SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ અર્થ હતી એમ તેમની આખી જીવનકથા કહે છે. બાપુજી હરકોઈનાં આધિભૌતિક, આધિદૈવિક, અને આધ્યાત્મિક દુઃખને નિવારવા માટે જ જાણે જન્મ્યા અને મૃત્યુને ભેટ્યા ન હોય ! તેથી જ તેમની કરુણા મહાકરુણા કોટિની હતી એમ માનવું રહ્યું. એમ તો કોઈ ને કોઈ જાતની પ્રજ્ઞા સાચા કવિઓ, લેખકો, કલાકારો અને સંશોધકોમાં હોય છે; પણ જેને યોગશાસ્ત્રમાં શ્વતંગર તરીકે ઓળખવવામાં આવી છે તેવી પ્રજ્ઞા પ્રજ્ઞાશાળી ગણાતા વર્ગમાં પણ મોટે ભાગે નથી હોતી. ઋતંભરા પ્રજ્ઞાની મુખ્ય ખાસિયત એ છે કે તે સત્ય સિવાય બીજા કશાને સંગ્રહી કે પચાવી નથી શકતી. અસત્યનો છાંટો કે અસત્યની છાયા પણ તે સહી કે જીરવી નથી શકતી. જ્યાં અસત્ય, અપ્રામાણિકતા કે અન્યાય જોવામાં આવે ત્યાં તે પ્રજ્ઞા પૂર્ણ રૂપે ભભૂકી ઊઠે છે. અને અન્યાયને મિટાવી દેવાના દઢ સંકલ્પમાં જ પરિણમે છે. બાપુજીની દરેક પ્રવૃત્તિ એમની ઋતંભરા પ્રજ્ઞાની સાબિતી છે, તેથી જ તેમની પ્રજ્ઞાને પણ મહાપ્રજ્ઞા કહેવી પડે છે. પ્રશ્ન એ છે કે બાપુજી આપણા જ જેવું માટીનું પૂતળું હતા. તેમનો શરીર-જન્મ પણ બીજાની પેઠે અમુક દેશ અને અમુક કુળમાં થયેલો. તેમ છતાં બીજા કોઈમાં નહિ અનુભવાયેલ એવી મહાકરુણા અને મહાપ્રજ્ઞા તેમને સહજ રીતે ક્યાંથી વરી? આનો ઉત્તર શરીર-જન્મમાંથી મેળવી નથી શકાતો. સંસ્કાર-જન્મ, ચિત્ત-જન્મ કે આત્મ-જન્મની વિચારણામાં જ એ પ્રશ્નનો સહજ ઉત્તર મળી રહે છે. જન્મ-જન્માન્તરની સાધનાનું સંચિત પરિણામ ન હોય તો બાલ્યકાળથી આવી કરુણા અને પ્રજ્ઞાનાં બીજો લાધવાં અસંભવ છે. છેક નાની ઉંમરનું બાપુજીનું જીવન કહે છે કે તેમનામાં કરુણા અને પ્રજ્ઞાનાં સૂક્ષ્મ બીજો વિદ્યમાન હતાં. જેમ જેમ ઉંમર, અભ્યાસ, અવલોકન અને જવાબદારીઓ વધતી ગઈ તેમ તેમ એ સૂક્ષ્મ બીજો ત્વરિત ગતિએ વિકસતાં અને ફાલતાં-ફૂલતાં ગયાં. બીજાનું દુઃખ નિવાર્યા સિવાય અજંપો વળવાની અને અન્યાયનો સામનો કર્યા વિના ચેન નહિ પડવાની એમની વૃત્તિએ એમને માટે એટલાં બધાં વિવિધ અને એટલાં બધાં મોટાં કાર્યક્ષેત્રો સર્જાવ્યાં કે કોઈપણ એક માનવીના જીવનમાં ઇતિહાસે એવી ઘટના નોંધી નથી. કરુણા અને પ્રજ્ઞાનાં જન્મસિદ્ધ સૂક્ષ્મ બીજોએ માત્ર કબીરવડનું જ રૂપ ધારણ કર્યું ન હતું, તેણે વિશ્વવટનું રૂપ ધારણ કર્યું હતું, એમ તેમના છેલ્લા ઉપવાસો અને દિલ્હીમાં પ્રાર્થના વખતે થતાં પ્રવચનો જોતાં કહેવું જોઈએ. કરુણા અને પ્રજ્ઞા એ આધ્યાત્મિક તત્ત્વો છે, શાશ્વત છે. એનો વિકાસ અને એની દશ્યમાન પ્રવૃત્તિ જોકે મર્યાદિત શરીરવાટે જ થાય છે, પણ તે તેટલા મર્યાદિત શરીરમાં સમાઈ નથી રહેતી. એનાં આંદોલનો અને એની પ્રતિક્રિયાઓ ચોમેર પ્રસરે છે. બાપુજીની કરુણા અને પ્રજ્ઞાનાં આંદોલનો માત્ર અમુક કોમ કે અમુક દેશ પૂરતાં જ રહ્યાં નથી, દુનિયાના દરેક ભાગમાં વસતી દરેક કોમમાં એના પડઘા પડ્યા છે અને તેથી જ આખી દુનિયા આજે આંસુ સારી રહી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy