SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક સંસ્મરણો • ૧૧૯ વાર તેઓ અમદાવાદ આવ્યા અને શહેરમાં ભંડારો જોવા ગયા. ત્યાં જોતાં જોતાં તેમને એક અપૂર્વ વસ્તુ મળી. તેઓ એના આનંદમાં અને ભંડારો જોવાની મળેલી તકનો ઉપયોગ કરવામાં એટલા બધા નિમગ્ન થયા કે સાંજે જમવા પાછા ન ફર્યા. મોડે સુધી રાતે ઉતારા કરી ઘેર પાછા આવ્યા ત્યારે અમે તો બધા રાહ જોઈ સૂઈ ગયેલા. તેમણે બારણું ખખડાવ્યું. “આટલું બધું મોડું કેમ થયું ?” એમ જ્યારે અમારામાંનાં શ્રી મોતીબહેને પુછ્યું ત્યારે તેમણે કહ્યું કે હું જમીને જ આવ્યો છું. પણ કાંઈક એવી વસ્તુ લાવ્યો છું કે સુખલાલજી જાગે અને જાણે તો મને કદાચ ઈનામ આપે.” મને જગાડવામાં આવ્યો. મોહનભાઈ હસીને કહે – “મોડું થયું છે, પણ કાંઈક તમે શોધતા હતા એવી અલભ્ય વસ્તુ લઈ આવ્યો છું.” મેં કહ્યું કે “એવું તે શું લઈ આવ્યા છો ?” “સાંભળો ત્યારે” એમ કહી તેમણે સુગમતી સંભળાવી. “સુજસવેલીમાં ઉપાધ્યાય યશોવિજયજીનું જીવનવૃત્ત તેમના જ શિષ્ય આલેખેલું હોઈ તે ઐતિહાસિક દષ્ટિએ બહુ મહત્ત્વની વસ્તુ હતી. એનો એક ખંડિત ભાગ કેટલાંક વર્ષો અગાઉ મુનિશ્રી જિનવિજયજીને મળેલો. ત્યારથી બાકીના ભાગ માટે ભારે ઉત્કંઠા જાગી હતી. મોહનભાઈએ પૂર્ણ “સુજસવેલી” સંભળાવેલી અને અમે બધા કોઈ એક કીમતી રત્ન લાધ્યું હોય તેટલી ખુશીથી તેમને અભિનંદન આપવા લાગ્યા. અને છેવટે ઇનામમાં મોહનથાળ ખવડાવી મોહનભાઈને સત્કાર્યા. મુંબઈમાં તેઓ તવાવાળા બિલ્ડિંગમાં રહેતા. એકવાર તેમને ત્યાં જ સૂવાનો પ્રસંગ આવતાં મેં તેમને કહ્યું – “તમારે ત્યાં ક્યાં જગા છે? વળી તમે તો મોડે સુધી જાગવાના, ધુમાડા કાઢવાના અને કાગળ કે ચોપડીઓનો ખખડાટ કરવાના એટલે મારે પણ ઉજાગરો કરવો રહ્યો. તેમણે તરત જ નિખાલસ ભાવે કહ્યું – “અલબત્ત, મારી સાંકડી રૂમને પણ ચોપડીઓએ વધારે સાંકડી કરી છે; છતાં સૂવા જેટલી જગા તો કરીશ જ. મને મોડે સુધી જાગી કામ કર્યા વિના ઊંઘ આવવાની નથી અને બીડીની ગરમી વિના મારું એંજિન ચાલે પણ નહીં છતાં તમને વિમ્બ ન નડે એ રીતે હું રૂમ બહાર બેસીને કામ કરીશ.” હું અમદાવાદ કે કાશીથી જ્યારે જ્યારે મુંબઈ આવું ત્યારે તેઓ મને મળે જ, અને સાહિત્ય, ઇતિહાસ, તેમજ તત્ત્વજ્ઞાનના અનેક વિષયોની ચર્ચા કરે. એમની જિજ્ઞાસા અને ચર્ચાવૃત્તિ એટલી પ્રબળ હતી કે તે મને કહેતા કે “તમે દાદર, ઘાટકોપર, મુલુંદ કે શાંતાક્રુઝ જ્યાં ઊતરો ત્યાં તમને અડચણ ન હોય તો અમે રોજ આવવા તૈયાર છીએ. કોર્ટ હશે ત્યારે પણ હું અને મારા મિત્રો સાંજે તો આવી જ શકીએ છીએ. મેં જ્યારે જ્યારે હા પાડેલી ત્યારે કદી મોહનભાઈ ગમે તેટલે દૂર અને સાંજે ગમે તેટલું મોડું થાય છતાંય આવ્યા વિના ભાગ્યે જ રહે. કોર્ટ બંધ હોય તો ઘણીવાર બબ્બે ત્રણ ત્રણ દિવસ શેઠ હરગોવિંદદાસ રામજીને ત્યાં સાથે જ રહે. મોહનભાઈ પોતાનું કામ સાથે જ લઈને આવતા. એટલે જ્યારે એકલા પડે ત્યારે પોતાનું કામ કર્યા જ કરે. તેમને જે જે વસ્તુ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy