SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ખરી કેળવણીકાર • ૧૨૯ ભરી સભામાં નાનાભાઈએ ધ્રુજતે કંઠે કહ્યાનું આજે પણ મને સ્મરણ છે. એમણે કહ્યું, હું આ કૂપનપ્રથાથી ધ્રૂજી જાઉં છું.’ એમનો ગુજરાતી અગર સૌરાષ્ટ્રી આતિથ્યપ્રિય આત્મા કાંઈ જુદું જ વિચારે. વ્યક્તિગત, સંસ્થાગત કે સમાજગત અન્યાય સામે ઊકળી ઊઠી તેનો વિરોધ કરવાની તેમની મક્કમતા જેવીતેવી નથી. થોડાક દાખલો આપું : ગયા ડિસેમ્બરમાં હું સણોસરા આવેલો. ગામ વચ્ચે અમે ઊભા હતા ત્યાં એક જણ નાનાભાઈ પાસે કાંઈક દદ મેળવવા કે લાગવગ લગાડાવવા આવ્યો. તેણે સાંઢીડા મહાદેવની જગ્યા ત્યાંથી ન ફેરવાય અને નવું બંધાતું તળાવ તે ગ્યાને આવરી ન લે એવી લોકોની અને ગ્રામજનોની વતી માંગણી કરી; જોકે સરકારે તો મહાદેવનું નવું મંદિર અને એની પ્રતિષ્ઠા એ બધું કરાવી દેવાનું નક્કી કરેલું. પેલી વ્યક્તિની વાત સાંભળી નાનાભાઈ તાડૂક્યા : હું લોકોના હિતની દૃષ્ટિએ મને જે યોગ્ય લાગશે તે કહીશ. તમારા મહાદેવને તમે જાણો. મારે એ સાથે અને તમારી સાથે કશી લેવાદેવા નથી.” – ઇત્યાદિ. નાનાભાઈ જેવા ધાર્મિક માણસ એમ કહે કે તમારા મહાદેવને તમે જાણો, તો મારા જેવાને નવાઈ તો થાય જ, પણ મેં જ્યારે સત્ય બીના જાણી ત્યારે નાનાભાઈના પુણ્યપ્રકોપ પ્રત્યે આદર જન્મ્યો. વાત એ હતી કે જે માણસ દાદ મેળવવા આવેલ તે પોતે જ મંદિરનો મહંત હતો, મહાદેવને નામે પોતાનો મૂળ અડ્ડો જમાવી રાખવાની વૃત્તિવાળો. એને લોક કે ગ્રામહિતની પડી જ નથી, માત્ર લોકોને નામે ચલાવ્યું રાખવું એટલું જ. ભાવનગરમાં દક્ષિણામૂર્તિ હતું, ત્યારનો બીજો એક પ્રસંગ પણ યાદ આવે છે. એક તરુણ શિક્ષકને નૈતિક અને ચારિત્રીય નબળાઈને કારણે છૂટો કર્યો, પણ કેટલાક શિક્ષકોએ તેના વિદાયમાનમાં મેળાવડો કરવાનું વિચાર્યું. નાનાભાઈને જાણ થઈ, તેમણે તરત જ સહકાર્યકર્તાઓને જણાવી દીધું કે આવો કોઈ મેળાવડો સંસ્થા તરફથી યોજાય એ અણઘટતું છે. જો એવું થશે તો હું રાજીનામું આપીશ. એમની આ મક્કમતાથી શિક્ષકોનું વલણ બદલાયું અને તેમને કાંઈક સાન આવી. તેથીય વધારે આશ્ચર્ય અને સમ્માન ઉપજાવે એવી મક્કમતાનો દાખલો હમણાં જ છેલ્લા “સંસ્કૃતિ અંકમાં પ્રસિદ્ધ થયો છે. તે આ રહ્યો: નાનાભાઈ એક કાળે એક નાનકડા મહેતાજી; અને કદાચ ત્રીસે પણ પહોંચેલા નહિ. કોઈ લાગવગ નહિ, સંપત્તિ નહિ કે બોજો કોઈ મોભો નહિ. આ દશામાં પણ તેમણે મહારાજા ભાવસિંહજીના અન્યાયી પગલા સામે મક્કમ પગલું ભર્યું. જે કાળે રાજાઓ આપખુદ તે કાળે તેવા જ એક રાજવીના રાજ્યમાં વસનાર સાધારણ દરજ્જાનો મહેતાજી રાજ્યના શિરછત્ર જેવા રાજાને ચોખેચોખ્ખું એમ સંભળાવે કે તમે જે રીતે મારી પાળેલી ત્રણાગી કૂતરી મેળવવા જોહુકમી કરો છો તેને હું વશ થનાર નથી, ત્યારે સમજાય છે કે ખરું બ્રહ્માણતેજ એ શું. છેવટે શાણા મહારાજાને પોતાની ભૂલ સમજાઈ અને એ નાનકડા મહેતાજી પ્રત્યે તેઓ આમન્યાથી વત્ય, ધર્મ અને ન્યાયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy