SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ - અર્થ મુક્ત કર્યા તોપણ મોહનભાઈ ઠેઠ સુધી દરબારીલાલજીને ખૂબ સત્કારતા અને તેમના કાર્યમાં યથાશક્તિ મદદ પણ આપતા. વિનોદપ્રિયતા અને મિલનસારપણું મોહનભાઈને જેમ મિત્રો અને પરિચિતોનો વિનોદ કરવો ગમતો તેમ તેમનો બીજો કોઈ ગમે તે રીતે વિનોદ કરે તે પણ એમને ગમતું. વિનોદ કરવા કે સાંભળવામાં તેમની પ્રકૃતિનું મુખ્ય તત્ત્વ ખડખડ હાસ્ય હતું. એમનો સ્વર જેટલો ઊંચો તેટલું જ તેમનું હાસ્ય મુક્ત વિનોદી અને આનંદી સ્વભાવનો એક દાખલો અત્રે બસ થશે. બેલગામના પ્રવાસ વખતે મોહનભાઈએ એક સ્થળે પોતાના પ્રિય મિત્ર શેઠ હરગોવિંદદાસ સાથે દોડવાની શરત મારી કે કોણ આગળ જાય છે. એ કાઠિયાવાડી ફેંટો, પ્રૌઢ ઉંમર અને સભળભભળ ધોતિયું છતાં હિંમતથી તેઓ દોડ્યા અને આગળ જવાના ઉત્સાહમાં ખ્યાલ ન રહેવાથી પડી પણ ગયા. કાંઈક વાગ્યું છતાં એટલી જ તાજગીથી પાછા પોતાના પક્ષનો બચાવ કરવા લાગ્યા. એમના સ્વભાવનો એક ખાસ ગુણ મિલનસારપણું હતો. ગમે તેની સાથે એકરસ થઈ જતાં તેમને વાર ન લાગે. વિચારો કે ચર્ચામાં ઘણે પ્રસંગે બીજાથી જુદા પડે ત્યારે ઊંચે અવાજે પોતાનો વિરોધ પ્રગટ કરે. પણ પાછા વિરોધી સાથે મળી જવામાં તેમને કોઈ તત્ત્વ રોકે નહિ. એટલી નિખાલસતા તેમનામાં જોવામાં આવતી. અમે ઘણીવાર કહીએ કે, “મોહનભાઈ! તમે બહુ મોટાં પોથાં પ્રગટ કરો છો અને ખૂબ લાંબું લખો છો.” ત્યારે તદ્દન નિખાલસ ભાવે પણ ખડખડાટ હસીને નિશાળના માસ્તરોની પેઠે ચાવીને બોલતા હોય એમ સામાને ઉડાવતાં તેઓ કહે કે “તમારા જેવા કાંઈ અમે મૌલિક લેખક નથી.' ઇત્યાદિ. મોહનભાઈને જમવું-જમાડવું ખૂબ ગમતું. તેઓ કહે કે “હું મિત્રો જેટલો સફળ સમારંભ કરી શકતો નથી, પણ મને લોભ નથી, એ વાત સાચી હતી. તેમની પાચનક્રિયા એટલી બધી સારી હતી કે ગમે તેવું ગરિષ્ટ ભોજન તેમને પચી જતું. જમ્યા પછી પણ કાંઈક સારું આવે તો ના ન પાડે. અને જુદે જુદે ખાસ નિમિત્તે ગમે તેટલી વાર પ્રસાદ લેવાનો પ્રસંગ આવે તો તેનો ઇન્કાર ન કરે. હું ઘણીવાર પરિહાસમાં કહેતો કે, - “મોહનભાઈ! તમે પાચનાત્તરાય કર્મનો ક્ષયોપશમ ઉપાર્જિત કર્યો છે, ત્યારે તેઓ કહેતા કે, “તમારે એવો ક્ષયોપશમ નથી એ દુઃખની વાત છે.' છેલ્લો પ્રસંગ સન ૧૯૪૪ના જાન્યુઆરીમાં હું કાશીથી મુંબઈ આવ્યો ત્યારબાદ એકવાર મોહનભાઈ મળવા આવ્યા. તેમણે વાતચીતમાં કહ્યું કે, જૈન ગુર્જર વિમો-ત્રીનો ભા' તદ્દન તૈયાર છે. મારે એની અતિવિસ્તૃત પ્રસ્તાવના લખવી છે. ઇત્યાદિ. મેં કહ્યું, “તમારી રુચિ, શક્તિ, અને પ્રવૃત્તિ જોતાં મને લાગે છે કે હવે તો તમારે નિવૃત્ત થઈ તમારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy