SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ • પરિશીલન બુદ્ધ એ અઘરું કામ કર્યું અને તેમને પોતાની મૂળ ધારણા પ્રમાણે સિદ્ધિ પણ સાંપડી. આ સિદ્ધિ એ જ બુદ્ધના વ્યક્તિત્વને વિશ્વવ્યાપી બનાવનાર અસાધારણ વિશેષતા છે. નૈરંજરા નદીને કિનારે, વિશાળ ચોગાનમાં સુંદર પ્રાકૃતિક દશ્યો વચ્ચે, પીપળના ઝાડ નીચે, બુદ્ધ આસનબદ્ધ થઈ ઊંડા વિચારમાં ગરક થયેલ, ત્યારે એમના મનમાં કામ અને તૃષ્ણાના પૂર્વ સંસ્કારોનું હૃદ્ધ શરૂ થયું. એ વૃત્તિઓ એટલે મારની સેના. બુદ્ધ મારની એ સેનાનો પરાભવ કરી જે વાસનાવિજય યા અધ્યાત્મિક શુદ્ધિ સાધી તેનો સ્વાનુભવ સુત્તનિપાતના પધાનસુત્તમાં મળે છે. એમાં નથી અત્યુક્તિ કે નથી કવિકલ્પના. જે સાધક આ દિશામાં સાચા અર્થમાં ગયો હશે તે બુદ્ધના ઉદ્દગારમાં પોતાનો જ અનુભવ જોશે. કાલિદાસે કુમારસંભવમાં મહાદેવના કામવિજયનું મનોહર રોમાંચકારી ચિત્ર કળામય રીતે કહ્યું છે, પણ તે કાવ્યકળામાં કવિની કલ્પનાના આવરણ તળે માનવઅનુભવ જરા ગૌણ થઈ જાય છે; દીર્ઘતપસ્વી મહાવીરે સંગમ અસુરના કઠોર ઉપસર્ગો છ માસ લગી સહ્યા અને અંતે એનો પરાભવ કર્યો, એ રૂપકવર્ણનમાં પણ સીધેસીધું માનવીય મનોવૃત્તિનું તુમુલ કંદ્ર જોવા નથી મળતું, કૃષ્ણની કાલિયનાગદમનની વાર્તા પણ એક પૌરાણિક વાર્તા જ બની જાય છે, જ્યારે બુદ્ધનું કુશળ-અકુશળ વૃત્તિઓનું આંતરિક તુમુલ દ્રુદ્ધ એમના સીધા સ્વાનુભવ વર્ણનમાં સચવાયેલું છે, ભલે પાછળથી અશ્વઘોષે કે લલિતવિસ્તારના લેખકે તેને કવિકલ્પનાના ઝૂલામાં ઝુલાવ્યું હોય. મારવિજયથી બુદ્ધની સાધના પૂરી થતી નથી; એ તો આગળની સાધનાની માત્ર પીઠિકા બની રહે છે. બુદ્ધનો આંતરિક પ્રશ્ન એ હતો કે માનવતાને સાચું સુખ સાંપડે એવો કયો વ્યવહારુ માર્ગ છે ? આ પ્રશ્નનું નિરાકરણ અત્યારે જેટલું સરલ લાગે છે તેટલું તેમને માટે તે કાળમાં સરલ ન હતું, પણ બુદ્ધ તો એવું નિરાકરણ મેળવવા સુધી ન જંપવાનો કઠોર સંકલ્પ જ કર્યો હતો. એ સંકલ્પ અંતે તેમને રસ્તો દાખવ્યો. તે કાળમાં આત્મતત્ત્વને લગતા અને તે વિશે સામસામી ચર્ચા-પ્રતિચર્ચા કરતા અનેક પંથો હતા. તેમાં એક પંથ બ્રહ્મવાદનો હતો. એ માનતો કે ચરાચર વિશ્વના મૂળમાં એક અખંડ બ્રહ્મતત્ત્વ છે, જે સચ્ચિદાનંદરૂપ છે અને જેને લીધે આ સમગ્ર વિશ્વ અસ્તિત્વમાં આવ્યું છે, ટકી રહ્યું છે અને પરિવર્તન પામી રહ્યું છે. આવું બ્રહ્મ એ જ સર્વ દેવોનું અધિષ્ઠાન હોઈ દેવાધિદેવ પણ છે. બુદ્ધનો પ્રશ્ન વ્યવહારુ હતો. એમને જગતના મૂળમાં શું છે ? તે કેવું છે? – ઈત્યાદિ બાબતોની બહુ પડી ન હતી. એમને તો એ શોધવું હતું કે બીજાં બધાં પ્રાણીઓમાં શ્રેષ્ઠતા ધરાવતી માનવજાતિ જ પ્રમાણમાં ઈતર પ્રાણીજગત કરતાં વધારે કલહપરાયણ અને વિશેષ વૈઅતિવૈરપરાયણ દેખાય છે, તો એના એ સંતાપનિવારણનો કોઈ સરલ વ્યવહારુ માર્ગ છે કે નહિ? આ મથામણે તેમને બ્રહ્મવિહારનો માર્ગ સુઝાડ્યો. તપ અને ધ્યાનના પૂર્વસંસ્કારોએ તેમને મદદ કરી હશે. પણ બ્રહ્મવિહારની શોધમાં મુખ્ય પ્રેરક બળ તો એમના વ્યવહારુ પ્રશ્નના ઉકેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy