SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ • અર્થ પ્રકાશનની પ્રવૃત્તિ થઈ છે તે જૈનચેરને આભારી છે. એને લીધે ભણનાર તો કેટલાક આવ્યા અને ગયા પણ તેમાંથી કેટલાકની યોગ્યતા અને પદવી ગણનાપાત્ર છે. કેટલાક જૈનદર્શનના આચાર્ય થયા તો કેટલાક સાથે સાથે એમ.એ. અને પીએચ.ડી. પણ. એમાંથી પાંચેક તો પ્રોફેસરના ઉચ્ચપદ ઉપર પ્રતિષ્ઠિત છે. કાશી જૈનચેરની ભાવનાએ કેટલાક અસાંપ્રદાયિક માનસ ધરાવનાર પણ જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનો ઉત્કર્ષ ઇચ્છનાર પંજાબી ભાઈઓને પ્રેર્યા અને ૧૯૩૭થી શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમની સ્થાપના થઈ. આગળ જતાં જૈન કલ્ચરલ રિચર્સ સોસાયટી સ્થપાઈ. આમ જેલચેર અધ્યાપનનું કામ પૂરું પાડે. પાર્શ્વનાથ વિદ્યાશ્રમ વિદ્યાર્થીઓને રહેવા-ખાવા-પીવા આદિની સગવડ પૂરી પાડે, વિશિષ્ટ પુસ્તકાલયની સગવડ આપે અને કલ્ચરલ રિસર્ચ સોસાયટી સુનિષ્ણાત વિદ્વાનોના ચિંતન-લેખનને મૂર્ત રૂપ આપે. આ રીતે આ ત્રણેય અંગો એવી રીતે સંકલિત થયાં છે કે તે એકબીજાના પૂરક અને પોષક બની માત્ર જૈન પરંપરાની જ નહિ, પણ ભારતીય-અભારતીય વિદ્વાનોની નવયુગીન અપેક્ષાને અમુક અંશે સંતોષી રહ્યાં છે. હું અત્યારે ત્યાંની જે સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં પુસ્તકો અને પત્રિકાઓ પ્રસિદ્ધ થયાં છે અને જે ઉચ્ચ કક્ષાના વિદ્યાવર્તુળમાં આદરપૂર્વક વંચાઈ રહ્યાં છે તેની વાદી આપવા નથી બેઠો. આટલુંય સ્મરણ આપવાનો મારો ઉદ્દેશ એટલો જ છે કે શ્રી મોહનલાલ દેસાઈની અને ઝવેરીની અનિવાર્ય પ્રેરણા ન હોત અને કોન્ફરન્સે મારી અસાંપ્રદાયિક વિદ્યાવૃત્તિનો ઉપયોગ કરવાની ઉદારતા પૂરી રીતે દાખવી ન હોત તેમજ ચેરને અંગેની જરૂરિયાતોની માગણીને સર્વાનુમતિએ વધાવી લીધી ન હોત તો હું કાશીમાં ગયો જ ન હોત, ગયો હોત તો સ્થિર થયો ન હોત અને ક્રમે ક્રમે ત્યાં જે વિકાસ થયો છે તેની શકયતા પણ ભાગ્યે જ આવી હોત. આ ટૂંકું પણ આવશ્વક સ્મરણ એ સૂચવે છે કે કોન્ફરન્સ સાથે અને તે દ્વારા શ્રી મોહનભાઈ સાથે મારો શો અને કેવો સંબંધ રહ્યો છે. જો આટલું પણ સ્પષ્ટ થયું હોત તો હવે એ કહેવાની જરૂર નથી રહેતી કે કૉન્ફરન્સ દ્વારા તૈયાર કરાવેલ સદ્ગત મોહનભાઈના તૈલચિત્રને ખુલ્લું મૂકવાના ઔપચારિક વિધિમાં મારું શું સ્થાન છે. તૈલચિત્રના અનાવરણ પ્રસંગે તૈલચિત્રમાં સમાયેલ ગર્ભિત અર્થ જણાવવો અને તે દ્વારા કૉન્ફરન્સની પ્રવૃત્તિનું દિશાસૂચન કરવું અને મારી આવશ્યક ફરજ સમજું છું. એ ફરજમાંથી ચૂકું તો મારો અહીં આવવાનો ખાસ અર્થ મારી દૃષ્ટિએ રહે જ નહિ. તૈલચિત્ર એ તો પ્રતીક છે. એ પ્રતીક વિદ્યોપાસના, સાહિત્યસેવા અને નિષ્ઠાનું છે. પ્રતીકની કોઈ સ્વતંત્ર અને નિરપેક્ષ પ્રતિષ્ઠા હોતી જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy