SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ • પરિશીલન છાપ અવશ્ય ઝીલવાનો કે આ નવલનો લેખક વૈષ્ણવ હોય તો ના નહિ! વૈષ્ણવ પરંપરાની પ્રશંસાયેલી કે વગોવાયેલી શૃંગારભક્તિ જાણીતી છે. જ્યારે જયદેવના સૌંદર્યપૂજા' પ્રકરણમાં વાચક એ શૃંગારભક્તિના અદ્વૈતને જુએ છે ત્યારે તો એની એ છાપ વધારે દઢ બને છે. પણ આ વિષયમાં હું મારા વલણનો નિર્દેશ કરે તો તે અસ્થાને નહિ લેખાય. હું રાસપંચાધ્યાયીમાંના ગોપીકૃષ્ણના, કુમારસંભવમાંના ઉમા-મહાદેવના અને ગીતગોવિંદમાંના રાધા-કૃષ્ણના ગમે તેવા કાવ્યમય, પણ નગ્ન શૃંગારને નથી માનતો ભક્તિના સાધક કે નથી માનતો તરુણોને ઉચિત એવી શક્તિ અને દીપ્તિના પોષક! તેથી સહેજે જ જયભિખ્ખએ લખેલ “જયદેવ' નવલમાંના ઉક્ત પ્રકરણ પ્રત્યે મારું સવિશેષ ધ્યાન ગયું. મેં લેખક સાથે મુક્તમને ચર્ચા કરી તેમનો દૃષ્ટિકોણ જાણી લીધો. મેં મારો પણ દષ્ટિકોણ તેમની સામે મૂકયો. જ્યારે મેં એમ જાણ્યું કે બીજી આવૃત્તિમાં જયભિખ્ખ એ પ્રકરણ ગાળી નાખવાના છે, અને એ પણ જાણ્યું કે તરુણ પેઢીની વૃત્તિને પંપાળે એવાં શૃંગારી લેખનો વિશેષ પ્રલોભન આપી લખાવનારને પણ તેમણે નકાર્યા છે, ત્યારે મારી દઢ ખાતરી થઈ કે આ લેખકની શક્તિ હવે નવી પેઢીને બળ અને સમર્પણવર્ધક કાંઈક નવું જ આપશે. જૈન કથા-સાહિત્ય માટે ઐતિહાસિક કહી શકાય તેવી અને પૌરાણિક લેખી શકાય તેવી ઢગલાબંધ નાનીમોટી વાર્તાઓમાંથી જયભિખ્ખએ આધુનિક રૂચિને પોષે અને તોષે એવું નવલ-નવલિકા સાહિત્ય સર્જી બેવડો ઉપકાર (જો એને ઉપકાર કહેવો હોય તો) કર્યો છે. જેનેતર જગતમાં અનેક સુપ્રસિદ્ધ લેખકો એવા છે કે જે પોતે જ ગમે તેવા ખૂણેખાંચરેથી યોગ્ય કથા-વસ્તુ મેળવવાની વૃત્તિ ધરાવતા હોય છે. તેમને સર્વત્ર પ્રસિદ્ધ અને સુવિદિત એવા વૈદિક-પૌરાણિક સાહિત્ય કે બૌદ્ધ સાહિત્યમાંથી સહેજે જોઈતી કથાવસ્તુઓ મળી જાય છે, ને તે ઉપર તેઓ પોતાની હથોટી અજમાવે છે. પરિણામે એ જૂની કથાવસ્તુઓ નવે રૂપે પ્રચારમાં આવે છે. આવા શોધક લેખકોને જૈન કથાસાહિત્યમાંથી જોઈતી વસ્તુ સાંપડવાની તક બહુ જ ઓછી મળી છે. એનું એક કારણ એ પણ છે કે જૈન કથાસાહિત્ય એક રીતે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના આવરણ તેમ જ ભંડાર અને પંથ-દષ્ટિના બંધિયારખાનામાં ગોંધાયેલું રહ્યું છે. તેથી કરીને તે સાહિત્યમાંથી આ યુગમાં પણ સહુને ગમે અને માર્ગદર્શક બને એવી સ્થાવસ્તુઓ સુયોગ્ય લેખકોના હાથમાં પડી નથી. બીજી બાજુએ જે ગણ્યાગાંઠ્યા જૈન લેખકો હોય અને કાંઈક નવદૃષ્ટિને આધારે કથાસર્જન કરવા ઇચ્છતા હોય તેમની સામે પંથની સંકુચિત દૃષ્ટિ ઘૂરતી હોય છે. જૂના વાઘા બદલ્યા વિના પ્રાચીન કથાવસ્તુઓ ભાગ્યે જ સાર્વત્રિક આવકાર પામે, અને એ વાઘાઓમાં સહેજ પણ લંબાણ-ટૂંકાણ કે સંસ્કાર થયા ત્યાં તો રૂઢિઓની ભૂતાવળ જાગી ઊઠે! પરિણામે એણે ગમે તેવું લખ્યું હોય તોય જૈનો ખરીદવા ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy