SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ • પરિશીલન જીવનમાં સદાસ્થાયી તત્ત્વ આમ છતાં નચિકેતાની સૂક્ષ્મ દૃષ્ટિને સ્વર્ગનો આદર્શ સારહીન અને અપૂર્ણ લાગ્યો. તેથી જ તેણે ત્રીજું વરદાન એવું માગ્યું કે જે એની મૂળ જિજ્ઞાસાનો વિષય અને સાધનાનું ધ્યેય હતું. નચિકેતા યમને કહે છે કે, જો તમે પ્રસન્ન જ છો તો મને એ જ્ઞાન આપો કે જેનાથી મારો મૂળ સંશય ટળે. મનુષ્ય અગર પ્રાણી મૃત્યુ પામ્યા પછી નથી રહેતો એમ કેટલાક માને છે; જ્યારે બીજા કહે છે કે તે મૃત્યુ પછી પણ રહે છે. આવા બે સાવ વિરોધી પક્ષો હોવાથી લોકોમાં સંશય પ્રવર્તે છે કે જીવનમાં કોઈ સદાસ્થાયી તત્ત્વ જેવું છે કે નહિ ?' યમ નચિકેતાને એની આ માગણીથી ચલિત કરી બીજી અનેક માગણીઓ કરવા પ્રલોભન આપે છે અને એની મૂળ માગણીની દુઃસાધ્યતા પણ દર્શાવે છે. યમ કહે છે કે, “હે, નચિકેત ! તારો પ્રશ્ન એવો છે કે જે બાબત દેવો પણ પહેલેથી સંશય કરતા આવ્યા છે અને તારી જિજ્ઞાસાનો વિષય સરળતાથી જાણી શકાય તેમ પણ નથી; તે અત્યંત સૂક્ષ્મ છે. તેથી તું મને આ માગણીથી મુક્ત કર અને આગ્રહ ન ધર.” પરંતુ નચિકેતા જેવોતેવો સાધક ન હતો. તે હસ્તગત થયેલ રત્નને જવા દે કે પ્રાપ્ત તકને વેડફે એવો ઢીલોપોચો ન હતો. તેથી જ તેણે નમ્રપણે પણ સયુક્તિક જવાબ આપ્યો કે, “અલબત્ત, મારા પ્રશ્ન વિશે દેવોને પણ સંદેહ થયો છે, પરંતુ હે યમ ! તમે મૃત્યુ છો, એટલે તમે તો વર્તમાન જીવન અને પછીના જીવનના સાક્ષી દેવ મનાવ છો અને છતાં કહો છો કે એ તત્ત્વ જાણવું સહેલું નથી, એ કેમ સંભવે ? આ પ્રશ્નનો જવાબ આપનાર તમારા જેવો બીજો કોઈ હોઈ જ ન શકે અને મેં જે ત્રીજું વરદાન માગ્યું છે તેની તુલના કરે એવું બીજું કોઈ વરદાન પણ નથી. એક તો આ ત્રીજું વરદાન મેળવવું એ જ મારો અંતિમ આદર્શ અને વધારામાં એને તમારા સિવાય બીજો કોઈ સિદ્ધ પણ ન કરી શકે. તો પછી આવી અનુકૂળ તકને હું કેમ જતી કરું ?” યમ જાણે કે નચિકેતાની પૂરી કસોટી જ ન કરતો હોય તેમ તે નચિકેતાની જિજ્ઞાસાને બીજી દિશામાં વાળવા પ્રયત્ન કરે છે અને કહે છે કે, હે ! નચિકેતા, તું શતાયુ પુત્રપૌત્રો, પુષ્કળ હાથીઘોડા આદિ પશુઓ, મોટાં ભયનો માગ. એટલું જ નહિ પણ યથેચ્છ આયુષ્ય માગ. તું બીજું કાંઈ પણ વર માગ અને આ ભૂમિ ઉપર તું સુખેથી રહે. હું તારા બધા મનોરથ પૂરીશ. જે જે ભોગો મનુષ્યલોકમાં દુર્લભ છે તેને યથેચ્છ માગી લે. જો, રથ અને વાદ્યો સહિત આ સુંદર રમણીઓ! આવા ભોગો મનુષ્યોને સુલભ નથી. હું એ ભોગો પૂરા પાડીશ, અને તું એ સ્ત્રીપુત્રો વગેરેની સેવા લે. તે જે પુનર્જન્મને લગતો પ્રશ્ન કર્યો છે તે જતો કર.” પણ નચિકેતાની જિજ્ઞાસા ને સાધના ઉપર ઉપરની ન હતી. એટલે તે મક્કમ થઈ વર આપવાના વચનથી બંધાયેલ યમને કહે છે કે, “તમે જે આપવા કહ્યું તે બધું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy