SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક સંસ્મરણો • ૧૨૩ પ્રિય કામ પાછળ જ જીવન વ્યતીત કરવું ઘટે.’ તેમણે જવાબમાં કહ્યું કે, “મારી ઈચ્છા પણ એવી જ છે. હું એ જ દૃષ્ટિથી કેટલીક કૌટુંબિક ગોઠવણ એવી કરવા વિચારું છું કે મુંબઈનું ખર્ચાળપણું ઓછું થાય. કોઈ સંસ્થા પાસેથી કાંઈ લીધા સિવાય આજ લગી કર્યું છે તેમ કામ કરે અને છેલ્લા જીવનનો શાન્ત ઉપયોગ કરી લઉં.” આવી ભાવના સેવનાર એ કર્મયોગીની સ્થિતિ જ્યારે સને ૧૯૪૪ના પજુસણ પ્રસંગે અમે જોઈ ત્યારે અમને બધાને એમના જીવનવિષે ઊંડી ચિંતા વ્યાપી. ઉપસંહાર શ્રીયુત મોહનભાઈની પ્રવૃત્તિ વિવિધ હતી. છતાં જૈન શ્વેતાંબર કોન્ફરન્સના અને મહાવીર જૈન વિદ્યાલય – એ બે સંસ્થાઓ સાથે એમનું તાદામ્ય સૌથી વધારે હતું. એના વિકાસમાં તે વધારે ને વધારે રસ લેતા. કૉન્ફરન્સના સંચાલકોએ મોહનભાઈની સેવાનું ઘટતું સન્માન કરવા તેમની યાદગાર કરવા માટે એક ફંડ ઊભું કર્યું છે. જેમાં તત્કાલ જ કેટલીક રકમ એકઠી થઈ ગઈ છે. પણ એ સંચાલકોએ અને મોહનભાઈના બીજા મિત્રોએ તેમજ પરિચિતોએ એ ફંડ વધારવા વિશેષ વ્યવસ્થિતપણે ત્વરિત પ્રયત્ન કરવો ઘટે છે. સારું સરખું ફંડ મેળવી મોહનભાઈના સ્મારક તરીકે કોન્ફરન્સ કાંઈપણ એક આવશ્યક અને ઉપયોગી એવી સાહિત્ય પ્રકાશન-સંપાદનની પ્રવૃત્તિ શરૂ કરે તો તે બધી રીતે વ્યાજબી ગણાય. આપણે ઇચ્છીએ કે કૉન્ફરન્સના મંત્રીઓ અને બીજા સદ્ભાવશીલ ગૃહસ્થો આ વસ્તુ તરત ધ્યાનમાં લે. - પ્રબુદ્ધ જૈન, ૧૫, ફેબ્રુઆરી ૧૯૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy