SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા બહુ જૂના વખતમાં, જ્યારે આર્ય ઋષિઓએ પુનર્જન્મની શોધ કરી ત્યારે, પુનર્જન્મના વિચાર સાથે જ તેમને કર્મના નિયમો અને આ લોક તેમ જ પરલોકની કલ્પના પણ આવી. કર્મતત્ત્વ, ઈહલોક અને પરલોક એટલું તો પુનર્જન્મ સાથે સંકળાયેલું છે જ. આ વસ્તુ એકદમ સીધેસીધી અને સૌને સહેલાઈથી ગળે ઊતરે તેવી તો નથી જ, એટલે હંમેશાં એને વિશે ઓછોવત્તો મતભેદ રહે છે. તે જૂના જમાનામાં પણ એક નાનો કે મોટો એવો વર્ગ હતો કે જે પુનર્જન્મ અને કર્મચક્ર વગેરે માનવા તદ્દન તૈયાર ન હતો અને પુનર્જન્મવાદીઓ સાથે વખતે ચર્ચા પણ કરતો. તે વખતે પુનર્જન્મશોધક અને પુનર્જન્મવાદી ઋષિઓએ પોતાના મંતવ્યને ન માનનાર પુનર્જન્મવિરોધી સામા પક્ષને નાસ્તિક કહી ઓળખાવ્યો અને પોતાના પક્ષને આસ્તિક તરીકે જણાવ્યો. આ શાંત અને વિદ્વાન ઋષિઓએ જ્યારે પોતાના પક્ષને આસ્તિક કહ્યો ત્યારે એનો અર્થ એટલો જ હતો કે અમે જે પક્ષ પુનર્જન્મ, કર્મતત્ત્વ નથી માનતો તેને માત્ર અમારા પક્ષથી ભિન્ન પક્ષ તરીકે ઓળખાવવા “ન' શબ્દ ઉમેરી નાસ્તિક કહીએ છીએ. એ સમભાવી ઋષિઓ તે વખતે આસ્તિક અને નાસ્તિક એ બે શબ્દ માત્ર અમુક પ્રકારના બે ભિન્ન પક્ષોને સૂચવવા માટે જ વાપરતા; તે સિવાય એથી વધારે એ શબ્દના વાપરની • પાછળ કાંઈ અર્થ ન હતો. આ શબ્દો ખૂબ ગમ્યા અને સૌને અનુકૂળ થઈ પડ્યા. વખત જતાં વળી ઈશ્વરની માન્યતાનો પ્રશ્ન આવ્યો. ઈશ્વર છે અને તે જગતનો કતાં પણ છે એમ માનનાર એક પક્ષ હતો. બીજો પક્ષ કહેતો કે સ્વતંત્ર અલગ ઈશ્વર જેવું તત્ત્વ નથી અને હોય તોપણ તેને જગતના સર્જન સાથે કંઈ સંબંધ નથી. આ બે ભિન પક્ષો અને તેની અનેક શાખાઓ અસ્તિત્વમાં આવી ત્યારે પેલા આસ્તિક અને નાસ્તિક શબ્દ, જે એક વખતે માત્ર પુનર્જન્મ-વાદી અને પુનર્જન્મ-વિરોધી પક્ષ પૂરતા જ હતા, તે બંને શબ્દો ઈશ્વરવાદી અને ઈશ્વર-વિરોધી એ બે પક્ષ માટે પણ વપરાવા લાગ્યા. આ રીતે આસ્તિક અને નાસ્તિક શબ્દના અર્થનું ક્ષેત્ર પુનર્જન્મના અસ્તિત્વ-નાસ્તિત્વથી વધારે વિસ્તૃત ઈશ્વરના અસ્તિત્વ-નાસ્તિત્વ સુધી ગયું. હવે પુનર્જન્મ માનનાર વર્ગમાં પણ ઈશ્વરને માનનાર અને ન માનનાર બે પક્ષો પડી ગયા હતા, એટલે પોતાને આસ્તિક તરીકે ઓળખાવનાર આચાર્યોની સામે પણ પોતાની પરંપરામાં બે ભિન્ન પાર્ટીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy