SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ • પરિશીલન અહેવાલમાં શિક્ષણનીતિ વિશે જે ચોખવટ કરી છે તે બહુ મહત્ત્વની છે. આપણે જાણીએ છીએ કે પૂ. ગાંધીજીએ પોતાના જીવનક્રમના આંતરબાહ્ય ધરખમ ફેરફાર સાથે જ પ્રજાવ્યાપી શિક્ષણની એક નવી જ દૃષ્ટિ લોકો સમક્ષ રજૂ કરી હતી, અને એ દૃષ્ટિને અનુસરી એમણે કામ પણ શરૂ કર્યું હતું. એ કામ ગુજરાત અને ગુજરાત બહાર પણ ચાલતું. વિચારશીલ અને સહૃદય સ્વાતંત્ર્યપ્રેમી આત્માઓને તો એ પસંદ આવ્યું, પણ સાધારણ લોકોનું ગજું ચાલુ શિક્ષણમાં કરવા પડનાર એવડા મોટા ફેરફારને ઝીલવાનું ન હતું, તેથી બાપુજીની દૃષ્ટિ પ્રમાણે સ્થપાયેલ સંસ્થાઓમાંથી પણ ધીરે ધીરે ઓટ થતી જોવાતી. બીજી બાજુ આખા દેશમાં વિદેશી સરકારની ગુલામીપોષક શિક્ષણનીતિ પ્રત્યે લોકોનો રોષ પણ જેવોતેવો ન હતો. એક બાજુ ગુલામીપોષક શિક્ષણનીતિ પ્રત્યે રોષ અને બીજી બાજુ એ પ્રથા પ્રમાણે ચાલતી અનેક વિષયની વ્યવહારુ જીવનને ઘડનારા કૉલેજો જેવી સંસ્થાઓનો મોહ, એ બંને વચ્ચે લોકમાનસ ક્ષોભ પામતું. એવી દશામાં શો રસ્તો લેવો કે જેથી લોકોને જોઈએ તેવી આધુનિક પ્રણાલીની શિક્ષણસંસ્થાઓ પણ સાંપડે અને એમનાં માનસ ગુલામીમાંથી ધીરે ધીરે છૂટવા પણ પામે ? – આ એક પ્રશ્ન હતો. એનો ઉકેલ સોસાયટીના કાર્યકર્તાઓએ મધ્યમમાર્ગ લઈ કાઢ્યો. એ મધ્યમમાર્ગ એટલે વિદેશી સરકારની નીતિએ લાદવા ધારેલી ગુલામીમાંથી લોકમાનસને મુક્ત કરવું અને છતાંય પાશ્ચાત્ય પ્રણાલીની શિક્ષણપ્રથામાં લોકોને જોઈતા લાભ પણ પૂરા પાડવા. સોસાયટીના કાર્યકર્તાઓની નેમ પહેલેથી જ ગુલામી માનસ વિરુદ્ધ બંડ કરવાની હતી. એવો પ્રસંગે ઉપસ્થિત પણ થયો. સાયમન કમિશન વખતે ગુજરાત કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ વિરોધસૂચક ન્યાધ્ય વર્તન આચર્યું ને તરત જ એ વખતના એ કૉલેજના ગોરા આચાર્યે એ પ્રત્યે કડક વલણ અખત્યાર કરી વિદ્યાર્થીઓ તેમ જ દેશના સ્વમાન ઉપર સીધો ઘા કર્યો. આ બનાવ ખરેખર કસોટીનો હતો. કાં તો ગુલામી સામે થવું કાં તો નમીને ઘેટયવૃત્તિ પોષવી, પણ અત્યાર અગાઉ બાપુજીએ આખા દેશમાં સ્વતંત્રતાની ભાવનાની એવી ચિનગારી પેટાવી હતી કે હવે લોકો અને વિદ્યાર્થીઆલમ સ્વમાનભંગ સહેવા તૈયાર ન હતાં. અને ખરેખર, જ્યારે અહેવાલમાં વાંચીએ છીએ કે ગમે તેવાં કડક પગલાં સરકારે લેવા ધાર્યા છતાં વિદ્યાર્થીઓ અને કાર્યકર્તાઓ અણનમ રહ્યા અને એના પરિણામ સ્વરૂપે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપનાના વિચારે ઊંડાં મૂળ ઘાલ્યાં, ત્યારે સ્વાતંત્ર્યપ્રેમી મન પ્રફુલ્લ થાય છે. - અહેવાલમાં બીજો એક પ્રજાસ્વમાનભંજક પ્રસંગ વાંચવા મળે છે કે જ્યારે એ જ ગોરા આચાર્યું અને બીજા દેશી અમલદારોએ “વંદે માતરમ્"ના ગાન સામે અણગમો દર્શાવેલો. ખરેખર, આ પ્રસંગ પણ કસોટીનો જ લેખાય. એ વખતે સરકારની ખફગી વહોરવી કે નમી પડવું એ બે વિકલ્પ હતા; પણ આખા દેશમાં જે સ્વમાનની ભાવના સ્થિરપદ થઈ હતી, તેથી કાંઈ ગુજરાત જરા પણ અસ્પષ્ટ ન હતું. ઊલટું, એમ કહેવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy