SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. કરુણા અને પ્રજ્ઞામૂર્તિનું મહાપ્રસ્થાન* બાપુજીના આખા જીવનની નાનીમોટી સમગ્ર પ્રવૃત્તિઓનાં પ્રેરક બે જ તત્ત્વો હતાં, એમ વિચાર કરનારને જણાયા સિવાય નહિ રહે. એ બેમાંનું પ્રથમ તત્ત્વ કરુણા અને બીજું પ્રજ્ઞા. પ્રાણીમાત્રમાં અને ખાસ કરી મનુષ્ય વર્ગમાં ઓછેવત્તે અંશે કરુણા હોય જ છે અને ગણ્યાગાંઠ્યા માણસોમાં પ્રજ્ઞા પણ હોય છે. પરંતુ બાપુજીની કરુણા અને તેમની પ્રજ્ઞા વિશ્વની વર્તમાન વિભૂતિઓ તેમજ ભૂતકાળની વિભૂતિઓ કરતાં પણ સાવ નોખી તરી આવે છે. સાધારણ માણસો પોતાના સ્વલ્પ પણ દુઃખને પચાવી નથી શકતા તેથી તેઓ પોતાનું દુઃખ સમજવા અને તેને નિવારવા બનતું બધું જ કરી છૂટે છે, જ્યારે તેઓ બીજાના દુઃખને પચાવી શકે છે. એટલે બીજાઓ દુઃખી છે એમ જોવા છતાં તે દુઃખ નિવારવા તેમની બુદ્ધિ જાગરિત થતી નથી. કેટલાક અસાધારણ કોટિમાં આવે એવા સંતો બીજાના દુઃખને, પોતાના દુઃખની જ જેમ, પચાવી નથી શકતા, તેથી તેઓ પોતાનું દુઃખ નિવારવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ એમ તો એ પ્રયત્ન અને એ તાલાવેલી મર્યાદિત હોય છે. કેમકે એ પ્રયત્ન અને એ તાલાવેલી પોતાના જીવનને ભોગે અગર પોતાના જીવનને હોડમાં મૂકીને નથી સેવાતાં, જ્યારે બાપુજીનું માનસિક બંધારણ સાવ જુદા પ્રકારનું હતું. તેઓ બીજા હરકોઈના દુઃખને પોતાના અંગત દુઃખની જેમ જ પચાવી શકતા નહિ. તેથી તેઓ હરકોઈ દુઃખીનું દુઃખ જોતાં તેનું કારણ શોધતા, તેને નિવારવા ઇલાજ શોધતા અને તે ઇલાજોને અમલી રૂપ આપવા તથા અપાવવા એટલો બધો ઉગ્ર પ્રયત્ન અને ઉગ્ર તાલાવેલી સેવતા કે એને લીધે તેમનું સમગ્ર જીવન અનેકવાર હોડમાં મુકાતું હોય એમ લાગતું. બીજી એક રીતે વિચારીએ તોપણ બાપુજીની કરુણા બીજા કોઈની કરુણા કરતાં જુદી કોટિની હતી એમ લાગે છે. ઘણા જણ એવા છે કે જેઓ બીજાનું શારીરિકઆધિભૌતિક દુઃખ જોઈ તેને સહી નહિ શકે અને તે દુઃખને નિવારવા બનતું બધું કરી પણ છૂટે. વળી બીજા કેટલાક એવા કરુણાવંત હોય છે કે જેઓ બીજાના માનસિકઆધિદૈવિક દુઃખને આધિભૌતિક દુઃખ કરતાં વધારે અગત્ય આપી તેને નિવારવા ઉપર જ વધારે ભાર મૂકે છે. ત્રીજા વળી એવા પણ કરૂણાવંત સંતો હોય છે કે જેઓ તૃષ્ણા જેવી વાસનાઓ કે જે સકળ દુઃખનું મૂળ છે તેને જ ખરું – આધ્યાત્મિક દુઃખ લેખી તેના નિવારણ માટે પુરુષાર્થ કરે છે. પરંતુ બાપુજીની કરુણાને આવી કોઈ મર્યાદા ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy