SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. સ્મૃતિપટ આદરણીય શ્રી મોતીચંદભાઈ વિષેનાં મારાં સ્મરણો એવાં નથી કે જે વાચકને તેમના જીવન વિષેનું મારું કોઈ વિશિષ્ટ દૃષ્ટિબિંદુ જણાવી શકે, તેમ છતાં શ્રી જીવરાજભાઈ આદેશને અનુસરી મારાં જે આછાં કે પાંખાં સ્મરણો છે તે સંક્ષેપમાં રજૂ કરવા યોગ્ય ધારું છું. ઈસ્વીસન ૧૯૦૪માં કાશી જૈન પાઠશાળા માટે અંગ્રેજી કોઠીનું મકાન ખરીદવાનું હતું, તે અંગે કાંઈક દસ્તાવેજ કામ માટે શેઠ શ્રી વીરચંદ દીપચંદ મોતીભાઈને બનારસ મોકલ્યા; આ વખતે જ સર્વપ્રથમ તેમનું નામ મારી જાણમાં આવ્યું. શ્રીયુત્ કુંવરજીભાઈનું નામ તો જાણતો જ; તેમના આ ભત્રીજા છે ને વકીલાતનો અભ્યાસ કરે છે. એટલી જાણથી તેમના પ્રત્યે મન કાંઈક ઢળ્યું, પણ અમે મળ્યા ન હતા. પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયાં પહેલાં જ પ્રો. યાકોબી ભારતની સાહિત્યયાત્રા સમાપ્ત કરી મુંબઈનો કિનારો છોડવાના હતા. તેમના વિદાયમાન વખતે શ્રી મોતીચંદભાઈનું અંગ્રેજીમાં ભાષણ સાંભળ્યું – જોકે હું તે વખતે અંગ્રેજી સમજતો નહીં. આ તેમનો પ્રથમ સ્વર-પરિચય. ડૉ. બાલાભાઈ નાણાવટીના પ્રમુખપદે મળેલ મુંબઈ કૉન્ફરન્સ પછી તરત જ હું ભાવનગર ગયો હતો. શ્રીયુત્ કુંવરજીભાઈ સાથે કર્મશાસ્ત્રીય તત્ત્વોની ચર્ચા-વાર્તા કરવાનો ઉદ્દેશ હતો. દાદાસાહેબની બૉર્ડિંગમાં કેટલાંક મિત્રોએ શ્રી મોતીભાઈને ચાપાણી માટે આમંત્રેલા. તે વખતે તેમનું ગુજરાતી ભાષણ પ્રથમ જ સાંભળ્યું. રાત્રે શ્રી જૈનધર્મ પ્રસારક સભામાં નિયમિત રીતે હું શ્રી કુંવરજીભાઈ સાથે બેસતો ને મોડે સુધી જુદી જુદી શાસ્ત્રીય ચર્ચાઓ ચાલતી. એક દિવસે વિશેષાવશ્યકભાષ્ય'ની અમુક ચર્ચા પ્રસંગે શ્રી મોતીભાઈને ઉદ્દેશી શ્રી કુંવરભાઈએ કહ્યું કે – સાંભળો, આ દાર્શનિક ચર્ચા. તેઓ જોકે બીજા વાચનમાં મગ્ન હતા. એમ મને લાગ્યું. છતાં પોતાના કાકા પ્રત્યેના બહુમાનથી કે તત્ત્વચર્ચાના રસથી તેઓ સીધી રીતે મારી સાથે થોડીક વાતચીતમાં ઊતર્યાં, પણ મને હજી એમ જ લાગતું કે “ અમે બંને એક બીજાથી બહુ દૂર છીએ. લાલબાગમાં ઉપાશ્રયમાં શ્રી વિજયવલ્લભસૂરિની સમક્ષ શ્રી મોતીભાઈ એક સુપ્રસિદ્ધ આચાર્યને ઉદ્દેશી કાંઈક કહેતા કે હતા, તેમાં મેં એક વાક્ય એ સાંભળ્યું કે તેઓ શૈલી ઉચ્છેદક છે.' જોકે તે આચાર્યશ્રી તેમના માનીતા હતા, કદાચ કુલગુરુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001207
Book TitleArdhya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy