SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ • પરિશીલન નિખાલસ મને એ ગ્રંથિનો ભેદ કરવો કે તેમાં સંશોધન કરી સમ્યગ્દષ્ટિને વરવું એમાં જ સાચી આધ્યાત્મિકતાનો પાયો છે. નાનાભાઈમાં એનું બીજ તો હતું જ, પણ જ્યારે ગાંધીજીનો સંપર્ક થતાંવેંત દૃષ્ટિનો સ્પષ્ટ ઉન્મેષ થયો ત્યારે લાંબા કાળના અનેક મિત્રો સાથે સેવેલાં સ્વપ્નો અને તે ઉપર રચાયેલી ક્રિયાકાંડી પરંપરાઓ તેમણે, સાપ કાંચળી છોડે તેમ, છોડી દીધી અને વિવેકપૂત નવી જીવનધર્મની પરંપરાઓ દક્ષિણામૂર્તિમાં શરૂ કરી. અસ્પૃશ્યતાનું અનાદિ ભૂત કે તે વિશેની સવર્ણપોષિત અનાદિ અવિદ્યા એને જીવનના પ્રત્યેક ખૂણામાંથી ફેંકી દેવા સાથે માત્ર નાનાભાઈનું જ નહિ, પણ સાથે સાથે તેમના પરિવાર અને દક્ષિણામૂર્તિ સંસ્થા એ બધાંનું નવસંસ્કરણ શરૂ થાય છે; અને સાથે જ અગ્નિપરીક્ષા પણ, પરંતુ પોતાના કુટુંબમાં પરાપૂર્વથી ચાલતી અગ્નિદેવની બંધ પડેલી ઉપાસના નાનાભાઈએ દક્ષિણામૂર્તિના રૂપમાં શરૂ કરેલ અગ્નિહોત્ર સ્વીકારી તેમાં સાચા બ્રાહ્મણત્વ સાથે સંગત હોય એવી સત્યાગ્નિની ઉપાસનારૂપે મક્કમપણે શરૂ કરી છે, જે ઉત્તરોત્તર વિકસતી આવી છે. - અનેક મુરબ્બીઓ, સહકાર્યકર્તાઓ સાથે પ્રબળ મતભેદ થયા, પણ તેમણે કોઈ સ્થળે સત્યને આંચ આવવા દીધી હોય કે સામાને અન્યાય કર્યો હોય એમ “ઘડતર અને ચણતર' વાંચતાં લાગતું નથી. જ્યાં પણ ખમવા કે સહવા વારો આવ્યો ત્યાં તેઓ જાતે જ ખમી ખાય છે, નવો માર્ગ શોધી કાઢે છે, અને બીજા બધાને માર્ગ મોકળો કરી આપે છે. આ વિવેકખ્યાતિનો તેમણે સાધેલો નવો વિકાસ. પ્રત્યેક વિચારક કે પ્રત્યેક પ્રવૃત્તિમાં જે જાગતું મન દેખાય છે તે જ તેમનો અપ્રમત્ત યોગ છે. આની પ્રતીતિ “ઘડતર અને ચણતરમાં સર્વત્ર મળી રહે છે. ગૂજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલ રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓમાં, હું જાણું છું ત્યાં લગી, મોખરાનું સ્થાન દક્ષિણામૂર્તિનું હતું. એની પ્રતિષ્ઠા, એના વિદ્યાર્થીઓની છાપ વિદ્યાપીઠમાં પણ જુદી જ અનુભવાતી. ભાવનગર દક્ષિણામૂર્તિનો વિસ્તાર અને પ્રભાવ માત્ર ગુજરાતમાં જ મર્યાદિત ન હતો; એના વિદ્યાર્થીઓ દૂર દૂર લગી પ્રસરેલા, અને તેમાં શીખવા આવવાનો લોભ પંજાબ તેમ જ રાજસ્થાનના કેટલાક સ્વતંત્ર શિક્ષણવાંછુઓમાં તે કાળે મેં જોયેલો. આવી મોભાવાળી અને સાધનસંપન્ન તેમ જ રાજ્ય સુધ્ધાંમાં આદર પામેલી અને સ્વહસ્તે સ્થાપેલી તથા સ્વપરિશ્રમે ઉછેરેલી સંસ્થાને છોડવાનો વિચાર નાનાભાઈને સાધારણ સંજોગોમાં આવી ન જ શકે. જે શિક્ષકો અને સહકારીઓ સાથે એમને કામ કરવાનું હતું તેમના પ્રત્યે નાનાભાઈના દિલમાં કોઈ પણ અંગત સ્વાર્થ કે અસૂયાને સ્થાન હોવાનો તો સંભવ ન હતો. આમ છતાં તેમણે એ ભાવનગરી દક્ષિણામૂર્તિને છોડ્યું, એ તો હકીકત છે. આ હકીકતનો જે ખુલાસો તે જ નાનાભાઈના આત્માનું ઝળહળતું તેજ મને જણાય છે. એમણે એક વાર પોતાના અતિપ્રિય આનંદાશ્રમની છાયા જેટલી સરળતાથી છોડી તેટલી જ સરળતાથી પોતાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy