SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ • અર્થ લોયમેન, વેબર, યાકોબી આદિ જર્મન વિદ્વાનોએ જૈન પરંપરા ને તેના સાહિત્યને લગતો ઇતિહાસ લખવાની પહેલ કરી. ફ્રેંચ અને અંગ્રેજી ભાષામાં પણ જૈન પરંપરાને લગતા અધ્યયનનો પ્રારંભ થયો, પણ ભારતીય ભાષાઓમાં આધુનિક દષ્ટિએ અને સંશોધક વિદ્વાનોને ઉપયોગી થાય એ પ્રકારના સાહિત્યિક ઇતિહાસનો અતિ અલ્પ પણ મહત્ત્વનો પાયો શ્રી મોહનભાઈએ નાખ્યો. હવે તો એ દિશામાં માગણી અને જિજ્ઞાસાને અનુરૂપ એવા નવીન પ્રયત્નો શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરામાં થઈ રહ્યા છે, પણ તેમાંય મોહનભાઈના જૈન સાહિત્યના ઇતિહાસનું સ્થાન છે જ. એમની મહતી કૃતિ, અને મારી ધારણા સાચી હોય તો, તેમની તબિયત ઉપર જીવલેણ ફટકો મારનાર કૃતિ એ તો જૈન ગુર્જર કવિઓ' છે. એમણે ભારત જેવું કામ એકલે હાથે કેવી રીતે સંપન્ન કર્યું એ નવાઈ જેવું લાગે છે, પણ જેણે જેણે તેમને એ કામ કરતા જોયા છે તેઓ જાણે છે કે એ કામમાં તેમણે કેટલી શક્તિ, કેટલો સમય અને કેટલો અંગત ખર્ચ અર્પિત કર્યો છે. એક રાતે મેં જોયું કે હું તો સૂઈ ગયો છું અને તેઓ બાર વાગ્યા પછી મારી સાથેની ચર્ચા પૂરી કર્યા બાદ જાગતા બેઠા છે. તેમની બીડી અને કલમ બંને સમાન ગતિએ કામ કરતાં હતાં. બે વાગે તેઓ સૂતા. સવારે મને કહ્યું: “મારો રોજિદો કાર્યક્રમ આ જ છે. દિવસે વચ્ચે વિક્ષેપ આવે, પણ રાતે નિરાકુળતા. એકવાર તેમની સાથે કૉર્ટમાં ગયો, ત્યાંય જોયું કે પૂરો સાથે હતાં, અને વખત મળે કે જતા. મેં દાદર, ઘાટકોપર અને મુલુંદ એ સ્થળોમાં તેમને અનેકવાર કામ કરતા જોયા છે. રાત રહે તો કામ લેતા આવે. મેં પૂછ્યું : “આ ભાર શો ?” તો કહે “પરિશિષ્ટોનું કામ ચાલે છે. ન કરું તો કરે કોણ ? અને રહી જાય.’ અહીં સિંઘી જૈન સિરીઝમાં પ્રસિદ્ધ થયેલ એમનું અંગ્રેજી પ્રસ્તાવાનાવાળું વિશિષ્ટ સંપાદન “ભાનુચંદ્ર – સિદ્ધચંદ્ર કોઈ પણ સ્કોલરનું ધ્યાન ખેંચ્યા વિના રહે તેમ નથી એ યાદ રાખવું ઘટે. શ્રી મોહનભાઈની પ્રકૃતિ સારા કામમાં કંઈક ને કંઈક ભાગ લેવો જ એવી હતી. એમ કરવામાં તેઓ પોતાની મુશ્કેલીનો વિચાર ભાગ્યે જ કરે. તેઓની આવક મર્યાદિત અને કૌટુંબિક જવાબદારીઓ વધારે હતી. એનો નિર્દેશ મેં પહેલાં કર્યો જ છે. એકવાર એક કામનો વિચાર ચાલતો હતો ત્યારે તેઓ આવીને મને કહે, “પંડિતજી, આમાં હું પાંચસો રૂપિયા આપીશ.’ હું તો સાંભળી જ રહ્યો. મેં કહ્યું: “મોહનભાઈ, તમારા માટે તો આ બહુ કહેવાય.' તો કહે કે “મને આ કામ પસંદ છે, એટલે મારે એમાં ભાગ લેવો જોઈએ. આમ શ્રી મોહનભાઈનું જીવન અર્પણનું જીવન હતું એ જોઈ શકાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy