SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ વટબીજનો વિસ્તાર • ૧૮૯ હાથે સ્થાપના થઈ ત્યારથી અત્યાર લગી એની પ્રવૃત્તિમાં મને વિશેષ રસ રહ્યો છે. ડો. ધ્રુવજીના કેળવણી વિષયક ઘણા મનોરથ હતા, પણ પ્રાચ્યવિદ્યા સંશોધન ગુજરાતમાં ઉચ્ચ કક્ષાએ ચાલે એ એમનો વિશિષ્ટ મનોરથ હતો. મારા પ્રશ્નના જવાબમાં એમણે એક વાર કહેલું કે હિન્દુસ્તાનમાં યુનિવર્સિટીઓ ઘણી છે, પણ સર આશુતોષની રચનાને તોલે કોઈ આવી શકે એમ નથી. એમણે કાશીમાં ઉચ્ચ કક્ષાના પ્રાચ્યવિદ્યાવિષયક વિદ્વાનો જોયેલા. કેટલાક તો એમની દેખરેખ તળે જ ભણાવતા. પણ તેઓ કહેતા કે, “સંશોધનપ્રવૃત્તિ સિવાય પ્રાચ્યવિદ્યાઓ નવયુગમાં પ્રકાશી ન શકે.” તેઓ હિંદુ યુનિવર્સિટીમાં જે કામ કરવા અશક્ત હતા તે જ કામ એમને ગુજરાતમાં ચાલુ કરવાનો મનોરથ હતો. એમની સામે પુરાતત્ત્વ મંદિરનો નમૂનો પણ હતો. તેથી જ એમણે આ સંસ્થા શરૂ કરી, એમ હું સમજું છું. સદ્ભાગ્યે એ સંસ્થામાં ઉત્તરોત્તર ઘણો વિકાસ થયો છે અને પ્રાચ્યવિદ્યાના સંશોધન વિશે ગુજરાત કશું જ નથી કરતું એ મહેણું સહેવાપણું રહ્યું નથી. એમાં ધગશવાળો સુસંગઠિત વૃદ્ધ-યુવક અધ્યાપકવર્ગ છે, અને બીજી પણ કેટલીક સગવડ છે. આ સંસ્થાનાં સુપરિણામ દૂરવર્તી અને વ્યાપક બનાવવાની ફરજ કાં તો વિશ્વવિદ્યાલયની છે અને કાં તો અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની. જો ” સોસાયટી સાયન્સ કોલેજના ઉચ્ચ અભ્યાસને અદ્યતન બનાવવા લાખો રૂપિયા ઉદાર ભાવથી ખરચી શકે તો મારી દષ્ટિએ એણે આવા ભવનના કાર્યને પૂરેપૂરો વેગ આપવા અને સાધનસંપન્ન બનાવવામાં લેશ પણ સંકોચ સેવવો ન જોઈએ. છેવટે તો જીવનમાં બહાર તેમ જ અંદરનાં બધાં શુભ સત્ત્વ આવી જ સાંસ્કારિક કેળવણીથી જાગવાનાં અને વિજ્ઞાનની કોઈ પણ શાખામાં પૂર્ણ પાવરધા થયેલ માનસની યાંત્રિકતામાં રસ રેડવાનાં. તેથી હું સંશોધનનું મૂલ્ય આંકનાર કાર્યકર્તાઓને સૂચવીશ કે તેઓ આ સંસ્થાને વિકસાવી સોસાયટી કે એ દ્વારા વિશ્વવિદ્યાલયને સર્વાગીણ બનાવે. છેવટે સોસાયટીના પ્રયાસોના મૂલ્ય વિશે તટસ્થભાવે કાંઈક કહેવું જોઈએ. આપણે જોઈએ છીએ કે આ પ્રવૃત્તિમાં શ્રી. ગ. વા. માવળંકર પહેલેથી જ એકસરખા ઓતપ્રોત દેખાય છે. તેઓ બીજાં રાજ્યવહીવટી વગેરે ગમે તેટલાં કામ કરતાં હશે, છતાં એમનું મન વિશ્વવિદ્યાલયના વૃક્ષને ગગનગામી બનાવવા ભણી જ રહેલું મેં જ્યારે ને ત્યારે અનુભવ્યું છે. છેલ્લાં પાંચ વર્ષનો જ મારો તો એમની સાથેનો પરિચય, પણ મેં એમનામાં જે તાલાવેલી, વિશાળ દૃષ્ટિ, અને નાનામોટા બધા જ કાર્યકર્તાઓ સાથે તાદામ્ય સાધવાની વૃત્તિ જોઈ છે તે જ મને આવી પ્રવૃત્તિનું અસલી મૂલ્ય દેખાય છે. આનો ચેપ બીજા સહકારી કાર્યકર્તાઓમાં પણ ઊતર્યા વિના રહી શકે જ નહિ. જોકે શેઠ અમૃતલાલ કે કસ્તુરભાઈ સાથે મારો પરિચય છે જ નહિ, પણ આ અહેવાલ સાક્ષી પૂરે છે કે તેઓ વિદ્યાવિકાસના ચાલુ યજ્ઞમાં પૂરેપૂરો રસ લઈ રહ્યા છે. આ રસનો ચેપ એમણે બીજા અનેક ધનિકોને પણ લગાડ્યો છે, અને એમાં શંકા નથી કે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy