SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ • પરિશીલન ઋતના સ્થાનમાં અવેસ્તામાં “અશ” શબ્દ આવે છે. અર્થ એ જ છે. છેવટે ત્રત અને અશ એ ધર્મ છે. એને જેનો, બૌદ્ધો, બ્રાહ્મણો બધા જ ધર્મ શબ્દથી વ્યવહાર છે. આજે તો ધર્મ શબ્દ જ પ્રચલિત થઈ ગયો છે. - ચાતુર્વર્યના મથાળા નીચે કાકાએ જે ચર્ચા કરી છે તે હિંદુઓની જ કહેવાતી એક સનાતન ચતુર્વર્ણ-વ્યવસ્થાને લગતી છે. ગીતામાં પણ તેનો નિર્દેશ છે જ. ચતુર્વર્ણનું ખોખું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, કયારે આવ્યું અને કયાં કયાં બળોને લીધે ઘડાયું એ વિશે હજારો વર્ષ થયાં અનેક જાતના વિચારો પ્રવર્તે છે અને તેના ઉલ્લેખો પણ હિન્દુ સાહિત્યના મોટા ભાગને રોકે છે. ચાતુર્વણ્યના અર્થની કલ્પના વિશે અને તેનું સ્વરૂપ બદલવા વિશે પણ જમાને જમાને અનેક જણે અનેક પ્રયત્નો કર્યા છે. કેટલાકને એમાં થોડીઘણી સફળતા મળી છે, છતાં હજી હિન્દુસમાજના જીવનવ્યવહારનું નિદ્માણ જેવું ખોખું તે ચાતુર્વર્યના રૂપમાં વર્તમાન છે. કાકાએ પોતાની દૃષ્ટિથી વેદ, ઉપનિષદ અને મહાભારત આદિ ગ્રંથોના અમુક અમુક ઉતારાઓને આધારે ચાતુર્વર્યનો વિકાસક્રમ ઘટાવ્યો છે અને સાથે સાથે વર્ણ એટલે શું, તેની વ્યવસ્થા એટલે શું, એ પણ પોતાની પરિમાર્જિત સામાજિક દૃષ્ટિએ બતાવ્યું છે. તેમણે એક બાજુથી ચતુર્વર્ણ-વ્યવસ્થાનું ચાર પ્રકારના સમાજપોષક ધંધાના ચાર વર્ણરૂપે અને સમાજના હિતની દૃષ્ટિએ તેની વ્યવસ્થારૂપે સમર્થન કર્યું છે, જ્યારે બીજી બાજુથી તેમનું સમર્થન એટલાં બધાં નવાં દ્વાર ખુલ્લાં કરે છે કે તેને લીધે જૂનાં બદ્ધદ્વાર ખોખામાં આજ સુધી દાખલ થતાં અટકેલો આવશ્યક પ્રકાશ સહેલાઈથી પ્રવેશ કરી શકે છે. એટલે કાકા ચાતુર્વણ્યના નિપ્રાણ જેવા સામાજિક ખોખામાં અત્યાર લગી લાભદાયક સિદ્ધ થયેલાં સામાજિક તત્ત્વોના પ્રાણને મોકળાશ કરી આપે છે. ઘણાને આ નિરૂપણ જૂની બાટલીમાં નવો દારૂ ભરવા જેવું લાગે, પણ એમણે જે રીતે નવા પ્રાણનો નવો દારૂ ભરવાની સૂચના કરી છે તે રીત જ એવી છે કે છેવટે એ જૂની બાટલી જ કોઈ અણધારી રાસાયણિક પ્રક્રિયાથી લાંબે કાળે સાવ નવા રૂપમાં ફેરવાઈ જાય. સૌથી ચડિયાતા ગણાતા અને પોતાને ચડિયાતા માનતા બ્રાહ્મણ વર્ણ અને સૌથી ઊતરતા ગણાતા અને પોતાને ઊતરતા માનતા શૂદ્ર વર્ણ વચ્ચે જો કાકાની દૃષ્ટિ પ્રમાણે ભેદ હો તો તે કામકાજ અને ફરજ પૂરતો જ. એ ઉપરાંત એમાં આજ લગી જે ઊંચનીચપણાનું કે સ્પર્શાસ્પર્શની ભાવનાનું ઝેર એકત્ર થયું છે તે રહેવાનું જ નથી. શૂદ્ર અને વૈશ્ય પણ પોતાની ફરજ અદા કરે એટલે અમુક વર્ણની આગવી ગણાતી વેદ-ઉપનિષદ આદિ સંપત્તિનો અધિકારી બની શકશે; જ્યારે બ્રાહ્મણ પણ પોતાની નિયત ફરજ બજાવવા સાથે શૂદ્રનાં ગણાય એવાં કામો કરવા છતાં પ્રતિષ્ઠિત લેખાશે. આશ્રમવ્યવસ્થા વિશેનો લેખ બે દષ્ટિ અર્પે છે. પ્રથમ આશ્રમવ્યવસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવી, વિકસી અને તેનો શો ઉપયોગ હતો તે જોવાની સ્માર્ત ઐતિહાસિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy