SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ જીવતો અનેકાંત • ૧૭૯ દેહવાસના પ્રેરિત લગ્નસંસ્થા ચાલે તો એ નથી માંગલિક કે નથી પવિત્ર, ઊલટી શાપરૂપ છે. જ્યાં લગી આવો વિવેક જાગરૂક રહે છે અને તેનું જ પોષણ વિચારકો દ્વારા કરવામાં આવે છે, ત્યાં લગી અનેકાંત એ સંસ્થા પરત્વે જીવતો છે એમ કહી શકાય. આપણે ભૂતકાળનો ઇતિહાસ અને વર્તમાન આપણા સમાજનું માનસ જોઈએ, તો આપણને જણાશે કે આ બાબતમાં અનેકાંત જીવિત રહ્યો નથી. જૈનસમાજમાં વિચારકોનું મુખ્ય સ્થાન ત્યાગીઓ ભોગવતા આવ્યા છે. ત્યાગીઓની આ સંસ્થા માત્ર એક જ આશ્રમ ઉપર ભાર આપતી આવી છે અને અત્યારે પણ એ જ રીતે ભાર આપે છે. તેથી એ લખાણમાં કે ઉપદેશમાં જ્યાં ને ત્યાં કે જ્યારે અને ત્યારે એક જ વાત કહેતી આવી છે કે લગ્ન એ તો નકામી ઉપાધિ અને બંધન છે તેમ જ અપવિત્ર છે. આવો સતત ઉપદેશ અને પ્રચાર હોવા છતાં પ્રકૃતિથી જ જે સંસ્થા સમાજ સાથે સંકલિત છે, તે નાબૂદ થઈ નથી અને થવાની પણ નથી, પરંતુ આવા એકાન્તિક ઉપદેશનું સમાજમાનસ ઉપર એક પરિણામ એ આવ્યું છે કે લગ્નસંસ્થા નભાવ્યે જાય છે, પણ જાણે પરાણે ગળે ઢોલ બાંધ્યો હોય તે રીતે જ તે તેને બજાવે છે. એક બાજુ આવેગો અને ફરજો ઉત્સાહભેર વ્યક્તિઓને લગ્ન તરફ પ્રેરે છે અને બીજી બાજુ તેના મનમાં ઊંડે ઊંડે વારસાગત લગ્નની અપવિત્રતાના વિવેકશૂન્ય સંસ્કારો પોષાતા જાય છે. પરિણામે કૌટુંબિક જીવનમાં જ્યારે અનેક જાતની જવાબદારીના પ્રસંગો આવે છે ત્યારે માણસ વિવેકદૃષ્ટિ ન હોવાથી મોટે ભાગે કંટાળી યોગ્ય રસ્તા કાઢવાને બદલે લગ્નસંસ્થાની અપવિત્રતાને સ્મરણે કૌટુંબિક જીવનને નિંદે છે અને ભારરૂપ ગણે છે. જો એવો માણસ કુટુંબમાં રહે છે, તો તે તેનું કાંઈ લીલું નથી કરતો. જો તે કુટુંબ છોડી યોગ લે છે, તોય તે ઘણી વાર એ યોગને ભોગથી ખરડે છે. એણે અપવિત્રતા કે પવિત્રતા ક્યાં રહે છે એ પ્રથમથી જ જાણ્યું ન હતું. એણે તો માની લીધેલું કે કુટુંબબંધન એ અપવિત્ર છે અને કુટુંબથી છૂટાછેડા એ પવિત્ર છે. જો એનામાં જીવંત અનેકાંતના સંસ્કારો પ્રથમથી જ સિંચાયા હોત, તો તે એમ માનત કે પવિત્રતા કે અપવિત્રતા એ બંને મનોગત જ છે અને તેથી તે મનના પવિત્રપણા ઉપર ભાર આપી તેને સાચવવા અને પોષવાનો પ્રયત્ન કરતા અને પરિણામે તે લગ્નસંસ્થાના ઉદ્દેશને જીવનમાં ઉતારી શકત અને પોતાની નબળાઈ લગ્નસંસ્થા ઉપર ન લાદત. આજે તો ભોગવાસનાની પ્રબળતા, જે મનોગત એક અપવિત્રતા અને ભારે નબળાઈ છે, તે જ લગ્નસંસ્થાની જવાબદારીઓની દૃષ્ટિ કે ત્યાગી સંસ્થાની જવાબદારીઓની દષ્ટિએ છેક નબળો પડ્યો છે. બીજો પ્રશ્ન ઊંચનીચની ભાવનાનો છે. જ્યારે જન્મ, સત્તા અને સંપત્તિ આદિની બાહ્ય દૃષ્ટિએ ઊંચનીચતા માનવા-મનાવવાનો સનાતન ધર્મ પુરજોશમાં હતો, ત્યારે ભગવાન મહાવીર અને તથાગત જેવાએ ચડતા-ઊતરતાપણાની કસોટી સગુણનું તારતમ્ય છે એ વાત પોતાના વ્યવહારથી સમાજ સામે મૂકી. આ વિશે જીવંત અનેકાંતનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy