SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન ૧૯૩ ગુજરાતી ભાષા મૂળ સંસ્કૃત અને પ્રાકૃતનો બધો જ વારસો ધરાવે છે. અને બીજી વારસદાર બધી જ ભાષાઓની તે સમીપ છે, અર્થાત્ સમકક્ષ છે. એટલે એક અથવા બીજે કારણે જે વિષયો, હજી લગી ગુજરાતી ભાષામાં થોડેઘણે અંશે નથી ખેડાયા તે વિષયો પણ પૂર્ણપણે ખેડવાની બાબતમાં ગુજરાતી ભાષામાં હિંદુસ્તાનની બીજી કોઈ પણ પ્રાન્તીય કે રાષ્ટ્રીય ભાષા કરતાં ઓછી શક્તિ છે એમ માનવાને એક પણ કારણ નથી. એવી સ્થિતિમાં ગુજરાતી ભાષાને ગુજરાતમાં જ બોધભાષા ન સ્વીકારવી એનો અર્થ એ જ થાય કે તેની શક્યતાને રૂંધી નાખવી અને સાથે સાથે પ્રજાનું કાઠું પણ ઠીંગણું કરી નાખવું. આ પ્રશ્ન ભાષાભિમાનનો નથી, પણ પ્રજાકેળવણીનો છે. અને જેમના તાટસ્થ વિશે ભાગ્યે જ કોઈને કશી શંકા આવે તેવા પુરુષોએ રાષ્ટ્રસંગઠન અને પ્રજાવ્યાપી કેળવણીની બેવડી દૃષ્ટિથી જુદે જુદે સમયે આ વિષયમાં જે અભિપ્રાયો ઉચ્ચાર્યા છે તે શાંતિથી વિચારવા જેવા છે. પૂજ્ય મહાત્માજીનો રાષ્ટ્રભાષા માટેનો આગ્રહ કોઈથી ઊતરે એવો નહોતો ગૂજરાત વિદ્યાપીઠના ઉચ્ચ અભ્યાસક્રમમાં હિંદી-હિંદુસ્તાનીને એ દૃષ્ટિથી સૌથી પહેલાં તેમણે જ સ્થાન આપ્યું હતું, પરંતુ બોધભાષા તરીકે તેમણે ગુજરાતીનો જ આગ્રહ રાખ્યો હતો. જેમને ગુજરાતી કે હિંદી બેમાંથી એકે ભાષા નહોતી ફાવતી તેવા બીજા પ્રાન્તના અધ્યાપકોને અપવાદરૂપે અંગ્રેજીનો અથવા તેમને ફાવતી બીજી ભાષાનો આશ્રય તેઓ લેવા દેતા, પણ આ લોકો પણ ગુજરાતી શીખી લે એવી તાકીદ તેઓ કર્યા જ કરતા. જે પ્રદેશમાં રહેવાનું હોય તે પ્રદેશની ભાષા માટે ગાંધીજીનો આગ્રહ હંમેશાં એ પ્રમાણે રહેતો. એક વાર ગાંધીજી ગૂજરાત વિદ્યાપીઠમાં ભાષણ કરવાના હતા. મીરાંબહેન પણ એ પ્રસંગે હાજર હતાં. ગાંધીજીએ ગુજરાતીમાં ભાષણ કરવા માંડ્યું, એટલે મીરાંબહેને સૂચવ્યું કે, “બાપુજી, હિંદી બોલીએ.” ગાંધીજીએ તરત પરખાવ્યું, “ગુજરાતમાં ગુજરાતીઓ સમક્ષ હું હિંદી બોલું ? તમે ગુજરાતી શીખી લો.” એ બહેન ઈંગ્લેંડથી આ દેશની સેવા કરવા આવેલાં એ સુવિદિત છે. ગાંધીજીએ એમને પણ સૌથી પહેલાં દેશની સેવા કરવા દેશની ભાષા શીખી લેવાની શિખામણ આપી હતી; તે મુજબ એમણે હિંદી શીખી લીધેલું. સ્વાભાવિક રીતે જ દેશની સર્વમાન્ય થઈ શકે એવી ભાષાનો આગ્રહ એમનાથી રખાઈ ગયો, તો ત્યાં પણ ગાંધીજીએ એની મર્યાદા બતાવી. આચાર્ય કૃપાલાનીજીને પણ ગાંધીજી ગુજરાતી શીખી લેવાની તાકીદ જ કરતા. - તેઓ કહેતાઃ “કૃપાલાનીજી, આપકા આચાર્ય તો રહના હૈ, લેકિન ગુજરાતી બનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy