SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પરિશીલન માત્ર બ્રાહ્મણવર્ગ ઉપર જ નથી ચલાવ્યાં, તેમણે જેન અને બૌદ્ધ શ્રમણોને પણ પોતાનાં એ બાણના લક્ષ્ય બનાવ્યા છે. એ સામાન્ય તત્ત્વ જોતાં કોસાંબીજીની પ્રકૃતિનું એક વિશિષ્ટ તત્ત્વ વાચકના મન ઉપર આવે છે અને તે એ કે તેઓનો સ્વભાવ મુખ્યપણે ખંડનશૈલીપ્રધાન અગર ટીકાપ્રધાન છે. આમ હોવા છતાં તેમણે એકત્ર કરેલ અને વિલક્ષણ રીતે મનોરંજકતાપૂર્વક ગોઠવેલ હકીકતો અને બીજી બાબતો વાચકને ઉત્તરોત્તર જિજ્ઞાસાવૃદ્ધિ સાથે કોઈ નવા જ પ્રદેશમાં લઈ જાય છે. આ વાતે ઈન્દ્ર, બ્રહ્મા, મહાદેવ, લિંગપૂજા, વાસુદેવ આદિની ચર્ચાવાળાં પ્રકરણો ઉદાહરણરૂપ સૂચવવાં બસ છે. ઇન્દ્ર વિશે તેમણે જે માહિતી એકઠી કરી છે ને તેને જે રીતે ગોઠવી છે, બ્રહ્મા હિંસક મટી અહિંસક દેવ કેમ થયો એ વિશે જે હકીકતો મૂકી છે, મહાદેવનું મૂળ શું? તે અસલમાં કોણ હતો ? લિંગ જેવી બીભત્સ પૂજા આર્યોમાં ક્યાંથી અને કેમ આવી ? દેવકીપુત્ર વાસુદેવ મૂળમાં કોનો દેવ હતો, ઈત્યાદિ વિશે જે લખ્યું છે તે કોઈને ગળે ઊતરે કે નહિ, કોઈને રુચે કે નહિ, તેમ છતાં એ ચર્ચાઓ નવનવી હકીકત, નવનવી કલ્પના અને શૈલીને કારણે એક નવા પ્રકારની નવલકથા જેવી બની ગઈ છે. મધ્યયુગમાં હરિભદ્ર અને અમિતગતિ જેવા જૈન લેખકોએ સાંપ્રદાયિક બદલા તરીકે પુરાણો અને પૌરાણિક દેવોની ટીકા કરેલી, તે કરતાં કોસાંબીજીની ટીકા ઐતિહાસિક દૃષ્ટિના આશ્રયને લીધે જુદી પડી છે. તેમ છતાં કોસાંબીજીએ કરેલી કલ્પનાઓ અને જોડેલ પૂર્વાપર સંબંધો વિદ્વાનોમાં ગ્રાહ્ય થવા વિશે શંકા રહે છે. આખા પુસ્તકમાં બ્રાહ્મણ અને બૌદ્ધ સાહિત્યને જેટલા પ્રમાણમાં સ્પર્શાયું છે તેમ જ બ્રાહ્મણ અને બૌદ્ધપરંપરા વિશે અનુકૂળ કે પ્રતિકૂળ જેટલું કહેવાયું છે તેના પ્રમાણમાં જૈન સાહિત્ય અને જૈન પરંપરાનો સ્પર્શ સકારણ જ બહુ ઓછો છે. તેમ છતાં કોસાંબીજીનો ભગવાન પાર્શ્વનાથ પ્રત્યે, અહિંસાના પ્રથમ અને પ્રબળ સ્થાપક તરીકે, અતિ આદર જોવામાં આવે છે. કોશાબીજી ઘોર અંગીરસ અને બાવીસમા જૈન તીર્થંકર નેમિનાથના એકીકરણની કલ્પના કરે છે, પણ તે માત્ર કલ્પના જ હોવાનો સંભવ છે. ભગવાન પાર્શ્વનાથની અહિંસાને તેઓ માત્ર નિષેધાત્મક અને બુદ્ધના અહિંસાના ઉપદેશને વિધાયક પણ કહે છે, તે મને બરાબર લાગતું નથી. પાર્શ્વનાથના ચતુર્યામો ત્રિવિધ ત્રિવિધ હતાં અને એમાં જૈન પરિભાષા પ્રમાણે સમિતિ-સમ્પ્રવૃત્તિનું તત્ત્વ પણ હતું. વળી તેમનો એક વિશિષ્ટ સંઘ હોવાનું કૌશાંબીજી પોતે પણ કબૂલે છે. આખો ત્યાગી સંઘ માત્ર નિષ્ક્રિયરૂપે બેસી રહે ને કાંઈ વિધાયક કાર્ય કરે જ નહિ તો હિંસાપ્રધાન યજ્ઞોની સંસ્થાને કેવી રીતે જનતામાંથી ખસેડી કે નબળી કરી શકે? એ જુદી વાત છે કે પાર્શ્વ અને તેમના સંઘનો વિધાયક કાર્યક્રમ કેવો હતો તે જાણવાનું સ્પષ્ટ સાધન નથી. તેમણે પાર્થની પરંપરા વિશે માત્ર દેહદમન પૂરતા તપનું વિધાન કર્યું છે તે તો અસંગત લાગે છે. બૌદ્ધ પરંપરા કરતાં જૈન પરંપરામાં દેહદમન ઉપર વધારે ભાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy