SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ • પરિશીલન છે ? અને તેનું જીવંતપણું એટલે શું? તેમ જ એવો જીવતો અનેકાંત આપણી જૈન પરંપરામાં સામુદાયિક દૃષ્ટિએ ક્યારેય હતો ને અત્યારે પણ છે? અનેકાંત એ એક જાતની વિચારપદ્ધતિ છે. તે બધી દિશાઓથી, બધી બાજુથી ખુલ્લું એવું એક માનસચક્ષુ છે. જ્ઞાનના, વિચારના અને આચરણના કોઈ પણ વિષયને તે માત્ર એક જ તૂટેલી કે અધૂરી બાજુથી જોવા ના પાડે છે અને શકય હોય તેટલી વધારેમાં વધારે બાજુએથી, વધારેમાં વધારે વિગતોથી અને વધારેમાં વધારે માર્મિક રીતે તે સર્વ કાંઈ વિચારવા, આચરવાનો પક્ષપાત ધરાવે છે. આ તેનો પક્ષપાત પણ. માત્ર સત્યના પાયા ઉપર જ બંધાયેલો છે. અનેકાંતનું જીવિતપણું અગર જીવન એટલે તેની પાછળ, આગળ કે અંદર સર્વત્ર સત્યનું-યથાર્થતાનું વહેણ. અનેકાંત એ માત્ર કલ્પના નથી, પણ સત્યસિદ્ધ થયેલી કલ્પના હોઈ તે તત્ત્વજ્ઞાન છે અને વિવેકી આચરણનો વિષય હોઈ તે ધર્મ પણ છે. અનેકાંતનું જીવિતપણે એમાં છે કે તે જેમ બીજા વિષયોને બધી બાજુથી તટસ્થપણે જોવા, વિચારવા, અપનાવવા પ્રેરે છે, તેમ એ પોતાના સ્વરૂપ અને જીવિતપણા વિશે પણ ખુલ્લા મનથી વિચાર કરવા ફરમાવે છે. જેટલું વિચારનું ખુલ્લાપણું, સ્પષ્ટપણું અને તટસ્થપણું તેટલું જ અનેકાંતનું બળ કે જીવન. જો અનેકાંતના જીવનની ઉપરની વ્યાખ્યા સાચી હોય, તો આપણે આગળ કે પાછળનાં કોઈ પણ બંધનો સ્વીકાર્યા સિવાય તદ્દન નિખાલસપણે એને વિશે વિચાર કરવો જોઈએ. આ વિચાર કરતાં પ્રથમ પ્રશ્નો કાંઈક નીચે પ્રમાણે ઉભવે ખરા (૧) શું આવી અનેકાંતદષ્ટિ માત્ર જૈન પરંપરાના પ્રવર્તકો અને અનુયાયીઓમાં જ હતી અને છે, કે મનુષ્યજાતિમાં અસ્તિત્વ ધરાવતા બીજા સંપ્રદાયોના પ્રવર્તકો અને અનુયાયીઓમાં એ પ્રવર્તી શકે? (૨) પરિભાષા, વ્યાખ્યા અને ઉપયોગનો ગમે તેટલો ભેદ હોવા છતાં જો વસ્તુગતે અનેકાંતવિચાર અને અનેકાંતવર્તન બીજા કોઈ જેનેતર ગણાતા સંપ્રદાયના પ્રવર્તકો કે અનુયાયીઓમાં હોય અને તે સ્વીકાર કરવો કે સાંપ્રદાયિક અભિનિવેશથી આંખ બંધ કરવી? (૩) અનેકાંતના પાયા ઉપર સ્થપાયેલ જૈન સંપ્રદાયમાં પણ અનેકાંત જીવન બીજા સંપ્રદાયો કરતાં વધારે પ્રમાણમાં ઊતર્યો ન હોય, તો જૈન લોકોને અનેકાંત વિશે ગૌરવ લેવાને કાંઈ કારણ છે ? અથવા અનેકાંત વિશે ગૌરવ લેવું એટલે શું ? બીજા અને ત્રીજા પ્રશ્નને પ્રથમ લઈએ. હું ધારું છું, “ગમે તેવો સાંપ્રદાયિક મનનો જૈન હશે તોય એમ ભાગ્યે જ કહેશે કે જેન સિવાયના કોઈ પણ સંપ્રદાયના પ્રવર્તક કે અનુયાયીમાં સાચે જ અનેકાંત વિચાર કે વર્તન હોય તો તેનો સ્વીકાર કરતાં, તેના આદર કરતાં અચકાવું. એવો પણ કોઈ જૈન ભાગ્યે જ નીકળશે કે બીજા સંપ્રદાયના પ્રવર્તક કે અનુયાયીના જીવનમાં ઊતરેલ હોય તેટલો પણ અનેકાંત પોતાના જીવનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy