SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક સંસ્મરણો • ૧૧૭ મોહનભાઈને આકર્ષેલા. મુનિશ્રી જિનવિજયજી પૂનામાં જ્યારે સાહિત્યનું અને ઐતિહાસિક સંશોધનનું કામ કરતા ને સાધુવેષમાં હતા ત્યારે મોહનભાઈ તેમના કામથી આકર્ષાઈ ત્યાં જતા અને તેમની પાસેથી ઘણું નવું જાણી પ્રેરણા મેળવતા. સ. ૧૯૨૦માં મુનિશ્રીએ સાધુવેષનો પરિત્યાગ કર્યો ત્યારે કેટલાયે તેમના પ્રથમ પરિચિત મિત્રો ચમક્યા અને કાંઈક ઉદાસીન જેવા પણ થઈ ગયા. છતાં મોહનભાઈનો મુનિજી પ્રત્યેનો સદ્દભાવ અને સ્નેહ ઘટવાને બદલે ઉત્તરોત્તર વધતો જ ગયો. જેમ જેમ તેઓ મુનિજીના સ્વભાવ અને સાહિત્યિક, ઐતિહાસિક કાર્યોથી વધારે ને વધારે પરિચિત થતા ગયા તેમ તેમ તેનું મુનિજી પ્રત્યેનું આકર્ષણ વધતું જ ગયું. તે એટલે સુધી કે તેઓ અમદાવાદ આવે તો મુનિજીના જ અતિથિ બને, અને મુંબઈમાં મુનિજી આવી ચડે કે ગમે ત્યાંથી મોહનભાઈ તેમને મળવા પહોંચી જ જાય. મોહનભાઈએ અનેક વાર કહેલું કે મુનિજી ! તમે જ્યારે કયાંય પ્રવાસ કરો ત્યારે મને જરૂર સૂચવશો. કોર્ટની રજા હશે તો હું તેનો ઉપયોગ તમારી સાથે દિવસો ગાળવામાં જ કરીશ. એથી મને મારાં પ્રિય કાર્યોમાં ઉપયોગી થાય એવી ઘણી વસ્તુઓ જાણવા મળશે. અને હું એકલો તો પ્રવાસ કરી પણ ન શકું' એ જ વૃત્તિથી પ્રેરાઈ સને ૧૯૨૪માં બેલગામ કોંગ્રેસ વખતે મોહનભાઈ પ્રવાસમાં સાથે જોડાયા અને વચ્ચે જ્યાં જ્યાં ઐતિહાસિક સ્થળો જોવા ઊતરવાનું બનતું ત્યાં સાથે જ રહેતા. ગુજરાત પુરાતત્ત્વ મંદિરની સાહસિક પ્રવૃત્તિ, સિંઘી સિરીઝની પ્રવૃત્તિ અને છેલ્લે છેલ્લે ભારતીય વિદ્યાભવનની વિવિધ વિદ્યાપ્રવૃત્તિથી મોહનભાઈ કેટલો ઉલ્લાસ અનુભવતા અને કેટલો રસ લેતા તેનો હું સાક્ષી છું. મોહનભાઈ ઉલ્લાસ અને રસના પ્રતીકરૂપે ભારતીય વિદ્યાભવન સિંઘી સિરીઝમાં એક ઐતિહાસિક મહત્ત્વનો ગ્રંથ ભાનુર્વિતિ’ સંપાદિત કરી આપ્યો છે, અને તેની વિસ્તૃત માહિતીપૂર્ણ અંગ્રેજી પ્રસ્તાવના લખી તેમણે પોતાનું કાયમી સ્મરણ રાખ્યું છે. મોહનભાઈ સામાજિક લોકો સાથે રહી સમાજનાં કામો કરતા, કેટલીક રૂઢિઓને અનુસરતા, પણ તેમને તેનું બંધન નહોતું. એમને બંધન હોય તો તે હતું એક માત્ર સદ્ગુણ ઉપાસનાનું. તેથી જ તેઓ ગાંધીજીને એક મહાન પેગંબર તરીકે લેખતા અને તેમનાં સત્ય-અહિંસામૂલક લખાણો વાંચ્યા વિના કદી જંપતા નહિ. વિનમ્ર કર્મઠતા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના રજતોત્સવ પ્રસંગે એક સભામાં વિદ્યાર્થીઓને સંબોધી મોહનભાઈએ કહેલું કે હું તદ્દન ગરીબાઈમાં મામાની મદદથી અભ્યાસ કરી આગળ વધ્યો છું. મને ગરીબાઈ તથા સાધારણ સ્થિતિનું ભાન છે. એ ભાન જ મને નમ્ર બનાવે છે. મારી સતત કામ કરવાની વૃત્તિ પણ એ સ્થિતિને આભારી છે. એ સભામાં તેમના મોઢેથી ઉપરની મતલબના ઉદ્ગારો મેં સાંભળ્યા અને પરિચય દરમ્યાન જાણેલ તેમના સ્વભાવ અને કાર્યપ્રવીણતા સાથે તુલના કરી તો મને તે વખતે જે તેમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy