SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષા - ૨૦૩ વિચારવિનિમયને અવકાશ રહેતો નહોતો. સામાન્ય વાતચીતથી, સંસર્ગથી, વ્યવહારથી કે અમસ્તા બે શબ્દો કાને પડી જવાથી જે જ્ઞાનલાભ મળે છે તેનાથી ઘરનો અંગ્રેજી નહિ ભણેલો વર્ગ વંચિત રહેતો. આથી ઊલટું, જે દેશોમાં ઉચ્ચતમ શિક્ષણ પણ સ્વભાષામાં જ અપાય છે તેનો દાખલો લો. ત્યાં કોઈ પણ વિચાર – અઘરામાં અઘરો વિચાર પણ – ભાષાને કારણે અઘરો રહેતો નથી. આથી ભિન્ન ભિન્ન સમજશક્તિ ધરાવનારાઓને ભિન્ન ભિન્ન રીતે સમજાવવાના પ્રયાસો પણ એવા દેશમાં શક્ય બન્યા છે. યુનિવર્સિટીના કાર્યક્ષેત્રનો જ આ વિસ્તાર છે, અને ઇંગ્લેંડ, ફ્રાન્સ, જર્મની આદિ દેશોની પ્રજાઓનું સામાન્ય ધોરણ આ રીતે જ ઊંચે જવા પામ્યું છે. ઉચ્ચ શિક્ષણ જે ભાષામાં અપાતું હોય છે તે જ ભાષામાં શ્રમની કરકસરના નિયમને અનુસરીને ચર્ચા, વિચારવિનિમય આદિ થતાં રહે છે. એટલે જો નીચલા થરોને કાયમ નીચલા રાખવા હોય તો જ સ્વાભાવિક બોધભાષા બદલવાની ભલામણ કરવી જોઈએ, કેમ કે સામાન્ય જનો જે સુલભ અને સુગમ હોય તે જ ગ્રહણ કરી શકતા હોય છે. એ હકીકત પ્રમાણીને જ તેમનું બૌદ્ધિક ધોરણ ઊંચે લઈ જવાની કોશિશ કરવી જોઈએ. જો એમને માટે ઉચ્ચ કોટિનું જ્ઞાન ભાષાને કારણે દુર્ગમ બને, તો એનું પરિણામ એ આવે કે ઉચ્ચ જ્ઞાન અમુક ખાસ વર્ગનો ઇજારો બની રહે. લોકો લાભ લે કે ન લે, પણ જ્ઞાનને સર્વસુલભ બનાવવાની સગવડ આપણે કરવી જ રહી. ગહન વિષયો પણ સ્વભાષામાં ચૂંટાતાં ચૂંટાતાં સાદું સ્પર્શક્ષમ રૂપ પામતા જાય છે અને એમ થતાં સાદી ભાષા પણ સૂક્ષ્મ અર્થનો બોધ કરાવવાની શક્તિ મેળવતી જાય છે. આ હકીકત આ. માંકડની નજરબહાર નથી, પણ એનો લાભ તેઓ સ્વભાષાને નહિ, પણ એમના માનેલા માધ્યમને - રાષ્ટ્રભાષા કે સાંસ્કૃતિક ભાષાને – આપવા માગે છે. પોતાના લેખમાં અન્યત્ર એમણે કહ્યું છે કે, “સ્નાતક અને અનુસ્નાતક વર્ગોમાં માધ્યમ તરીકે જો એ ભાષા વપરાય તો એના ઘડતરને ઘણો જ વેગ મળે.” પણ એની પાછળ નિયમ તો ઉપર બતાવ્યો એ જ પ્રવર્તે છે ને ? પ્રજામાં જ્ઞાન અસંખ્ય વાટે પ્રસરે છે – જો એના પ્રસરણના મુખ્ય માર્ગમાં અંતરાય મૂકવામાં ન આવે તો. એક દાખલો લઈએ. પ્રજાના માણસો બધા કંઈ યુનિવર્સિટી સુધીનું શિક્ષણ પામી શકે નહિ, પણ એ શિક્ષણના પરિપાકરૂપે જે ગ્રંથો રચાયા હોય, જે વ્યાખ્યાનો થતાં હોય, જે વિચારચર્ચાઓ ચાલતી હોય તેનો લાભ લઈને પોતાનો બુદ્ધિવિકાસ સાધનારી વ્યક્તિઓ સદાકાળ અને સર્વત્ર પાકતી રહેવાની. એમને શું કરવાથી મોકળાશ મળે? એની સાથે એક બીજો પ્રશ્ન પણ વિચારવા જેવો છે. જો પ્રજાના થરથરમાં જ્ઞાન પચે એ માટે પદ્ધતિસરની કોશિશ ન થાય તો શું પરિણામ આવે તેનો વિચાર કર્યો ? ખુદ ઉચ્ચ શિક્ષણના વિકાસને જ તેથી વિઘ્ન નડે. જ્યાં અનેક જણ કેળવાયેલાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy