SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ સ્મરણો • ૧૧૫ પ્રથમ સમાગમ વખતે કાન્ત પરીક્ષક રૂપે કડક છતાં સ્નેહકાળ સ્વભાવના હોય એવું મને ભાન થયું. પણ કદી નહિ સાંભળેલા અને નહિ વાંચેલા એ કાન્તના બહુશ્રુતપણા વિષે અને ઊંડા મનન વિષે મારા મનમાં આદર ઊભરાયો. મને થયું કે વ્યાપાપ્રધાન અને અંગ્રેજીપ્રધાન ગુજરાતમાં પણ શાસ્ત્રની વિવિધ શાખાઓનું ઊંડું પરિશીલન કરનાર કોઈ કોઈ મસ્ત ક્યાંક ક્યાંક ખૂણેખાંચરે પડ્યા છે ખરા. કાન્તમાં બહુશ્રુતપણું અને ગંભીર મનન ઉપરાંત જિજ્ઞાસા તેમજ પરીક્ષક દૃષ્ટિ હતાં એ મને પ્રથમ સમાગમને પરિણામે ક્રમે ક્રમે વધારે સ્પષ્ટ થયું. બીજા સમાગમને પરિણામે મને એમ ભાન થયું કે આ કોઈ મનનશીલા અલખબારો છે. વાત કરતાં અને બોલતાં પણ તેમનું ચિંતનશીલત્વ સામા ઉપર અસર પાડે છે એ મને વધારે સ્પષ્ટ થયું. ત્રીજીવાર માટે મુખ્ય વક્તારૂપે ધર્મ અને વ્યવહારના સંબંધ વિષે બોલવાનું હતું. સભાપતિ એક સુંદર સ્વભાવી વિદ્વાન મૌલવી હતા. સભાના ઉપસંહારમાં મંત્રી તરીકે કાન્ત જ્યારે બોલવા ઊભા થયા ત્યારે તેઓના પૂરી પાંચ મિનિટ પણ નહિ એવા ટૂંકામાં ટૂંકા ભાષણ વખતે હું ખરેખર સમાધિનિમગ્ન થઈ ગયો. એક પણ વાકય વધારે કે ઓછું નહિ. ભાષામાં વિચારમાં જરાયે અસંબદ્ધતા નહિ. કથનનો એક પણ અંશ અપ્રસ્તુત કે અરુચિકર નહિ. ઉચ્ચાર કે ધ્વનિમાં કૃત્રિમતા નહિ, જાતિ કે સંપ્રદાયનો મિથ્યા મોહ નહિ. સત્ય કથનમાં સંકોચ કે ભય નહિ. આ તેઓની વિશેષતા મને તે વખતે અને પાછળનાં સ્મરણોથી ક્રમે ક્રમે વધારે સ્પષ્ટ થઈ. મને એમ પણ લાગે છે કે મેં જેટલા ગુજરાતી વક્તાઓને સાંભળ્યા છે તેમાં કાન્તનું સ્થાન કાંઈક નિરાળું જ છે. આ બધા ઉપરાંત છેલ્લા બે સમાગમોએ મારા ઉપર જે વધારે ઊંડી છાપ પાડી તે તેઓની રાષ્ટ્રીયતા વિષેની. જોકે તેઓ હતા કવિ, લેખક, મનનશીલ સાહિત્યસેવી અને પ્રકૃતિ તથા પ્રકૃતિ પરના તત્ત્વના ગવેષક, છતાં તેઓમાં ગુણજ્ઞતા, સમયજ્ઞતા અને નમ્રતા વિલક્ષણ રીતે એકત્ર મળેલાં હતાં. તેઓ ગાંધીજીની અહિંસાઘોષણા અને રાષ્ટ્રસંદેશમાં વિચારપૂર્વક મુગ્ધ થયેલા એમ મને સ્પષ્ટ જણાયું. ખાદી તેઓને મન કિનખાબ, અતલસ, કે ઝીંકથી પણ વધારે પ્રાણપ્રદ તેમજ મહત્ત્વની વસ્તુ હતી એ એક જ વાત તેઓની સમયજ્ઞતા સમજવા માટે બસ છે. – પ્રસ્થાન, જ્યેષ્ઠ ૧૯૮૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy