SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આતિક અને નાસ્તિક શબ્દની મીમાંસા • ૮૯ અમુક જ પક્ષોને નિલવ કહેલા, પણ પાછળથી જ્યારે દિગંબર શાખા તદ્દન જુદી પડી ત્યારે તેને પણ નિહ્નવ કહી. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે બે મુખ્ય શાખાઓ શ્વેતાંબર અને દિગંબર એકબીજાને પોતાનાથી ભિન્ન શાખા તરીકે ઓળખાવવા અમુક શબ્દો યોજે છે અને પછી ધીરે ધીરે એક જ શાખામાં જ્યારે પેટાભેદો થવા લાગે છે ત્યારે પણ કોઈ એક પેટા ભેદ બીજા પેટાભેદો માટે તે શબ્દો વાપરે છે. અહીં આપણે એક બાબત ઉપર લક્ષ આપ્યા સિવાય રહી શકતા નથી અને તે એ છે કે આસ્તિક અને નાસ્તિક શબ્દોની પાછળ માત્ર હકાર અને નકારનો જ ભાવ છે, જ્યારે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ શબ્દની પાછળ તેથી કાંઈક વધારે ભાવ છે. તેમાં પોતાનું યથાર્થપણું અને બીજા પક્ષનું બ્રાન્તપણું ખાતરીથી સૂચવાય છે. એ ભાવ જરા આકરો અને કાંઈક અંશે કડવો પણ છે, એટલે પ્રથમના શબ્દો કરતાં પાછળના શબ્દોમાં જરા ઉગ્રતા સૂચવાય છે. વળી જેમ જેમ સાંપ્રદાયિકતા અને મતાંધતા વધતી ચાલી તેમ તેમ કટુકતા વધારે ઉગ્ર બની. તેને પરિણામે નિલવ અને જેનાભાસ જેવા ઉગ્ર શબ્દો સામા પક્ષ માટે અસ્તિત્વમાં આવ્યા. અહીં સુધી તો માત્ર આ શબ્દોનો કાંઈક ઇતિહાસ જ આવ્યો. હવે આપણે વર્તમાન સ્થિતિ ઉપર નજર કરીએ. અત્યારે આ શબ્દોમાં ભારે ગોટાળો થઈ ગયો છે. એ શબ્દો હવે તેના મૂળ અર્થમાં નથી રહ્યા, તેમ જ નવા અર્થમાં પણ ચોક્કસ અને મર્યાદિત રીતે નથી યોજાતા. ખરું કહીએ તો અત્યારે એ શબ્દો નાગો, લુચ્ચો અને બાવો શબ્દની પેઠે માત્ર ગાળરૂપે અને તિરસ્કારસૂચક રીતે હરકોઈ વાપરે છે. સાચી બાબત રજૂ કરનાર અને આગળ જતાં જે વિચાર પોતાને અગર પોતાની સંતતિને અવશ્યમેવ સ્વીકારવાલાયક હોય છે તે વિચાર મૂકનારને પણ શરૂઆતમાં રૂઢિગામી, સ્વાર્થી અને અવિચારી લોકો નાસ્તિક કહી ઉતારી પાડવા પ્રયત્ન કરે છે. મથુરા-વૃંદાવનમાં મંદિરોના ઢગલા ખડકી તે દ્વારા માત્ર પેટ ભરનાર અને ઘણી વાર તો ભયંકર અનાચાર પોષનાર પંડ્યા કે ગોસાંઈઓના પાખંડનો મહર્ષિ દયાનંદે વિરોધ કર્યો અને કહ્યું કે આ તો મૂર્તિપૂજા નહિ, પણ ઉદરપૂજા અને ભોગપૂજા છે. વળી કાશી અને ગયાના શ્રાદ્ધ સરાવી તાગડધિન્ના કરનાર અને વધારામાં અનાચાર પોષનાર પંડ્યાઓને સ્વામીજીએ કહ્યું કે આ શ્રાદ્ધપિંડ પિતરોને નથી પહોંચતો, પણ તમારા પેટમાં જરૂર પહોંચે છે એમ કહી તેમણે સમાજમાં સદાચાર, વિદ્યા અને બળનું વાતાવરણ સરજવાનો જ્યારે પ્રયત્ન કર્યો ત્યારે તરત જ પેલા વેદપુરાણમાંની પંડ્યાપક્ષે સ્વામીજીને નાસ્તિક કહ્યા. એ લોકોએ સ્વામીજીને માત્ર પોતાથી ભિન્ન મતદર્શક છે એટલા અર્થમાં નાસ્તિક કહ્યા હોત તો તો કાંઈ ખોટું ન હતું, પણ જૂના લોકો, જે મૂર્તિ અને શ્રાદ્ધમાં જ મહત્ત્વ માનતા, તેમને ભડકાવવા અને તેમની વચ્ચે સ્વામીજીની પ્રતિષ્ઠા ઘટાડવા એ નાસ્તિક શબ્દ વાપર્યો. એ જ રીતે મિથ્યાદષ્ટિ શબ્દની પણ કદર્થના થઈ. જેન વર્ગમાં કોઈ વિચારક નીકળ્યો અને કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy