SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ • પરિશીલન હતા. તેઓ રહેતા કાશીમાં, પણ તેમનું મન ગુજરાતમાં હતું. મને એક પ્રસંગે કાશીમાં કહેલું કે “પંડિતજી મને છોડતા નથી, અને ગુજરાતમાં કામ કરવાનું મારું સ્વપ્ન દૂર ધકેલાતું જાય છે.” મેં એક વાર પૂછ્યું કે “આજે સાંભળ્યું કે હવે આપ છૂટા થવાના છો.” તો કહે કે “હરિઇચ્છા, પણ મારે વધના તપસ્વીના આશીર્વાદ જોઈએ. હું ગાંધીજીને લખેલ પત્રના જવાબની રાહમાં છું. મને એ વખતે થયેલું કે આખી જિંદગી વિદ્યા અને શાસ્ત્રોનું બ્રાહ્મણત્વ કેળવનાર આ વયોયુદ્ધ તપસ્યામાં કેટલી ઊંડી શ્રદ્ધા ધરાવે છે ! આવા પ્રૌઢ અને વયોવૃદ્ધ જ્યારે નિવૃત્તિ લઈ ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે ગુજરાત માટે પોતે જ કરવા ધારેલું કામ હાથમાં લીધું. વિશ્વવિદ્યાલય આવશ્યક છે કે નહિ, આવશ્યક હોય તો એને અંગે કેવી કેવી અને કેટકેટલી શાખાઓનું ઉચ્ચ શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ, એમાં કઈ કક્ષાના અધ્યાપકો જોઈએ વગેરે બાબતોનું એમને અનુભૂત જ્ઞાન હતું. તે જ્ઞાનનો લાભ સોસાયટીને સીધો મળ્યો છે, એ વસ્તુ આપણે અહેવાલમાંના એમના વિશેના પ્રાસંગિક ઉલ્લેખોથી જાણવા પામીએ છીએ. સોસાયટીના પ્રમુખ તરીકે ધ્રુવસાહેબ નિમાયા અને એમના હાથ નીચે કે એમની સાથે કામ કરવામાં સૌને એકસરખો આનંદાનુભવ થવા લાગ્યો. જેઓ વિદ્યા ખાતાના અને કેળવણીપ્રિય હતા તેમને અને જેઓ વ્યાપારી માનસ ધરાવતા તેમને પણ એકસરખો ઉત્સાહ પ્રગટ્યો. તેથી જ આપણે જોઈએ છીએ કે ધ્રુવસાહેબ ગુજરાતમાં આવ્યા પછી સોસાયટીના કાર્યો બહુ જલદી વેગ પકડ્યો. ધ્રુવજીએ પહેલું મૂર્ત કામ તો પ્રાચ્યવિદ્યા સંશોધન માટે ગુજરાત વિદ્યાસભાના આશ્રય નીચે સંસ્થા સ્થાપવાનું કર્યું. એ સંસ્થાની કાર્યદિશા અને બીજી યોજના વિશેની વિચારણાનો યશ તેમ જ સરકારી મદદ મેળવવાનો યશ એમને ફાળે જ મુખ્યપણે જાય છે. એમણે જે દીર્ઘદ્રષ્ટિથી એ સંસ્થા માટે કાર્યકર્તાની પસંદગી કરી હતી તેમાં જ સંસ્થાનાં ઊંડાં મૂળ નંખાયેલાં, એમ મને અનુભવે લાગ્યું છે. વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ વિષયક તેમજ ઉદ્યોગ વિષય કોલેજોની પ્રજાકલ્યાણ માટે અગત્ય તેઓ પૂરેપૂરી સમજતા, છતાં પણ જે શિષ્ટ અને મંગળ સંસ્કારોથી માણસ માણસ બને છે તે સંસ્કારો એમણે આજીવન પીધેલા અને અન્યને દીધેલા હોવાથી એમનું વલણ પ્રથમ આર્ટ્સ કૉલેજની સ્થાપના તરફ વળે એ સ્વાભાવિક હતું. એ પ્રમાણે એમણે એ કામની શરૂઆત પણ કરાવી. એમની સાથે અને એમના હાથ નીચે કામ કરનાર સોસાયટીના કાર્યકર્તાઓ કે બીજા મહાનુભાવોનાં મનમાં વિશ્વવિદ્યાલયની સ્થાપના માટે નંખાયેલાં અને સીંચાયેલાં બીજો બહુ ત્વરિત ગતિએ અંકુરિત થઈ રહ્યાં હતાં. તેથી જ આપણે જોઈએ છીએ કે ધ્રુવસાહેબના સ્વર્ગવાસ દરમિયાન દેશમાં સ્વાતંત્ર્યયુદ્ધનો પ્રચંડ જુવાળ આવેલો, છતાં એ જુવાળ શમ્યો કે ન શમ્યો, ત્યાં તો વિશ્વવિદ્યાલયનું સ્વપ્ન મૂર્ત થાય છે અને ધ્રુવજીએ જે કહેલું કે હું સ્વપ્નમાં નથી, પણ જાગ્રત છું” તે વચન ફળે છે. સાથે સાથે બીજી અનેક કોલેજ પણ અસ્તિત્વમાં આવી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy