિર્દીમાંથી મળી રહે છે. આ સ્થળે એમના સીધા પરિચયમાંથી કેટલાંક સ્મરણો નોંધું તો એમના વ્યક્તિત્વનો કાંઈક ખ્યાલ વાચકોને આવી શકશે. આચાર્યશ્રી વકીલાત કરતા. શ્રી ગાંધીજીની હાકલે જેમ બીજા અનેક વિશિષ્ટ પુરુષોને સ્વાતંત્ર્યના જંગમાં આકર્ષ્યા તેમ આચાર્યશ્રીને પણ ખેંચ્યા. એમણે બધો જ ખાનગી વ્યવસાય તજી દેશ અને કેળવણી માટે ભેખ લીધો. કાશી વિદ્યાપીઠ, જે રાષ્ટ્રીય સ્વાતંત્ર્યયુદ્ધનું એક ફળ છે તેમાં એ જોડાયા. તેઓ જેમ અધ્યાપક હતા તેમ વક્તા અને લેખક પણ. હું પહેલવહેલાં એમના હિંદી “સ્વાર્થ માસિકમાં અને બીજાં પત્રોમાં પ્રસિદ્ધ થતાં લખાણોથી પરિચિત થયો. તેઓ તત્ત્વજ્ઞાન વિશે, ખાસ કરીને બૌદ્ધ પરંપરાને આશ્રયી લખતા. શ્રી રાહુલ સાંકૃત્યાયનને દેશવિદેશની વિદ્યાયાત્રામાં બધી રીતે પ્રોત્સાહન આપતા, પણ તેઓ શુષ્ક તત્ત્વજ્ઞ ન હતા. તેઓ અર્થશાસ્ત્રના અભ્યાસી હતા. એમ યાદ આવે છે કે આર્થિક કોઈ સમસ્યા પરત્વે એમનો હિંદી લેખ મેં સાંભળેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy