SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭. સ્ત્રી–પુરુષના બળાબળની મીમાંસા કોઈ કહે છે કે સ્ત્રીઓએ પુરુષોનું પૌરુષ હર્યું. બીજાઓ વળી કહે છે કે પુરુષોને લીધે જ સ્ત્રીઓ અબળા બની. આ બેમાં કોઈ એક જ કથન સાચું છે કે બંને સાચાં છે કે બંને ખોટાં છે એ પ્રશ્ન છે. એનો ઉત્તર મેળવવા ઇચ્છનારે વિશેષ ઊંડા ઊતરવું જોઈશે. વિકારનો વેગ માત્ર અમુક જાતિ સાથે સંબંધ નથી ધરાવતો. તેને તપાસવા આત્માની ભૂમિકાઓ ઉપર દૃષ્ટિપાત કરવો પડશે. સ્ત્રી હોય કે પુરુષ, બંનેમાં આત્મા સમાન છે. વાસનાના કૃત્રિમ વાતાવરણથી તેજ ખંડિત ન થયું હોય એવો જાગતો તેજસ્વી આત્મા સ્ત્રીના શરીરમાંયે હોઈ શકે અને પુરુષના શરીરમાંયે હોઈ શકે. કાવ્ય, કળા, વિદ્યા કે ધર્મના ભવ્ય સંસ્કારો માત્ર અમુક જાતિ સાથે સંકળાયેલા નથી હોતા. એ સંબંધમાં આલંકારિક રાજશેખર પોતાની કાવ્યમીમાંસામાં કહે છે કે, “પુરુષની પેઠે સ્ત્રીઓ પણ કવિ થાય, કારણ કે સંસ્કાર એ આત્મા સાથે સંબંધ ધરાવે છે. તે સ્ત્રી કે પુરુષ એવા વિભાગની અપેક્ષા નથી રાખતો. તે કહે છે કે, “અનેક રાજપુત્રીઓ, મંત્રીપુત્રીઓ, ગણિકાઓ અને સ્ત્રીઓ શાસ્ત્રજ્ઞ અને કવિ તરીકે સંભળાય છે અને જોવામાં પણ આવે છે. - સ્ત્રી જાતિના બળ અને શીલ વિશે શંકા ઉઠાવનારને ઉત્તર આપતાં સાહિત્યસ્વયંભૂ હેમચંદ્ર પોતાના યોગશાસ્ત્રની ટીકામાં પૃ. ૨૦૮થી) બહુ જ માર્મિક ભાષામાં વિસ્તારથી કહે છે કે સ્ત્રીઓ પુરુષોના જેટલી જ દાન, સંમાન અને વાત્સલ્યની પાત્ર છે, કારણ કે તેઓ પણ પુરષ જેટલી જ યોગ્યતા ધરાવે છે. અમુક સ્ત્રી વ્યક્તિઓ યોગ્ય ન હોય કે દૂષિત હોય તે ઉપરથી આખી સ્ત્રી જાતિને બલ કે શીલહીન માનવામાં આવે તો પુરુષ જાતિને પણ તેવી જ માનવી જોઈએ, કારણ કે અનેક પુરુષો પણ ક્રૂર, કૃતબ અને મૂર્ણ હોય છે. અનેક પુરુષો યોગ્ય પણ મળે છે, તેથી આખી પુરુષજાતિને અયોગ્ય કહી ન શકાય એવી દલીલ કરવામાં આવે તો તે દલીલ સ્ત્રીના વિષયમાં સરખી જ લાગુ પડે છે, કારણ કે અનેક ત્યાગી અને ગૃહસ્થ સ્ત્રીઓ પુરુષવંદ્ય અને દેવવંદ્ય થઈ ગઈ છે. વિદ્વાનોના એ અનુભવની સત્યતા સાબિત કરનાર અનેક પ્રાચીન આખ્યાનો આપણાં આર્યશાસ્ત્રમાં છે. અત્યારે અહીં એવાં કેટલાંક આખ્યાનો જોઈશું કે કોઈમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy