SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. કાશી પાઠશાળાનો ત્યાગ કિલકત્તાના અનુભવો વિ. સં. ૧૯૬૩ અને ૧૯૬૪ વચ્ચે એવા બનાવો બની રહ્યા હતા કે, જે મને આગળ જતાં સાવ નવી જ દિશામાં ધકેલવાના હતા. તેથી એ બનાવોનું વર્ણન આવશ્યક બને છે. ૧૯૬૩નું ચોમાસું મહારાજજીએ કલકત્તામાં કર્યું હતું. તેમનો ઉદ્દેશ કલકત્તામાંથી બને તેટલી આર્થિક મદદ મેળવવાનો, ત્યાં પ્રભાવ જમાવવાનો અને છેવટે કાશી પાછા ફરવાનો હતો. તેઓ પાઠશાળામાં રહી ગયેલા વિદ્યાર્થીઓમાંથી કોઈના દ્વારા ગુપ્ત રીતે ત્યાં શું શું ચાલી રહ્યું છે તે બધી બાતમી મેળવ્યે જતા હતા. મને અને વ્રજલાલજીને તેમણે કલકત્તા મળી જવા બોલાવ્યા. મારે માટે કલકત્તા પહેલવહેલું જ હતું. મહારાજજીએ ભણવાની સગવડ ઉપરાંત બીજાં પણ આર્થિક પ્રલોભનો આપ્યાં ને કહ્યું કે, કલકત્તા રહી જાઓ. અહીં આવું છે ને તેવું છે ઈત્યાદિ. સાથે સાથે મને એકાંતમાં પૂછ્યું કે, તમે પાલિતાણા ગયા હતા ત્યારે મંત્રી છોટાલાલ પારેખ સાથે શું વાતો કરી હતી ? બન્યું હતું એમ કે, હું પાલિતાણા ૧૯૬૩ના ઉનાળામાં ગયો ત્યારે પારેખ અચાનક ત્યાં મળી ગયા. પાઠશાળા વિશે તેમણે પૂછ્યું ત્યારે મેં પહેલેથી અત્યાર લગીમાં જે કાંઈ જાણ્યું હતું તે નિખાલસપણે કહી દીધું. જ્યારે હું તેમને વાત કરી રહ્યો હતો ત્યારે મારી સાથે એક જાદવજી નામનો વિદ્યાર્થી હતો, જે પાઠશાળામાં રહેતો અને હમણાં જ પોતાના વતન પાલિતાણામાં પાછો ફરેલો. મારે કશું હવે છુપાવવા જેવું ન હતું એટલે મેં પારેખને સ્પષ્ટ કહેલું. હું કાશી પહોંચે તે પહેલાં તો જાદવજીએ બધું જ ગુપ્તચરકૃત્ય વફાદારીથી સાધી લીધું હતું. મને બહુ નવાઈ લાગી કે મહારાજજી કલકત્તામાં બેઠાં કેવી રીતે જાણી ગયા? કારણ કે જાદવજી વિષે મને શંકા હજી સુધી ગઈ જ ન હતી. મહારાજજીની આંતરિક ઇચ્છા તો એ હતી કે સુખલાલ અને વ્રજલાલ બંનેને પોતાની પાસે ગમે તે રીતે ખેંચવા એટલે બીજા પાછળ રહેલ વિદ્યાર્થીઓ પાઠશાળામાંથી આપોઆપ સરી જશે. અને રહેશે તોયે તેમાં દમ જેવું નહિ હોય. એટલે મંત્રીઓ પાઠશાળા ચાલુ રાખવા મને આમંત્રણ આપશે. આવી ઈચ્છા હોવાથી તેમણે અમારા બંનેનો કલકત્તામાં બહુ આદર કરેલો ને અમારી પાસે ઉપાશ્રયમાં વ્યાખ્યાનો પણ કરાવેલાં. વ્યાખ્યાનમાં રાયબહાદુર બદરીદાસજી ને બુદ્ધિસિંહજી દુધેડિયા જેવા વૃદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy